Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > લાલબાગચા રાજાને બે દિવસમાં એક કરોડથી વધારેનું દાન મળ્યું

લાલબાગચા રાજાને બે દિવસમાં એક કરોડથી વધારેનું દાન મળ્યું

23 September, 2023 09:53 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લાલબાગચા રાજાને પહેલાં બે દિવસમાં એક કરોડથી વધુ રૂપિયાનું દાન મેળવ્યું છે. લાલબાગચા રાજા મંડળને ઉત્સવના બીજા દિવસે ૬૦ લાખથી વધુનું દાન મળ્યું હતું. 

લાલબાગચા રાજા

લાલબાગચા રાજા


મુંબઈ : લાલબાગચા રાજાને પહેલાં બે દિવસમાં એક કરોડથી વધુ રૂપિયાનું દાન મેળવ્યું છે. લાલબાગચા રાજા મંડળને ઉત્સવના બીજા દિવસે ૬૦ લાખથી વધુનું દાન મળ્યું હતું. 
મંડળના જણાવ્યા અનુસાર તેમણે બીજા દિવસે ૬૦,૬૨,૦૦૦થી વધુ રૂપિયા મેળવ્યા હતા. ઉત્સવના બે દિવસમાં કુલ ૧,૦૨,૬૨,૦૦૦ રૂપિયા થયા હતા. ભગવાન ગણપતિની મૂર્તિને દાન તરીકે ૧૮૩.૪૮૦ ગ્રામ સોનું અને ૬૨૨ ગ્રામ ચાંદીનો પ્રસાદ પણ મળ્યો છે. પ્રથમ દિવસની સરખામણીએ બીજા દિવસે રોકડમાં વધુ દાન મળ્યું હતું. અગાઉ 
બુધવારે મુંબઈના લાલબાગચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળના સચિવ સુધીર સાળવીએ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીની લાલબાગ સમિતિની પ્રવૃત્તિઓ પ્રત્યેના તેમના સમર્થન બદલ પ્રશંસા કરી હતી.
સુધીર સાળવીએ કહ્યું હતું કે ‘આજે લાલબાગચા રાજાનું ડાયાલિસિસ સેન્ટર શરૂ થઈ રહ્યું છે. એમાં ૨૪ મશીન છે જે અનંત અંબાણીએ આપ્યાં છે અને એની સાથે અમે દરેક દરદીને મદદ કરવા રક્તદાન કૅમ્પ પણ રાખ્યો છે. અનંત અંબાણી તરફથી ઘણો સપોર્ટ મળી રહ્યો છે.’


Whatsapp-channel Whatsapp-channel

23 September, 2023 09:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK