Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > રખડતા કૂતરાઓએ કરેલા હુમલામાં ૪ વર્ષની બાળકીનું મૃત્યુ થયું

રખડતા કૂતરાઓએ કરેલા હુમલામાં ૪ વર્ષની બાળકીનું મૃત્યુ થયું

Published : 21 March, 2025 10:22 AM | Modified : 22 March, 2025 07:16 AM | IST | Nagpur
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નાગપુરથી પચીસ કિલોમીટર દૂર આવેલા ગુમગાવમાં આ ઘટના ગુરુવારે બપોરે બની હતી.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


નાગપુર જિલ્લામાં ચાર વર્ષની એક બાળકી પર રખડતા કૂતરાઓએ હુમલો કરતાં બાળકીનું મૃત્યુ થયું હતું. નાગપુરથી પચીસ કિલોમીટર દૂર આવેલા ગુમગાવમાં આ ઘટના ગુરુવારે બપોરે બની હતી.    

હિંગણા પોલીસ-સ્ટેશનના ઑફિસરે આ કેસની વિગતો આપતાં કહ્યું હતું કે ‘બાળકીનાં માતા-પિતા કામ પર ગયાં હતાં ત્યારે ૪ વર્ષની હર્ષિતા ચૌધરી ઘરથી ૫૦ જ મીટર દૂર આવેલી નદીએ જવા નીકળી હતી. તેને એમ હતું કે તેની દાદી ત્યાં કપડાં ધોવા ગઈ છે, પણ કમનસીબે એ વખતે રખડતા કૂતરાઓએ તેના પર હુમલો કર્યો હતો. એ હુમલામાં હર્ષિતા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. તેને હૉસ્પિટલ લઈ જવામાં આવી, પણ ડૉક્ટરોએ તેને તપાસીને મૃત જાહેર કરી હતી. અમે એક્સિડેન્ટલ ડેથ રજિસ્ટર કરવાની સાથે ગ્રામ પંચાયતને રખડતા કૂતરાઓના દૂષણને નાથવા પગલાં લેવા કહ્યું છે.’ 


Whatsapp-channel Whatsapp-channel

22 March, 2025 07:16 AM IST | Nagpur | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK