Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સર્વાંગી વિકાસ માટે જાતિ આધારિત જનગણના સ્વીકાર્ય : આરએસએસ

સર્વાંગી વિકાસ માટે જાતિ આધારિત જનગણના સ્વીકાર્ય : આરએસએસ

Published : 22 December, 2023 09:25 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આરએસએસના પબ્લિસિટી હેડ સુનીલ અમ્બેકરે સોશ્યલ મીડિયા એક્સ પર આપેલા નિવેદનમાં જણાવ્યું

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


એક કાર્યકર્તાએ જાતિ આધારિત ગણતરીનો વિરોધ કર્યાના દિવસો પછી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)એ ગઈ કાલે જણાવ્યું કે આવી કેટલીક પ્રવૃત્તિ સમાજનો સર્વાંગી વિકાસ સાધવા માટે થવી જોઈએ. દરમ્યાન કોઈ પણ રીતે સમાજની સંવાદિતા અને એકતાને કોઈ નુકસાન નહીં થવાની ખાતરી કરવી જોઈએ. આરએસએસના પબ્લિસિટી હેડ સુનીલ અમ્બેકરે સોશ્યલ મીડિયા એક્સ પર આપેલા નિવેદનમાં જણાવ્યું કે સંગઠન હમેશા કોઈ પણ ભેદભાવ અને અસમાનતા વિના સામાજિક સંવાદિતા અને ન્યાયના આધારે હિન્દુ સમાજના નિર્માણ માટે પ્રયત્નશીલ છે. વધુમાં તેમણે જણાવ્યું કે વિવિધ સરકારોએ સમયાંતરે આવા વિભાગોના વિકાસ અને સશક્તીકરણ માટે યોજનાઓ અને વિશેષ જોગવાઈઓ રજૂ કરી છે અને આરએસએસ આવા પગલાને સંપૂર્ણ સમર્થન આપે છે.


Whatsapp-channel Whatsapp-channel

22 December, 2023 09:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK