રામ જેઠમલાણીના મોં ઉપર થૂંકનારને પાંચ લાખ રૂપિયાનું ઇનામ
Published: 13th November, 2012 18:09 IST
જબલપુરના એક સ્થાનિક ધાર્મિક નેતા મહામંડલેશ્વર સ્વામી શ્યામદાસ મહારાજે જાહેરાત કરી છે કે જે કોઈ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીના નેતા રામ જેઠમલાણીના ચહેરા પર થૂંકશે તેને પાંચ લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. હકીકતમાં રામ જેઠમલાણીએ ભગવાન રામને ખરાબ પતિ ગણાવ્યા હતા, એનાથી આ નેતા બહુ અપસેટ છે.
તેમની આ જાહેરાતને પગલે આખા જબલપુરમાં તેમ જ મહારાજના અનુયાયીઓમાં આ વાત ચર્ચાસ્પદ બની ગઈ છે અને તેઓ ગુપ્ત રીતે રામ જેઠમલાણીના ઍડ્રેસની તપાસ પણ કરવા માંડ્યા છે.
રામ જેઠમલાનીના વિધાનનો ગુજરાતમાં પણ ભારે વિરોધ થયો હતો. ગુજરાતમાં કેશુભાઈ પટેલની ગુજરાત પરિવર્તન પાર્ટીએ દરેક તાલુકામાં એટલે કે ગુજરાતના ૨૨૫ તાલુકામાં રામ જેઠમલાનીનું પૂતળાં દહન કર્યું હતું.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK