Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > 15 જુલાઈએ લોન્ચ થશે ચંદ્રયાન-2, રવિવારથી થશે કાઉન્ટ ડાઉન શરૂ

15 જુલાઈએ લોન્ચ થશે ચંદ્રયાન-2, રવિવારથી થશે કાઉન્ટ ડાઉન શરૂ

13 July, 2019 02:10 PM IST |

15 જુલાઈએ લોન્ચ થશે ચંદ્રયાન-2, રવિવારથી થશે કાઉન્ટ ડાઉન શરૂ

15 જુલાઈએ લોન્ચ થશે ચંદ્રયાન-2

15 જુલાઈએ લોન્ચ થશે ચંદ્રયાન-2


Indian space research orgonisation (ISRO)ના મિશન ચંદ્રયાન-2ની ગણતરીઓ શરૂ થઈ ગઈ છે. ઈસરોના પ્રમુખ ડૉ. કે.સિવનને ચંદ્રયાન-2 વિશે માહિતી આપતા કહ્યું હતું કે, મિશનના 20 કલાકનું કાઉન્ટડાઉન 14 જુલાઈ સવારે 6.51 વાગે શરૂ થવાની સંભાવના છે. ચંદ્રયાન-2 15 જુલાઈએ 2 વાગ્યે 51 મિનિટે શ્રી હરિકોટાના સતીશ ધવન સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે. વિદેશી મીડિયા અનુસાર આ મિશનને જોખમભર્યું અને પડકારભર્યું કહ્યું છે.

ISRO સૌથી તાકાતવર GSLV MK-III રોકેટ લોન્ચ વ્હીકલથી ચંદ્રયાન-2 લોન્ચ કરશે જેને બાહુબલી નામ આપવામાં આવ્યું છે. કે.સિવને કહ્યું હતું કે, ચંદ્રયાન-2 વિશેની તમામ માહિતી જાહેર છે. રોકેટ બાહુબલીનું વજન 640 ટન છે જેને અત્યાર સુધીનું સૌથી ઉચુ લોન્ચર કહેવામાં આવી રહ્યું છે. આ લોન્ચરની ઉચાઈ 44 મીટર છે જે 15 માળ ઉચી બિલ્ડીંગ જેટલું છે. આ રોકેટ 4 ટન વજનના સેટલાઈટને લઈ જવામાં સક્ષમ છે. આ રોકેટ લોન્ચરમાં 3 ચરણવાળું એન્જીન લાગ્યું છે.



આ પણ વાંચો: ચંદ્ર પર લહેરાશે ભારતનો તિરંગો, આ વર્ષે જુલાઈમાં લૉન્ચ થશે ચંદ્રયાન-2


GSLV MK-III પોતાની સાથે 3.8 ટન વજન વાળા ચંદ્રયાન-2 સ્પેસક્રાફ્ટને લઈ જશે. બાહુબલીને બનાવવા માટે 375 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. ચંદ્રયાન-2 6 કે 7 સપ્ટેમ્બરે ચાંદની સપાટી પર લેન્ડ કરશે. ચંદ્રયાન-2 ભારત માટે મહત્વનું મિશન માનવામાં આવી રહ્યું છે. ચંદ્રયાન-2 ચંદ્રની સપાટી પર ઉતરશે અને ચંદ્રમાંની સપાટી વિશે માહિતી મેળવશે. ચંદ્રયાન-2 ચંદ્રના એવા ભાગમાં ઉતારવામાં આવી રહ્યું છે જ્યા આજ સુધી કોઈ પણ પ્રકારની તપાસ કરવામાં આવી નથી.


Whatsapp-channel Whatsapp-channel

13 July, 2019 02:10 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK