Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બીજેપીના નેતા શાહનવાઝ હુસૈનને હાર્ટ-અટૅક આવ્યો

બીજેપીના નેતા શાહનવાઝ હુસૈનને હાર્ટ-અટૅક આવ્યો

Published : 27 September, 2023 11:35 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બાંદરાની લીલાવતી હૉસ્પિટલમાં ઍન્જિયોપ્લાસ્ટી કરાયા બાદ તબિયત સ્થિર

શાહનવાઝ હુસૈન

શાહનવાઝ હુસૈન


ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને બીજેપીના પ્રવક્તા શાહનવાઝ હુસૈનને ગઈ કાલે સવારે કોલાબામાં આવેલી તાજ હોટેલમાં એક કાર્યક્રમ દરમ્યાન હાર્ટ-અટૅક આવ્યા બાદ તેમને બાંદરામાં આવેલી લીલાવતી હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યા હતા. મોડી સાંજે તેમની સર્જરી કરવામાં આવ્યા બાદ તેમની તબિયત સ્થિર હોવાનું ડૉક્ટરોએ જણાવ્યું હતું. ગયા અઠવાડિયે બિહારના પટનામાં તેમની તબિયત અચાનક ખરાબ થઈ ગયા બાદ તાત્કાલિક તેમને દિલ્હી લાવીને એઇમ્સ હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવા પડ્યા હતા. તેમને એ સમયે નિમોનિયા થયો હતો. થોડા દિવસ બાદ તેમની તબિયતમાં સુધારો થયો હતો.

હાર્ટ-અટૅક આવ્યા બાદ શાહનવાઝ હુસૈનને લીલાવતી હૉસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. છાતીમાં દુખાવાની તેમણે ફરિયાદ કરી હતી એટલે તેમનો ઈસીજી કરાયો ત્યારે ડૉક્ટરોને ખ્યાલ આવ્યો હતો કે તેમને હાર્ટ-અટૅક આવ્યો છે. આથી ડૉ. જલીલ પારકરના માર્ગદર્શનમાં શાહનવાઝ હુસૈનની તાત્કાલિક ઍન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. ત્યાર બાદ તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું હતું.



ગયા અઠવાડિયાથી જ શાહનવાઝ હુસૈનની તબિયત સારી નથી. તેમને દિલ્હીની એઇમ્સ હૉસ્પિટલમાં થોડા દિવસ સારવાર અપાઈ હતી. સ્વાસ્થ્ય સારું ન હોવાથી ડૉક્ટરોએ તેમને એ સમયે આરામ કરવાની સલાહ આપી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

27 September, 2023 11:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK