ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ગઈ કાલે બાવળામાં ચૂંટણીસભાને સંબોધવા આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આશીર્વાદ આપવા ૧૦૪ વર્ષની ઉંમરનાં માણેકબા આવ્યાં હતાં
૧૦૪ વર્ષનાં માણેકબા આશીર્વાદ આપવા આવતાં નરેન્દ્ર મોદી ભાવુક બન્યા
અમદાવાદ ઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ગઈ કાલે બાવળામાં ચૂંટણીસભાને સંબોધવા આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આશીર્વાદ આપવા ૧૦૪ વર્ષની ઉંમરનાં માણેકબા આવ્યાં હતાં અને તેમને મળીને આશીર્વાદ આપીને વાત કરતાં નરેન્દ્ર મોદી ભાવુક બન્યા હતા.
પોતાના ભાષણાં નરેન્દ્ર મોદીએ આ વાતનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે ‘મારા માટે સુખદ આશ્ચર્ય અને આનંદ એ છે કે ૧૦૪ વર્ષનાં મારાં માણેકબાએ અહીં આવીને મને આશીર્વાદ આપ્યા અને ઝીણામાં ઝીણી મારી પૂછપરછ કરી. આ મારું સૌભાગ્ય છે કે ૧૦૪ વર્ષની ઉંમરે અહીં આવીને મને આશીર્વાદ આપ્યા. આ માતાઓના આશીર્વાદ એ જ આપણી શક્તિ છે, એ જ આપણી પૂંજી છે.’
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)