Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈમાં AIDSના દરદીઓની સંખ્યામાં ઘટાડો

મુંબઈમાં AIDSના દરદીઓની સંખ્યામાં ઘટાડો

Published : 01 December, 2024 12:58 PM | Modified : 01 December, 2024 01:17 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુંબઈમાં મોટા પાયે ચલાવવામાં આવતા જનજાગૃતિ અભિયાન, યોગ્ય ઉપચાર અને સારવાર આપવામાં આવતી હોવાથી છેલ્લાં પાંચ વર્ષમાં ઍક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશ્યન્સી સિન્ડ્રૉમ (AIDS)ના દરદીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મુંબઈમાં મોટા પાયે ચલાવવામાં આવતા જનજાગૃતિ અભિયાન, યોગ્ય ઉપચાર અને સારવાર આપવામાં આવતી હોવાથી છેલ્લાં પાંચ વર્ષમાં ઍક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશ્યન્સી સિન્ડ્રૉમ (AIDS)ના દરદીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે, એવી માહિતી મુંબઈ જિલ્લા AIDS કન્ટ્રોલ સોસાયટીએ આપી છે. આજે વર્લ્ડ AIDS ડે છે.

૨૦૧૯-’૨૦માં ૪૬૧૭ દરદીઓ નોંધાયા હતા. આ સંખ્યા કુલ જે ટેસ્ટ કરાઈ હતી એની ૦.૭ ટકા હતી. જ્યારે કે ૨૦૨૩-’૨૪માં મુંબઈમાં ૩૩૮૩ દરદી નોંધાયા હતા જે કુલ ટેસ્ટના ૦.૫ ટકા હતા. આમ AIDSના દરદીઓની સંખ્યામાં ઘડાડો નોંધાયો છે. કુલ દરદીઓની સંખ્યામાંથી ૭૫ ટકા દરદી ૧૫થી ૪૯ની ઉંમરના છે જેમાં મહિલાઓ ૩૧ ટકા છે. ૯૫ ટકા દરદીઓને આ રોગ અસુર​​ક્ષિત જાતીય સંબંધ રાખવામાં થયો હતો, જ્યારે કે ૧૪ વર્ષથી ઓછી ઉંમરનાં ૩ ટકા બાળકોને AIDSનો રોગ લાગ્યો હોવાનું જણાઈ આવ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

01 December, 2024 01:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK