Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ભગવાનનો અમારા પર ઉપકાર છે, અમને બ્રાહ્મણોને અનામત નથી : નીતિન ગડકરી

ભગવાનનો અમારા પર ઉપકાર છે, અમને બ્રાહ્મણોને અનામત નથી : નીતિન ગડકરી

Published : 22 September, 2025 07:31 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતીય જનતા પાર્ટીના નેતા નીતિન ગડકરીએ બહુ સૂચક સ્ટેટમેન્ટ કર્યું હતું

 નીતિન ગડકરી

નીતિન ગડકરી


રાજ્યમાં હાલ અનામતના મુદ્દે ભડકો થયો છે. મરાઠાઓને અનામત આપવામાં આવી એનાથી અધર બૅકવર્ડ ક્લાસમાં નારાજગી છે અને હવે એ લોકો આક્રમક થયા છે. બીજી બાજુ બંજારા સમાજ પણ અનામત મળે એ માટે પ્રયાસ કરી રહ્યો છે ત્યારે કેન્દ્રીય પ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના નેતા નીતિન ગડકરીએ બહુ સૂચક સ્ટેટમેન્ટ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે ‘હું બ્રાહ્મણ છું. ભગવાને અમારા પર બહુ મોટો ઉપકાર કર્યો છે કે અમને અનામત નથી.’

નાગપુરમાં એક કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને સંબોધતાં નીતિન ગડકરી કહ્યું હતું કે ‘હું બ્રાહ્મણ જાતિનો છું. હું હંમેશાં ગમ્મતમાં કહેતો હોઉં છું કે અમારા પર પરમેશ્વરનો સૌથી મોટો ઉપકાર જો કંઈ હોય તો એ કે અમને અનામત નથી. મહારાષ્ટ્રમાં બ્રાહ્મણોને મહત્ત્વ મળતું નથી, પણ ઉત્તર પ્રદેશ અને બિહારમાં બ્રાહ્મણોને બહુ મહત્ત્વ અપાય છે. હું જ્યારે પણ ત્યાં જાઉં છું ત્યારે નોંધું છું કે દુબે, ​મિશ્રા, ​ત્રિપાઠી બહુ પાવરફુલ છે. જે રીતે અહીં મરાઠાઓનું વર્ચસ છે એવું જ ત્યાં બ્રાહ્મણોનું છે. હું તેમને કહું છું કે હું જાતપાતમાં માન‍તો નથી. કોઈ પણ માણસ જાત-ધર્મ કે ભાષાથી મોટો નથી હોતો. તે પોતાના ગુણોથી મોટો હોય છે.’


Whatsapp-channel Whatsapp-channel

22 September, 2025 07:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK