Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


મૅનટાસ્ટિકના બીજા એપિસોડમાં આપણે જાણીશું જય પટેલની જર્ની વિશે. (તસવીર ડિઝાઇન : કિશોર સોસા)

Mantastic: જીવનના અંધકારમાં સૂર ભેળવી અન્ય પ્રજ્ઞાચક્ષુઓને પણ રાહ ચીંધી જય પટેલે

એક ખૂબ જ જાણીતી હિન્દી ફિલ્મનો જાણીતો સંવાદ છે “મર્દ કો કભી દર્દ નહીં હોતા”, પુરુષોનું આવું જ ચિત્રણ કવિ નર્મદ પોતાની કવિતામાં કરતાં લખે છે “મર્દ તેહનું નામ, સમો આવ્યો કે ચાલે; કનક કામિની તજી, સજી રણમાં મ્હાલે.” પુરુષોની આ કઠણ અને કડક વલણ ધરાવતી છબી કાયમ રાખવામાં સમાજે દિલથી મહેનત કરી છે. લોકો એ વાતને તો સ્વીકારે છે કે પુરુષો નારિયેળ જેવા છે, પણ તેનાથી પણ ઓછા લોકો સમજી શકે છે કે આ નારિયેળની અંદર લાગણીઓની ભીનાશ યથાવત્ છે. આ જ્ઞાન ઠોકીને પુરુષોને મહાન ચિતરવાનો પ્રયાસ અમે કરતાં નથી, પણ તમામ મર્દ જે “દર્દ” વેઠીને પણ સમાજમાં પરિવર્તન લાવવા માટે મથી રહ્યાં છે તેમની વાર્તા તમારા સુધી પહોંચાડવાના નમ્ર પ્રયાસરૂપે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે એક વિશેષ સિરીઝ ‘મૅનટાસ્ટિક’. આ સિરીઝમાં આપણે મળીશું એવા પુરુષોને જેમણે તનતોડ મહેનત કરી કંઈક નવું ઉકાળ્યું હોય.

24 July, 2024 10:05 IST | Ahmedabad | Viren Chhaya
યોજના હેઠળ, લગભગ 15,000 બાંધકામ કામદારોને રોજના 5 રૂપિયાના નજીવા દરે કામચલાઉ આવાસ આપવામાં આવશે.

ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે શરૂ કરી `શ્રમિક બસેરા યોજના`, જુઓ તસવીરો

ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે `શ્રમિક બસેરા યોજના` શરૂ કરી. તસવીરો: એક્સ

18 July, 2024 09:47 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
આહવા પાસે આવેલા શિવઘાટ પાસે ઝરણું વહેતું થતાં મન મૂકીને નઝારો માણતા સહેલાણીઓ

ડાંગમાં ગીરા અને ગીરમાળ ધોધે નયનરમ્ય નઝારો સરજ્યો

પર્વતોની હારમાળા વચ્ચે વસેલા ડાંગ અને એની ઉપરવાસમાં ભરપૂર માત્રામાં વરસાદ પડ્યો છે એટલે ડાંગની અંબિકા, પૂર્ણા, ખાપરી સહિતની નદીઓમાં આવેલા પાણીને પગલે ડાંગના ગીરા ધોધ અને ગીરમાળ ધોધ જીવંત બન્યા છે અને નયનરમ્ય નઝારો સર્જાયો છે. ધોધની સાથોસાથ ડાંગના પહાડોમાંથી ઝરણાં વહેતાં થતાં સહેલાણીઓ નઝારો માણવા ઊમટી રહ્યા છે.

18 July, 2024 04:20 IST | Dang | Gujarati Mid-day Online Correspondent
તસવીરો: કર્મા ફાઉન્ડેશન

કર્મા ફાઉન્ડેશનની સક્ષમ કન્યા યોજના અંતર્ગત 370 કન્યાઓને મળી આજીવન શિષ્યવૃત્તિ

કર્મા ફાઉન્ડેશ દ્વારા તાજેતરમાં સક્ષમ કન્યા યોજનાની ચોથી આવૃત્તિની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમ 2021માં સ્થાપક ચિરંજીવ પટેલ દ્વારા આજીવન શિક્ષણ દ્વારા કન્યાઓને સશક્ત કરવા માટે શરૂ કરવામાં આવ્યો હતો.

15 July, 2024 07:42 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
ભગવાનનો રથ ખેંચી રહેલા સીએમ ભૂપેન્દ્ર પટેલ અને જગતના નાથનું દિવ્ય સ્વરૂપ

નગરચર્યાએ નીકળ્યા નાથ! CM ભૂપેન્દ્ર પટેલે કરી પહિંદ વિધિ, રથનું થયું પ્રસ્થાન

જેનો સૌ કોઈને ઇંતેજાર હતો એ ક્ષણ આવી ગઈ છે. આજે અષાઢી બીજ નિમિત્તે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ૧૪૭મી રથયાત્રાનું નગરચર્યા માટે પ્રસ્થાન થઈ ગયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વહેલી સવારે મંદિરમાં પહોંચી પૂજા-અર્ચના કરી હતી. ગૃહ રાજ્યમંત્રી  હર્ષ સંઘવી, ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા વગેરે પણ દરવર્ષે થતી પરંપરામાં પ્રાણ પૂરવા પહિંદ વિધિમાં જોડાયા હતા.

07 July, 2024 11:35 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
સુરત પોલીસ દ્વારા સમર કેમ્પની યાદગાર તસવીરો

સુરત પોલીસ દ્વારા જ્ઞાન, ગમ્મત સાથેનો સમર કેમ્પ સંપન્ન, જુઓ તસવીરો

વિદ્યાર્થીઓમાં કાયદાઓ અંગે જાગરૂકતા આવે તે મ જ તેઑ આદર્શ નાગરિક તરીકે પોતાના પંથે પ્રયાણ કરી શકે એ હેતુસર સુરક્ષા સેતુ યોજના અંતર્ગત સુરત શહેર પોલીસ દ્વારા સાત દિવસના સમર કેમ્પનું આયોજન પાર પડ્યું. જેમાં ૬૦૦થી પણ વધારે વિદ્યાર્થીઓએ હોંશભેર ભાગ લીધો હતો. જે.બી ડાયમંડ સ્કૂલ ખાતે વિવિધ શાળાનાં વિદ્યાર્થીઓ માટે યોજાયેલ આ કેમ્પમાં સુરત શહેર પોલીસ સહિત રાજ્ય શિક્ષણમંત્રીશ્રી પ્રફૂલભાઇ પાનશેરીયા પણ ઉપસ્થી રહ્યા હતા. જુઓ આ કેમ્પની કેટલીક તસવીરો

15 June, 2024 01:00 IST | Surat | Dharmik Parmar
એક બૉક્સમાં ભરાય છે લગભગ 3 કિલો જેટલી કેસર કેરી અને અમેરિકામાં આ એક બૉક્સ લગભગ 30થી 38 ડૉલરની કિંમતે વેચવામાં આવે છે.

ગુજરાત: કેસર કેરીનું ફૅન બન્યું અમેરિકા, નિકાસ વધ્યા બાદ ખેડૂતોની કમાણી ડૉલરમાં

અમેરિકન્સને મોટાભાગે ભારતીય કેરી પસંદ પડતી હોય છે. કેસર, બંગનપલ્લી અને અલ્ફાન્સો અમેરિકામાં વધારે પૉપ્યુલર છે. એવામાં હવે ગુજરાતની કેસર કેરીનો સ્વાદ અમેરિકાની પહેલી પસંદ બન્યો છે. આ જ કારણ છે કે અમદાવાદ સિવાય બાવળામાં સ્થિત ઇ-રેડિએશન પ્લાન્ટથી આ વર્ષે (2024)માં 215 ટનથી વધારે કેસર કેરી અમેરિકા મોકલવામાં આવે છે.

13 June, 2024 03:30 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
એમબીએના વિદ્યાર્થીઓએ લીધી વનતારાની મુલાકાત (તસવીરો : પીઆર)

અનંત અંબાણીના વનતારાની MBAના વિદ્યાર્થીઓએ લીધી મુલાકાત, જુઓ તસવીરોમાં

વનતારા અભયારણ્ય ખાતે યોજવામાં આવેલા ત્રણ-દિવસના કાર્યક્રમમાં ભારતની 45 પ્રતિષ્ઠિત કૉલેજોના 132 વિદ્યાર્થીઓએ અહીં વન્યજીવ સંરક્ષણ બાબતે જ્ઞાન આની આ બાબતે કંઈક કરવાનો અંગે માહિતી મેળવી હતી. અહીં આવેલા વિદ્યાર્થીઓને ચાર બેચમાં વિભાજિત કરવામાં આવ્યા હતા. જેમાં તેમને સંરક્ષણ, વન્યજીવન અને પર્યાવરણ વિશે જાગૃતિ અને શિક્ષણ આપવામાં આવ્યું હતું. (તસવીરો : પીઆર)

22 May, 2024 05:27 IST | Jamnagar | Gujarati Mid-day Online Correspondent

X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK