ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

shot-button

હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > પાકિસ્તાનમાં હિંદુ મંદિરમાં તોડફોડ કરવા બદલ 22 લોકોને જેલની સજા

પાકિસ્તાનમાં હિંદુ મંદિરમાં તોડફોડ કરવા બદલ 22 લોકોને જેલની સજા

12 May, 2022 06:20 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પાકિસ્તાનની આતંકવાદ વિરોધી અદાલત (ATC) એ 11 મેના રોજ પંજાબ પ્રાંતમાં હિંદુ મંદિર પર હુમલો કરવા બદલ 22 લોકોને પાંચ-પાંચ વર્ષની જેલની સજા ફટકારી હતી.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

 

પાકિસ્તાનની આતંકવાદ વિરોધી અદાલત (ATC) એ 11 મેના રોજ પંજાબ પ્રાંતમાં હિંદુ મંદિર પર હુમલો કરવા બદલ 22 લોકોને પાંચ-પાંચ વર્ષની જેલની સજા ફટકારી હતી.

જુલાઈ 2021 માં, આઠ વર્ષના હિંદુ છોકરા દ્વારા મુસ્લિમ સેમિનરીની કથિત અપવિત્રની પ્રતિક્રિયામાં સેંકડો લોકોએ લાહોરથી લગભગ 590 કિમી દૂર રહીમ યાર ખાન જિલ્લાના ભોંગ શહેરમાં ગણેશ મંદિર પર હુમલો કર્યો હતો. હથિયારો, લાકડીઓ અને વાંસ લઈને આવેલા ગુસ્સે થયેલા ટોળાએ મંદિરમાં તૈનાત પોલીસકર્મીઓ પર હુમલો કર્યો અને મંદિરના એક ભાગને તોડફોડ કરી સળગાવી દીધી હતી.


હુમલાખોરોએ મંદિરને અપવિત્ર કરતી વખતે મૂર્તિઓ, દિવાલો, દરવાજા અને ઇલેક્ટ્રિક ફીટીંગ્સને પણ નુકસાન પહોંચાડ્યું હતું. ધરપકડ કરાયેલા 84 શકમંદોની ટ્રાયલ ગયા સપ્ટેમ્બરમાં શરૂ થઈ હતી જે ગયા અઠવાડિયે પૂરી થઈ હતી.

બુધવારે, ATC ન્યાયાધીશ (બહવલપુર) નાસિર હુસૈને ચુકાદો જાહેર કર્યો. ન્યાયાધીશે 22 શંકાસ્પદોને પાંચ-પાંચ વર્ષની કેદની સજા સંભળાવી છે જ્યારે બાકીના 62 લોકોને શંકાનો લાભ આપીને નિર્દોષ જાહેર કર્યા છે. કોર્ટના એક અધિકારીએ પીટીઆઈને જણાવ્યું. ન્યાયાધીશ ચુકાદો જાહેર કરે તે પહેલા તમામ શકમંદોને ન્યુ સેન્ટ્રલ જેલ, બહાવલપુરમાંથી કડક સુરક્ષા વચ્ચે કોર્ટમાં લાવવામાં આવ્યા હતા.


અધિકારીએ જણાવ્યું હતું કે ફરિયાદ પક્ષે ફૂટેજના રૂપમાં સંબંધિત પુરાવા રજૂ કર્યા બાદ અને તેમની વિરુદ્ધ સાક્ષીઓએ જુબાની આપી હતી તે પછી કોર્ટે 22 આરોપીઓને સજા સંભળાવી હતી. સર્વોચ્ચ અદાલતના આદેશ પર, સરકારે અગાઉ શકમંદો પાસેથી PKR 1 મિલિયન (USD 5,300) કરતાં વધુ વળતર વસૂલ્યું હતું.

બાદમાં સુપ્રીમ કોર્ટના આદેશ પર મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પાકિસ્તાનના મુખ્ય ન્યાયાધીશ ગુલઝાર અહેમદે ખેદ વ્યક્ત કર્યો હતો કે ગણેશ મંદિરમાં તોડફોડથી દેશને શરમ આવે છે કારણ કે પોલીસે મૂક પ્રેક્ષકની જેમ કામ કર્યું હતું. 

12 May, 2022 06:20 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK