Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Mumbai Local Train: ચર્ચગેટ-વિરાર મુસાફરોમાટે સમાચાર, ટ્રેનના સમયમાં થયો ફેરફાર

Mumbai Local Train: ચર્ચગેટ-વિરાર મુસાફરોમાટે સમાચાર, ટ્રેનના સમયમાં થયો ફેરફાર

31 December, 2022 10:13 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મુંબઈ (Mumbai)ની લાઈફલાઈન સમાન મુંબઈ લોકલ ટ્રેન(Mumbai Local Train)ના સમયમાં કેટલાક બદલાવ થવા જઈ રહ્યાં છે.

ટ્રેનના સમયમાં થયો ફેરફાર

ટ્રેનના સમયમાં થયો ફેરફાર


મુંબઈ (Mumbai)ની લાઈફલાઈન સમાન મુંબઈ લોકલ ટ્રેન(Mumbai Local Train)ના સમયમાં કેટલાક બદલાવ થવા જઈ રહ્યાં છે. કેટલીક મેલ એક્સપ્રેસ ટ્રેનોના સમયમાં ફેરફાર થયો હોવાથી મુંબઈની ઉપનગરીય લોકલ ટ્રેનનો સમય પ્રભાવિત થશે. મુંબઈની ત્રણ ઉપનગરીય સેવાઓના સમયમાં 31 ડિસેમ્બરથી બદલાવ જોવા મળશે. 

ચર્ચગેટથી દહાનુ જતી લોકલ ટ્રેન હવે સવારે 5:24ના બદલે 5: 17 વાગ્યે શરૂ થશે જ્યારે દહાનુથી વિરાર જતી ટ્રેન સવારે 11: 35ના બદલે બપોરે 12: 50ના ચાલશે. આ સિવાય પણ હજી એક ટ્રેનના સમયમાં બદલાવ કરવામાં આવ્યો છે. 



આ પણ વાંચો:એસી લોકલમાં પ્રવાસીઓ થાય છે જરૂર કરતાં વધારે ઠંડા-ઠંડા, કૂલ-કૂલ


બપોરે 12:30 કલાકે દહાનુ-વિરાર લોકલ ટ્રેન હવે બે મિનિટ વહેલી શરૂ થશે એટલે કે હવે 12:28 કલાકે આ ટ્રેન ઉપડશે. આમ, મેલ એક્સપ્રેસ ટ્રેનના સમયમાં બદલાવ આવવાથી આ ત્રણ લોકલ ટ્રેનનાં સમયમાં પણ ફેરફાર થયો છે. 

 


Whatsapp-channel Whatsapp-channel

31 December, 2022 10:13 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK