Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > શાહબાઝ શરીફ ફફડ્યા: પહલગામ અટૅકની તટસ્થ તપાસમાં પાકિસ્તાન સામેલ થવા તૈયાર

શાહબાઝ શરીફ ફફડ્યા: પહલગામ અટૅકની તટસ્થ તપાસમાં પાકિસ્તાન સામેલ થવા તૈયાર

Published : 27 April, 2025 02:00 PM | IST | Pakistan
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પહલગામમાં થયેલો હુમલો સતત દોષારોપણની રમતનું વધુ એક ઉદાહરણ છે જે સંપૂર્ણપણે બંધ કરવી જોઈએ

શાહબાઝ શરીફ

શાહબાઝ શરીફ


પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત તરફથી લેવાયેલા નિર્ણય અને પ્રેશરને કારણે પાકિસ્તાનમાં ડરનો માહોલ ફેલાયો છે. પાકિસ્તાને પહલગામ આતંકવાદી હુમલાની તટસ્થ અને પારદર્શી તપાસમાં સામેલ થવાની રજૂઆત કરી છે. વડા પ્રધાન શાહબાઝ શરીફે એક ઇવેન્ટમાં કહ્યું હતું કે ‘પહલગામમાં થયેલો હુમલો સતત દોષારોપણની રમતનું વધુ એક ઉદાહરણ છે જે સંપૂર્ણપણે બંધ કરવી જોઈએ. એક જવાબદાર દેશ તરીકે પોતાની ભૂમિકાને ચાલુ રાખતાં પાકિસ્તાન કોઈ પણ તટસ્થ, પારદર્શી અને વિશ્વસનીય તપાસમાં ભાગ લેવા માટે તૈયાર છે. જો ભારત પોતાના ભાગનું પાણી રોકશે તો એ તમામ વિકલ્પ અપનાવશે. પાણી અમારી લાઇફલાઇન છે અને એક મહત્ત્વપૂર્ણ રાષ્ટ્રીય હિત છે અને એની ઉપલબ્ધતાને દરેક કિંમત પર અને દરેક પરિસ્થિતિમાં સુરક્ષિત રાખવામાં આવશે.’


Whatsapp-channel Whatsapp-channel

27 April, 2025 02:00 PM IST | Pakistan | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK