Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈ : શરદ પવાર પર મોઢાનું અલ્સર દૂર કરવા શસ્ત્રક્રિયા કરવામાં આવી

મુંબઈ : શરદ પવાર પર મોઢાનું અલ્સર દૂર કરવા શસ્ત્રક્રિયા કરવામાં આવી

Published : 26 April, 2021 10:43 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એનસીપીના પ્રમુખ શરદ પવારના મોઢાનું અલ્સર દૂર કરવા તેમના પર મુંબઈની એક હૉસ્પિટલમાં શસ્ત્રક્રિયા કરવામાં આવી હોવાનું ગઈ કાલે જણાવતાં પક્ષના પ્રવક્તા નવાબ મલિકે કહ્યું હતું.

એનસીપીના પ્રમુખ શરદ પવાર

એનસીપીના પ્રમુખ શરદ પવાર


એનસીપીના પ્રમુખ શરદ પવારના મોઢાનું અલ્સર દૂર કરવા તેમના પર મુંબઈની એક હૉસ્પિટલમાં શસ્ત્રક્રિયા કરવામાં આવી હોવાનું ગઈ કાલે જણાવતાં પક્ષના પ્રવક્તા નવાબ મલિકે વધુમાં ઉમેર્યું હતું કે ૮૦ વર્ષના નેતાનું સ્વાસ્થ્ય હવે સારું છે અને તેઓ ટૂંક સમયમાં પ્રવૃત્તિમય થઈને પોતાની કામગીરી સંભાળશે. 

ચાલુ મહિનાના પ્રારંભમાં શરદ પવારે મુંબઈની બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં પિત્તાશયનું ઑપરેશન કરાવ્યું હતું. સર્જરી બાદ હૉસ્પિટલની મુલાકાત લઈને સ્વાસ્થ્યનું પરીક્ષણ કરાવતાં તેમને મોઢામાં અલ્સર હોવાની જાણ થઈ હતી, જે હવે દૂર કરાયું છે. 



શરદ પવારની તબિયત સારી છે અને તેઓ હૉસ્પિટલમાં આરામ કરવા સાથે રોજબરોજ રાજ્યમાં કોરોનાવાઇરસના પ્રસારની વિગતો પર લક્ષ આપી રહ્યા છે તેમ જ તેઓ ટૂંક સમયમાં કાર્યરત થશે એમ નવાબ મલિકે કહ્યું હતું. આ અગાઉ શરદ પવારે પથરીનું ઑપરેશન કરાવ્યું હતું. 


Whatsapp-channel Whatsapp-channel

26 April, 2021 10:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK