Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > નવી મુંબઈ ઍરપોર્ટને લોકનેતા ડી. બી. પાટીલનું નામ ન આપ્યું તો વિરોધનો વંટોળ ઊઠશે?

નવી મુંબઈ ઍરપોર્ટને લોકનેતા ડી. બી. પાટીલનું નામ ન આપ્યું તો વિરોધનો વંટોળ ઊઠશે?

Published : 31 May, 2025 11:03 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લોકનેતા ડી. બી. પાટીલ નવી મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ ઑલ પાર્ટી ઍક્શન કમિટીના ચૅરમૅન દશરથ પાટીલે ફરી માગણી કરી છે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


નવી મુંબઈ ઍરપોર્ટનું મોટા ભાગનું કામ હવે પતી ગયું છે અને દિવાળી​ આસપાસ એ ચાલુ કરવાનું પણ પ્લાનિંગ થઈ રહ્યું છે ત્યારે એના નામ બાબતે હજી નિર્ણય લેવામાં આવ્યો નથી. ભૂતપૂર્વ સંસદસભ્ય અને લોકનેતા ડી. બી. પાટીલનું નામ એને આપવામાં આવે એ માટે લોકનેતા ડી. બી. પાટીલ નવી મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ ઑલ પાર્ટી ઍક્શન કમિટીના ચૅરમૅન દશરથ પાટીલે ફરી માગણી કરી છે. તેમણે કહ્યું છે કે જો એમ નહીં કરવામાં આવે તો વિરોધનો વંટોળ ઊઠી શકે છે એટલે નવી મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટને વહેલી તકે લોકનેતા ડી. બી. પાટીલનું નામ આપવામાં આવે.

દશરથ પાટીલે ચીમકી આપતાં કહ્યું હતું કે ‘ઍરપોર્ટને ડી. બી. પાટીલનું નામ આપવા ઑલરેડી મહારાષ્ટ્ર સરકારનાં બન્ને ગૃહો, વિધાનસભા અને વિધાન પરિષદમાં રેઝોલ્યુશન પાસ કરવામાં આવ્યું છે જે કેન્દ્ર સરકારને મંજૂરી​ માટે મોકલવામાં આવ્યું છે અને ત્યાં એ લાંબા સમયથી પેન્ડિંગ છે. રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર સાથે આ માટે બેઠક કરીને વહેલી તકે નિર્ણય લેવો જોઈએ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એની જાહેરાત પણ કરવી જોઈએ. જો એમ ન થયું તો લોકોનો રોષ ફાટી નીકળે તો કંઈ કહેવાય નહીં. એ સિવાય આ પ્રોજેક્ટના અસરગ્રસ્તોને ઍરપોર્ટ પર જૉબ આપવાનો નિર્ણય પણ વહેલી તકે લેવાવો જોઈએ.’


Whatsapp-channel Whatsapp-channel

31 May, 2025 11:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK