Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > માતાની હત્યા કર્યા પછી દીકરો તેના મૃતદેહ પાસે દાંત સાફ કરી રહ્યો હતો

માતાની હત્યા કર્યા પછી દીકરો તેના મૃતદેહ પાસે દાંત સાફ કરી રહ્યો હતો

11 March, 2023 08:18 AM IST | Mumbai
Priti Khuman Thakur | priti.khuman@mid-day.com

વિરારમાં શિક્ષત દીકરાએ જ કરી માની હત્યા : તે માનસિક રીતે થોડો અસ્થિર હતો અને નાની-નાની વાતો પર ઝઘડા કરતો રહેતો

વિરાર પોલીસે વક્રતુંડ અપાર્ટમેન્ટમાં રહેતી માતાની હત્યા કરનાર આરોપી દીકરાની ધરપકડ કરી હતી. તસવીર: મહેશ ગોહિલ

વિરાર પોલીસે વક્રતુંડ અપાર્ટમેન્ટમાં રહેતી માતાની હત્યા કરનાર આરોપી દીકરાની ધરપકડ કરી હતી. તસવીર: મહેશ ગોહિલ


મુંબઈ : વિરારમાં એક દીકરાએ તેની માતાનું ગળું દબાવીને હત્યા કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પોલીસે દીકરાની ધરપકડ કરી છે. પોલીસને તપાસમાં જણાયું હતું કે આરોપી દીકરો માનસિક રીતે અસ્થિર હોઈ શકે છે અને માતાના મૃતદેહ પાસે દાંત ઘસતો વિકૃત અવસ્થામાં બેસેલો પણ જોવા મળ્યો હતો.

વિરાર-ઈસ્ટના ફુલપાડાના ગાંધીનગર વિસ્તારમાં આવેલા વક્રતુંડ અપાર્ટમેન્ટમાં ૪૪ વર્ષની વૈશાલી ધનુ તેના ૨૬ વર્ષના દીકરા દેવાંશ સાથે રહેતી હતી. દેવાંશ ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. તે માનસિક રીતે થોડો અસ્થિર હતો અને તેની માતા સાથે નાની-નાની વાતો પર સતત ઝઘડા કરતો રહેતો હતો. બુધવારે રાતે પણ તેની માતા સાથે તેનો ઝઘડો થયો હતો.



વિરાર પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર કાંબળેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘આ વિશેની માહિતી વૈશાલીએ તેની માતાને આપી હતી. ગુરુવારે બપોરે વૈશાલીની માતા ઘરે આવી ત્યારે દરવાજો કોઈ ખોલતું નહોતું. એથી તેમણે વિરાર પોલીસને જાણ કરી હતી. એથી પોલીસે ઘટનાસ્થળે પહોંચીને દરવાજો ખોલ્યો તો વૈશાલીની ડેડ-બૉડી ઘરના બેડરૂમમાંથી મળી આવી હતી. અમે ઘરમાં પ્રવેશ્યા ત્યારે ઘર અસ્તવ્યસ્ત પડ્યું હતું. તેમના દીકરા દેવાંશે ઓઢણીની મદદથી માતાનું ગળું દબાવી દીધું હતું. એટલું જ નહીં, તે મૃતદેહ પાસે વિચિત્ર રીતે દાંત ઘસીને સાફ કરી રહ્યો હતો. પોલીસે હત્યાના ગુનામાં આરોપી દેવાંશ ધનુની ધરપકડ કરી હતી. આરોપી માનસિક અસ્થિર છે કે નહીં એ મેડિકલ રિપોર્ટ આ‍વ્યા બાદ કહી શકાય. તેના પિતા ચાર મહિના પહેલાં જ મૃત્યુ પામ્યા હતા. આરોપી બારમું ધોરણ ભણેલો છે અને એક મોબાઇલ શૉપમાં કામ પણ કરતો હતો. તે મોબાઇલ પર અતિશય ગેમ રમતો હોવાથી તેની મમ્મી તેના પર ગુસ્સે થતી રહેતી હતી. એથી તેણે ચોક્કસ કયા કારણથી જન્મદાતાની હત્યા કરી એ પણ તપાસ કરવામાં આવી રહી છે.’


Whatsapp-channel Whatsapp-channel

11 March, 2023 08:18 AM IST | Mumbai | Priti Khuman Thakur

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK