Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


અશોક ભાનુશાલી અને પરિવારે કરેલ આર્ટ-વર્ક

Sarangpur: `કષ્ટભંજન દાદા`નો રંગ તને લાગ્યો રે પાંદડાં

અશોક ભાનુશાલીએ અનોખી લેન્સ ટેક્નૉલૉજી વિકસાવી છે. તેઓએ એવો લેન્સ તૈયાર કર્યો છે કે તેના ઉપયોગથી સાચાં ફૂલો અને પાંદડાં પર પ્રિન્ટ કરવામાં આવે છે. વળી, આ પ્રિંટકામ માટે જે રંગનો ઉપયોગ થાય છે તે પણ છે અશોકભાઈ જાતે જ તૈયાર કરે છે. અશોકભાઈ અને તેમનો પરિવાર અયોધ્યાનાં ફૂલો પર જય શ્રી રામ પ્રિન્ટ કરવા જવાનો છે, આ પહેલા તાજેતરમાં જ સાળંગપુરમાં યોજાયેલા ભવ્ય શતામૃત મહોત્સવમાં તેઓનો પરિવાર પહોંચ્યો હતો. સાળંગપુરની ધરતી પર ચંપાના ઝાડના એક-એક પાંદડા પર તેઓ પ્રિન્ટ કામ કરી રહ્યા છે. અશોક ભાનુશાલીએ પોતાના આ સેવા-યજ્ઞ વિષે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે રોચક વાતો શૅર કરી હતી.

24 November, 2023 04:34 IST | Ahmedabad | Dharmik Parmar
રિજિયોનલ સાયન્સ સેન્ટરની તસવીરો

Photos: ગુજરાતના શહેરોમાં 100 કરોડના ખર્ચે બનાવાયા છે રિજિયોનલ સાયન્સ સેન્ટર

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને નેતૃત્વમાં ગુજરાત રાજ્યમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીના પ્રચાર માટે અને વિદ્યાર્થીઓને ઇનોવેશન કરવા માટે એક આદર્શ પ્લેટફોર્મ પૂરું પાડવાના ઉદ્દેશથી વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઑન સાયન્સ ઍન્ડ ટેક્નોલોજી (GUJCOST) દ્વારા રાજ્યના પાટણ, ભાવનગર, ભુજ અને રાજકોટ ખાતે ચાર રિજિયોનલ સાયન્સ સેન્ટર (RSC)નું નિર્માણ કરવામાં આવ્યું છે. (તમામ તસવીરો: પીઆર)

17 November, 2023 05:48 IST | Gandhinagar | Gujarati Mid-day Online Correspondent
સ્વામિનારાયણ મંદિર, સરથાણા ખાતે શરદોત્સવની ઉજવણી

સુરતના સ્વામિનારાયણ મંદિરમાં શરદોત્સવની ભવ્ય ઉજવણી, ભક્તોએ બોલાવી રાસની રમઝટ

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના સરથાણા ખાતે આવેલા મંદિરમાં શરદ પૂર્ણિમા નિમિત્તે શરદોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉત્સવ દરમિયાન સંતો અને બૅન્ડના સભ્યો દ્વારા કીર્તન-સંગીતની રજૂઆત કરવામાં આવી હતી. આ ઉત્સવમાં ભક્તોએ રાસ ખેલ્યો હતો.

30 October, 2023 05:56 IST | Surat | Gujarati Mid-day Online Correspondent
પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને શરદોત્સવની સભા

ગોંડલમાં ગુણાતીતાનંદ સ્વામીનો ૨૩૯મો જન્મોત્સવ ઉજવાયો, આતશબાજીથી આકાશ થયું ઝળાહળા

અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીનો જન્મ શરદ પૂર્ણિમાને દિવસે થયો હતો. આ વર્ષે તેમના ૨૩૯મા અક્ષર જન્મોત્સવની ઉજવણી ગોંડલ ખાતે અતિ ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી. બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના સંતો, હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સાંજે પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરક ઉપસ્થિતિમાં શરદોત્સવની સભાનું આયોજન થયું હતું.

30 October, 2023 12:31 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
અંકુર દવે

જો ગરબાના મોટા આયોજનો બંધ થઈ જાય તો? સુરેન્દ્રનગરના સિંગર અંકુર દવેનો અનુભવ જાણો

જે ઉમંગ અને ઉત્સાહ સાથે નવરાત્રીનો આરંભ થયો હતો એનાથી બમણાં આનંદ સાથે શરદ પૂર્ણિમાની પણ ઉજવણી થઈ. દેશના ખૂણે ખૂણે માતાજીની આરાધના થઈ. ખાસ કરીને ગુજરાત અને મુંબઈમાં ગુજરાતીઓએ માતાજીના ગરબા ગાયાં અને મન મૂકીને ગરબે ઝૂમ્યાં. કલાકારોના સૂર પર ખેલૈયાઓએ રમઝટ બોલાવી ગરબા રમવાનો ભરપુર આનંદ માણ્યો. ત્યારે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે ઝાલાવાડ સુરેન્દ્રનગરના લોકપ્રિય ગાયક કલાકાર અંકુર દવે સાથે ખાસ વાતચીત કરી હતી. અંકુર દવે છેલ્લા 20 વર્ષથી ઝાલાવડમાં સંગીત ક્ષેત્રે કાર્યરત છે. તેમના પત્ની ગાયત્રી અંકુર દવે પણ સંગીતના ઉપાસક છે. 

29 October, 2023 03:35 IST | Mumbai | Nirali Kalani
સાળંગપુરમાં તૈયાર થવા જઈ રહેલા `ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન`ની તસવીર

Gujarat: શતામૃત મહોત્સવને લઈ સાળંગપુરમાં તૈયાર થઈ રહ્યું છે હાઇટેક ગેસ્ટ હાઉસ!

વડતાલધામ શતામૃત મહોત્સવને લઈને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. અનેક લોકો આ મહોત્સવનો લાભ લેવા માટે સાળંગપુર જશે. આ જ યાત્રિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ દ્વારા હનુમાનજી મંદિર વિસ્તારમાં 1000થી વધુ રૂમવાળું `ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન` તૈયાર કરવામાં આવી રહ્યું છે. આવો, આ ભવ્ય ગેસ્ટ હાઉસની વિશેષતાઓ જોઈએ.

27 October, 2023 05:00 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
કિન્નર સમાજ અને પ્રજ્ઞાચક્ષુ બાળાઓ માટેના રાસ-ગરબા

Navratri 2023: જુનાગઢના કિન્નર સમાજ અને પ્રજ્ઞાચક્ષુ બાળાઓએ ખેલી પ્રાચીન ગરબીઓ!

Navratri 2023: નવરાત્રી નિમિત્તે ગુજરાતભરમાં ગરબાનું આયોજન કરવામાં આવે છે. આજે પણ ડી. જે અને ફિલ્મી ગીતોની વચ્ચે પ્રાચીન ગરબીઓ રમવામાં આવે છે. આવો જ એક પરંપરાગત ગરબાનો કાર્યક્રમ જુનાગઢમાં યોજવામાં આવ્યો હતો. `સત્યમ સેવા યુવક મંડળ` દ્વારા કિન્નર સમાજ અને પ્રજ્ઞાચક્ષુ બાળાઓ માટે રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.

22 October, 2023 11:56 IST | Ahmedabad | Dharmik Parmar
મહાત્મા ગાંધી અને તરલા બહેન શાહ

Gandhi Jayanti 2023 : મળો આ વ્યક્તિઓને જેમણે મીઠું ઉપાડ્યું ગાંધી વિચારનું...’

દરવર્ષે ૨જી ઓકટોબરના રોજ ગાંધી જયંતી ઉજવવામાં આવે છે. આ વર્ષે મહાત્મા ગાંધીજીની ૧૫૪મી જન્મ જયંતીનો અવસર છે. સમગ્ર દેશમાં આ દિવસે મહાત્મા ગાંધીને યાદ કરવામાં આવે છે. આ સાથે જ બાપુના વિચારો-કાર્યોને સમજવાનો પ્રયાસ કરવામાં આવે છે. આવો, ગાંધી જયંતી નિમિતે એવી કેટલાક વ્યક્તિઓને મળીએ જેઓ સંપૂર્ણપણે ગાંધી વિચારધારાને પોતાના જીવનમાં અનુસરી રહ્યા છે. આ એવી વ્યક્તિઓ છે જેઓએ ગાંધી બાપુના વિચારોને જ નહીં પણ તેમના સેવા કાર્યોની ધૂણી પણ યથાવત રાખી છે.

29 September, 2023 04:09 IST | Ahmedabad | Dharmik Parmar

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK