Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


એકદમ ફરસું અને સ્વાદમાં મજેદાર પંજાબ બેકરી પફ- તસવીર સૌજન્ય પૂજા સાંગાણી

જ્યાફતઃ નડિયાદની શાન અને સ્વાદશોખીનોની `જાન` એટલે પંજાબ બેકરીના `કિંગ ઓફ પફ`

ગુજરાત પાસે ખાણીપીણીનો એવો અખૂટ ખજાનો છે કે દરેક ગામમાં કોઈ એક પ્રખ્યાત વાનગી તો હોય જ. એમાંય જો વાત `સાક્ષરભૂમિ` નડિયાદની હોય, તો ત્યાંનો તો મિજાજ જ કંઈક ઓર છે. સામાન્ય રીતે લોકો નડિયાદને પૂજ્ય સંતરામ મહારાજના મંદિર અને ત્યાં મળતા તીખા-તમતમતા ભુસા એટલે કે ચવાણું માટે ઓળખે છે, પણ જો તમે માત્ર ભુસું ખાઈને પાછા ફર્યા હોવ, તો તમારી નડિયાદની મુલાકાત અધૂરી ગણાશે. તાજેતરમાં જ શિયાળાની ગુલાબી ઠંડીની શરૂઆતમાં એક કૌટુંબિક પ્રસંગે મારે મીના આંટી સાથે નડિયાદ જવાનું થયું અને નડિયાદી ભૂમિ પર પગ મૂકતા જ જાણે તેની પ્રખ્યાત વાનગીઓ મને આમંત્રણ આપતી હોય તેમ પેટમાં ભૂખ સળવળી ગઈ.  એટલે અમે અમારા ફુડી મિત્ર ધ્રુવેશભાઈને ફોન કરી કહ્યું, કંઈક એવું ખવડાવો, જે નડિયાદ સિવાય બીજે ક્યાંય ન મળે અને તેઓ સાથે હોય એટલે બીજું પૂછવું જ શું?  તેઓ અમને `કિંગ ઓફ પફ` પાસે એટલે કે સંતરામ રોડ પર આવેલી પ્રખ્યાત `પંજાબ બેકરી` તરફ લઈ ગયા.  ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)

12 December, 2025 12:23 IST | Nadiad | Gujarati Mid-day Online Correspondent
યુનેસ્કોએ તાજેતરમાં ‘ક્રીએટિવ સિટી ઑફ ગૅસ્ટ્રોનોમી’માં જેને સ્થાન આપ્યું એ લખનઉ શહેરના સમૃદ્ધ અને સંપન્ન ખાનપાનના ઇતિહાસ અને વર્તમાનમાં એક ડોકિયું કરીએ

નવાબ અને કબાબના શહેર તરીકે ઓળખાતા લખનઉના લાજવાબ ફૂડ વિશે કેટલું જાણો છો?

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉ એવું શહેર છે જ્યાં દરેક ગલીમાં નવાબોની વાર્તાઓ ગુંજે છે, જ્યાંનાં સ્થાપત્યો ભૂતકાળના યુગની ગાથા ગાય છે અને જ્યાંનું ભોજન સદીઓથી સાંસ્કૃતિક ઉત્ક્રાન્તિનો જીવંત પુરાવો આપે છે. લખનઉની પાકકલા આ શહેરની વિરાસતમાં વસેલી છે. શહેરનો ઇતિહાસ અને એની ઓળખાણ આજે એના ભોજનને લીધે જ થાય છે એટલું જ નહીં, વૈશ્વિક સ્તરે પણ અહીંના ખાનપાનની ચર્ચા થાય છે. એટલે જ લખનઉને યુનેસ્કોએ એટલે કે યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક અૅન્ડ કલ્ચરલ ઑર્ગેનાઇઝેશને તાજેતરમાં ક્રીએટિવ સિટી ઑફ ગૅસ્ટ્રોનોમીમાં સ્થાન આપ્યું છે. આ સન્માન ગૅસ્ટ્રોનોમી એટલે કે અહીંની પાકકલા માટે છે. અહીંની પાકકલા જીભને સ્વાદિષ્ટ વ્યંજનો પૂરાં પાડવા સુધી સીમિત નથી, એમાં રાંધવાનું વિજ્ઞાન પણ સંકળાયેલું છે.  લખનઉ એના અવધી ખાનપાન અને વૈવિધ્યસભર વારસા માટે જાણીતું છે. અવધના જે સમૃદ્ધ અને શાનદાર સ્વાદ-વારસાને વૈશ્વિક સ્તરે પ્રશંસા મળવા જઈ રહી છે એ માત્ર લખનઉ કે ઉત્તર પ્રદેશ માટે જ નહીં પરંતુ સમગ્ર ભારત દેશ માટે ગર્વ લેવા જેવી વાત છે. આ અગાઉ હૈદરાબાદને યુનેસ્કો દ્વારા ક્રીએટિવ સિટી ઑફ ગૅસ્ટ્રોનૉમીમાં સ્થાન મળ્યું હતું. ત્યાર બાદ લખનઉ બીજું એવું શહેર બન્યું છે જેને આ ખિતાબ મળ્યો છે. અર્થાત્, અહીંની પાકકલામાં કંઈક તો એવો જાદુ છે અને અહીંના સ્વાદમાં એવી તો કોઈ ખાસિયત છે જેને લીધે યુનેસ્કો પાસેથી એને આ વિશેષ ખિતાબ મળ્યો છે.  યુનેસ્કો કેવી રીતે પસંદગી કરે છે? જે શહેરમાં ખાવાનું બનાવવું માત્ર સ્વાદેન્દ્રિયની સંતુષ્ટિ પૂરતું સીમિત ન હોય અને એમાં જીવનશૈલી, ઇતિહાસ તથા પરંપરા પણ સામેલ હોય એને ગૅસ્ટ્રોનોમી કૅટેગરીમાં સામેલ કરવામાં આવે છે. એટલે કે રસોઈમાં સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ અને રસોઈ બનાવવામાં પરંપરાગત પદ્ધતિ જળવાઈ રહેલી હોય તેમ જ આ શહેરના ફૂડમાં ન્યુટ્રિશન લેવલ અને બાયો-ડાઇવર્સિટી પર પણ ધ્યાન આપવામાં આવતું હોય એવા અનેક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને શહેરને ગૅસ્ટ્રોનોમી કૅટેગરીમાં સામેલ કરવામાં આવે છે. લખનઉ આ તમામ કૅટેગરીમાં સામેલ થતું હોવાથી એને યુનેસ્કોની ક્રીએટિવ સિટી ઑફ ગૅસ્ટ્રોનોમીમાં સ્થાન આપવામાં આવ્યું છે. લખનઉ જ કેમ? યુનેસ્કોએ જ્યારે ગૅસ્ટ્રોનોમીની યાદીમાં લખનઉનું નામ જાહેર કર્યું ત્યારે દરેકના મનમાં પ્રશ્ન ઊભો થયો હતો કે લખનઉ જ કેમ? ભારતનાં અનેક શહેર છે જે એનાં ખાનપાનને લઈને પ્રસિદ્ધ છે અને કેટલાંક તો ઊંડો ઇતિહાસ પણ ધરાવે છે. તો કેટલાંક શહેરોનાં વ્યંજનો વિશ્વભરમાં વખણાય પણ છે. તો તમને જણાવી દઈએ કે એનું કારણ છે સદીઓ જૂની અવધી વાનગીઓ. લખનઉ એના અવધી વ્યંજન માટે ખૂબ પ્રખ્યાત છે જેમાં શાકાહારી અને માંસાહારી એમ બન્નેનો સમાવેશ થાય છે. લખનઉનું ભોજન સંસ્કૃતિથી અલગ નથી. એ એક સંસ્કૃતિ જ છે. દરેક વાનગી રાંધણકળાની આગવી પરંપરાઓની ગાથા રજૂ કરે છે. ઇતિહાસકાર રાણા સફવીએ એક લેખમાં લખ્યું હતું કે લખનઉમાં જ્યારે નવાબો વસતા હતા ત્યારે તેમના દ્વારા કરવામાં આવતી અલગ-અલગ પ્રકારની સિફારિશ અને જરૂરિયાતના આધારે વિવિધ સામગ્રી અને પદ્ધતિથી કબાબ, બિરયાની વગેરે બનાવવામાં આવતાં અને નવાબો સમક્ષ રજૂ કરવામાં આવતાં. નવાબો તો હવે અહીં રહ્યા નથી પરંતુ તેમની ફરમાઈશ પર બનાવવામાં આવતી વિશેષ પ્રકારની વાનગીઓ હજી પણ લખનઉમાં એ જ ઢબે બને છે.  અવધી વાનગીઓનો ઇતિહાસ દરેક જગ્યાએ લખનઉની વાનગીઓનો અલગ-અલગ ઇતિહાસ વર્ણવવામાં આવેલો છે પરંતુ જે સૌથી વધારે પ્રચલિત છે એ મુજબ, અવધી ભોજનનો ઇતિહાસ ૧૮મી સદીના અંતમાં નવાબોએ રાજધાની ફૈઝાબાદથી લખનઉ ખસેડી એ પહેલાંનો છે. કવિતાઓ અને વાર્તાઓમાં લખનઉનાં રાંધણકૌશલ્યનાં ઉલ્લેખ મળે છે. લખનઉનાં વ્યંજનો અને મિષ્ટાન્નનો ઇતિહાસ મુગલ અને નવાબી યુગ દ્વારા ઘડાયેલો છે જેમાં ફારસી અને ભારતીય પ્રભાવોને મિશ્ર કરીને અવધી ભોજન બનાવવામાં આવ્યું હતું. શાહી રસોડાંઓ દ્વારા કબાબ, બિરયાની અને કોરમા જેવી વાનગીઓ માટે દમ પુખ્ત જેવી તકનીકો વિકસાવી હતી. સમય જતાં આ શાહી વાનગીઓ લોકપ્રિય બની અને શહેરનું પ્રિય સ્ટ્રીટફૂડ બની ગયું. મુગલ સામ્રાજ્યના પતન પછી ઘણા ખાનસામા (શાહી રસોઈયા) રિયાસતો (રજવાડાંઓ) અને તાલુકદાર (જમીનદાર)માં સ્થળાંતર થયા. આમ અવધી શાસન હેઠળ શાહી ભોજનનો વિકાસ થયો અને કંઈક અનોખું બન્યું. મુખ્ય સમયગાળા અને એનો પ્રભાવ મુગલ યુગ : આ સમય દરમિયાન અવધી ભોજનનો પાયો નાખવામાં આવ્યો હતો જેમાં ફારસી પ્રભાવોએ નવી રસોઈશૈલીઓ અને ઘટકો રજૂ કર્યાં હતાં. નવાબી યુગ : લખનઉમાં અવધના શાસકોએ આ ભોજનને નવી ઊંચાઈએ પહોંચાડ્યું. શાહી રસોઈયાઓએ તકનીકોમાં સુધારો કર્યો અને નવી વાનગીઓ બનાવી. સ્ટ્રીટફૂડ ઉત્ક્રાન્તિ : સમય જતાં કબાબ અને બિરયાની જેવી આ અત્યાધુનિક વાનગીઓ, મહેલોથી શહેરનાં બજારોમાં ખસેડવામાં આવી જ્યાં એ પ્રખ્યાત સ્ટ્રીટફૂડ સંસ્કૃતિનો આધાર બની. લખનઉનાં ભોજનની વિશેષતા લખનઉનાં ભોજનનો સ્વાદ અન્ય ઘણી ભારતીય પ્રાદેશિક વાનગીઓ કરતાં તદ્દન વિપરીત છે. સીલબંધ કન્ટેનરમાં ધીમી આંચે પકવીને વાનગીમાં ખાસ ફ્લેવર ઉમેરવાની પદ્ધતિ જેને દમ આપવો કહેવાય છે એ અને શુદ્ધ મસાલાનો ઉપયોગ લખનઉની ખાસિયત છે. લખનઉનાં ભોજનની એક ઓળખ એ છે કે એમાં એલચી, લવિંગ, તજ અને કેસર જેવા મસાલાઓનો ઉપયોગ કરવામાં આવે છે જે એક અલગ પરંપરાગત સ્વાદ આપે છે. આ રાંધણવારસામાંથી જન્મેલી વાનગીઓમાં કબાબ, લખનવી બિરયાની અને શીરમલનો સમાવેશ થાય છે. નવાબોના શહેરની પ્રતિષ્ઠિત વાનગીઓ લખનઉના રાંધણવારસાની કોઈ પણ ચર્ચા એની પ્રતિષ્ઠિત વાનગીઓનો ઉલ્લેખ કર્યા વિના પૂર્ણ થતી નથી. નો ડાઉટ અહીં નૉન-વેજ ફૂડની વરાઇટી વધારે છે અને એ ફેમસ પણ એટલાં જ છે, તેમ છતાં અહીં શાકાહારી ડિશમાં પણ એટલું જ વૈવિધ્ય છે જેમ કે વેજ કબાબ, વેજ બિરયાની, આલૂ રસેદાર, તેહરી (શાકભાજીવાળા ભાત), કચોરી અને બાસ્કેટ ચાટ જેવી વાનગીઓ. મિષ્ટાન્નમાં મખ્ખન મલાઈ, શીરમલ અને મલાઈ પાન આવે છે. હરદયાલ મૌર્યની બાસ્કેટ ચાટ લખનઉની વાત થતી હોય અને એમાં ચાટ-આઇટમ પર ચર્ચા થઈ રહી હોય ત્યારે હરદયાલ મૌર્યનું નામ યાદ આવ્યા વગર ન રહે. તેમની ચાટ-આઇટમ અને ખાસ કરીને બાસ્કેટ ચાટ એટલી પ્રખ્યાત છે કે તેઓ ચાટ કિંગ તરીકે પ્રખ્યાત છે. તેમના ફૂડને અનેક અવૉર્ડ પણ મળી ચૂક્યા છે. નેટફ્લિક્સના સ્ટ્રીટ ફૂડ : ઇન્ડિયા અને ઇન્ડિયા ટુડેના ટૉપ ૧૦ સ્ટ્રીટ ફૂડ લેજન્ડ્સમાં પણ હરદયાલનું નામ આવી ચૂક્યું છે. વાત જાણે એમ છે કે ૧૯૯૧ની સાલમાં તેમણે બાસ્કેટ પૂરી લૉન્ચ કરી હતી. એ બાસ્કેટ બટાટાની કતરણમાંથી બનાવવામાં આવી હતી અને એમાં થોડો ફૂડ કલર પણ ઉમેરવામાં આવ્યો હતો. એને બાસ્કેટના શેપમાં તળીને એની અંદર અલગ-અલગ ચાટ જેમ કે રગડા ચાટ, પાપડી ચાટ, દહીં ચાટ વગેરે નાખીને આપવામાં આવે છે. એટલે ચાટ આઇટમની સાથે બાસ્કેટને પણ ખાઈ શકાય છે. તેમણે રજૂ કરેલી આ આઇટમ એટલીબધી યુનિક હતી કે ભારતમાં જ નહીં પણ વિદેશમાં પણ આ આઇટમ પ્રત્યે લોકોનું ધ્યાન ખેંચાયું હતું.

07 December, 2025 03:54 IST | Lucknow | Darshini Vashi
ઉંબાડિયું હોય કે ઉંધીયું કે પછી લીલી કચોરી, તુવેર દાણાનો ઉપયોગ તમામ વાનગીને સ્વાદિષ્ટ બનાવે છે - તસવીર સૌજન્ય પૂજા સાંગાણી

જ્યાફતઃ શિયાળાની સિગ્નેચર સામગ્રી લીલી તુવેરની અવનવી રેસિપીઝ

ઠંડીના આગમન સાથે જ જાણે રસોડામાં તાજા શાકભાજીની મહેફિલ જામી ગઈ હોય એવું લાગે છે. અને એમાંય વાત જ્યારે ગુજરાતી શિયાળુ વાનગીઓની આવે, ત્યારે મારા મનમાં માત્ર એક જ નામ ગુંજે, લીલી તુવેર (અથવા લીલવા). આ લીલાછમ, મીઠા દાણા માત્ર એક સામગ્રી નથી, પણ બાળપણની મીઠી યાદો, મમ્મીના હાથની હૂંફ અને આપણા રસોડાની સંસ્કૃતિ છે. ખાસ કરીને ઉત્તરાયણનું ઊંધિયું હોય કે વલસાડી ઊંબાડિયું, ઉત્તર ગુજરાતના પ્રખ્યાત `તુવેર ટોઠા` હોય કે પછી તુવેર ઢોકળી; આ યાદી અહીં જ અટકતી નથી. પુલાવ, રીંગણ-તુવેર, ઢેબરાં, કઢી, ખીચડી, વડાં, પોળી, ઘી-તુવેર, મિસળ અને ઢેકરા જેવી અનેક વાનગીઓમાં તુવેરના દાણા જે સહજતાથી ભળી જાય છે, તે જોઈને લાગે છે કે ગુજરાતી રસોડામાં જાણે સ્વાદનો જાદુ પથરાઈ ગયો હોય. મને આજે પણ યાદ છે, બપોરની નવરાશમાં મમ્મી જ્યારે હિંચકા પર બેસીને દાણા ફોલતી, અને અમે બાળકો તુવેરનો આનંદ માણતા. એ નિર્દોષ મજા અને મીઠામાં બાફેલા દાણાનો સ્વાદ... આજે પણ જીભ પર રમ્યા કરે છે. તો, આ શિયાળે, ચાલો આપણે લીલવાની અદ્ભુત દુનિયામાં ખોવાઈ જઈએ અને ગુજરાતની હોમ શેફ્સ પાસેથી એવી ખાસ વાનગીઓ શીખીએ, જે સ્વાદની સાથે આપણી સંસ્કૃતિની સુગંધ પણ પીરસશે.  ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)

05 December, 2025 03:36 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
ડાકોર રણછોડરાયજીના મંદિર માટે જેટલું જાણીતું છે એટલું જ તે પ્રખ્યાત છે ગોટા માટે - તસવીર સૌજન્ય પૂજા સાંગાણી

Jyaafat: ડાકોરના દૂધ ગોટાનું `દહીં` કનેક્શન એટલે સ્વાદ અને શ્રદ્ધાનો સંગમ

ગુજરાતની યાત્રાધામ પરંપરામાં ડાકોરનું સ્થાન માત્ર નકશામાં નોંધાયેલું એક શહેર નથી, પરંતુ રણછોડરાયજીના દર્શનથી લઈને ગોમતી તળાવની નિર્વિકાર શાંતિ સુધી લાખો શ્રદ્ધાળુઓ માટે એક ઊંડો આધ્યાત્મિક પ્રવાસ છે. `મિની દ્વારકા` ગણાતા આ ડાકોરમાં આવો ત્યારે આ પવિત્ર અનુભવ ત્યારે જ પૂર્ણ ગણાય, જ્યારે યાત્રી ડાકોરની ધરતી પર મળતા દૂધ ગોટાના દિવ્ય સ્વાદનો અનુભવ કરે. ચણાના લોટ અને મસાલાથી બનેલા આ ગોટા માત્ર એક સામાન્ય ફરસાણ નથી, પરંતુ પેઢીઓથી ચાલતી પરંપરા, વિશ્વાસ અને સ્વાદનું એવું જીવંત પ્રતીક છે, જેનું નામ સાંભળતાં જ મોંમાં પાણી આવી જાય છે. બન્યું એવુ કે આ વર્ષની દેવ દિવાળીના શુભ દિવસે, ડાકોરના ઠાકોરનાં દર્શન કરવાનો મોકો મળ્યો. જેમાં મારી બાળપણની મિત્ર માનસી, તેની બે (ચાર વર્ષની) જુડવા દીકરીઓ સ્વરા અને સારા, અને અમારી ખાસ મિત્ર રાખી જોબનપુત્રા સાથે અમે ડાકોર પહોંચ્યા.  ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)

28 November, 2025 02:40 IST | Dakor | Gujarati Mid-day Online Correspondent
આજનાં વન્ડર વુમન છે અર્ચના ગોહેલ (તસવીર ડિઝાઇન - કિશોર સોસા)

વન્ડર વુમન: સાઉદી અરેબિયામાં ગુજરાતી વાનગીઓ અને નાસતાનો ચસકો લગાવ્યો છે આ બહેને

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે `વન્ડર વુમન`ની ખાસ રજૂઆત. આમ તો સમાજની દરેક મહિલા પોતાના ‘સ્ત્રીત્વ’ના બળે જીવનમાં ઊંચાઈને પામે છે. વળી, આપણી આસપાસ પણ એવી અનેક મહિલાઓ છે, જેમના સમર્પણ, જુસ્સા અને અડગ નિશ્ચયે તેમને નવા મુકામ આપ્યા છે! એક સ્ત્રી ધારે તો શું ન કરી શકે? નિર્દોષ, નિષ્કામ ને નિરાભિમાની નજર વડે જોશો તો પુરુષ સમોવડી થયેલી અનેક સ્ત્રીઓના પ્રેરણાદાયી ઉદાહરણો તમને સાંપડશે. મોટી ઉંમરના ઉંબરાને પણ સહજતાથી ઠેંકીને સ્ત્રી પોતાના શોખને જીવંત કરતી હોય છે. અહીં અમે એવી જ પ્રેરક મહિલાઓની વાત માંડીશું જેઓએ ધીરજ અને આત્મવિશ્વાસની આંગળી પકડીને જીવનમાં નવેસરથી ડગ ભર્યાં છે. ન માત્ર પોતાના કે પોતાના પરિવાર માટે કિન્તુ સમાજના બળબળતાં પ્રશ્નો સામે ઝઝૂમવા માટે મીટ માંડી છે. બેચલરની ડિગ્રી હોય, બિઝનેસ હોય કે પછી હોય બૉક્સિંગ! આ પ્રેરણાદાયી મહિલા તો સમાજની સૌ સ્ત્રી માટે અજવાળું બની છે. આજનાં આપણા વન્ડર વુમન છે અર્ચના ગોહેલ જેમણે સાઉદી અરેબિયામાં ભારતીય વાગની ખાસ કરીને ઓથેન્ટિક ગુજરાતી નાસતાનો ચસકો લગાવ્યો અને તેમના આ નાસતાની ડિમાન્ડ દિવસેને દિવસે વધી જ રહી છે. તો ચાલો આજે જાણીએ કે મૂળ ગુજરાતના વતની અર્ચનાબેહેનના હાથની વાનગીઓ કેવી રીતે સાઉદીમાં બની ગઈ પ્રખ્યાત.

26 November, 2025 03:19 IST | Mumbai | Viren Chhaya
આ થાળી મન મોહે તેવી છે અને સ્વાદ તો યાદ રહી જાય તેવો - તસવીર સૌજન્ય પૂજા સાંગાણી

જ્યાફતઃ ઠંડીમાં ચૂલાના રોટલા, તુવેરટોઠા, કાજુ લસણ અને લીલી હળદરના શાકની જમાવટ

શિયાળાની સવાર અને સાંજ જ્યારે ગુલાબી ઠંડીનો અહેસાસ કરાવે, ત્યારે ગુજરાતીઓના મનમાં સૌથી પહેલો વિચાર એક જ આવે ગરમાગરમ, ઘીથી લદબદ અને મસાલેદાર દેશી ભોજન. જો તમે પણ કાઠિયાવાડી ભોજનના સાચા રસિયા હો, અને સ્વાદની શોધમાં અમદાવાદથી લોંગ ડ્રાઈવ પર નીકળવા તૈયાર હો, તો ગાંધીનગર પાસેનું ‘રાંધેજા’ ગામ તમારા માટે એક તીર્થસ્થાન સમાન બનશે. આમ તો રાંધેજા છેલ્લા ૯૫ વર્ષથી તેની પ્રખ્યાત ‘ભેળ’ માટે જાણીતું છે, પરંતુ છેલ્લા સાત વર્ષથી અહીં એક નવું આકર્ષણ ઉમેરાયું છે, જે શિયાળાના મેનૂનો સરતાજ બની ગયું છે. આ સ્થળ એટલે હર્ષદભાઈ પટેલનું ‘હરિ ઓમ ફૂડ એન્ડ સ્પાઇસીસ હાઉસ’. ગાંધીનગરના પાદરે આવેલા રાંધેજા ગામની ચોકડી પાસે, હર્ષદભાઈના બંગલાના આંગણામાં ધમધમતું આ ફૂડ જોઈન્ટ હવે ભોજનપ્રેમીઓ માટે ‘વિન્ટર ડેસ્ટિનેશન’ બની ચૂક્યું છે. મારી આ મુલાકાત માત્ર ભોજન માટે નહીં, પણ એક અનુભવ માટે હતી, જેની ભલામણ મને મીના આંટીએ કરી હતી. તેમણે કહ્યું હતું કે, "ત્યાંનો મસાલો અને સ્વાદ જેવો બીજે ક્યાંય નથી." બસ, આ શબ્દો પર વિશ્વાસ મૂકીને અમે સાંજ પડ્યે હરિઓમનો સ્વાદ માણવા ઉપડી ગયા. ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)

21 November, 2025 02:29 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સૂપરફૂડ

૫૦ વર્ષની ઉંમર પછી સ્ત્રીઓએ આ પાંચ સુપરફૂડ લેવાં જ જોઈએ

મોટા ભાગે આ ઉંમરમાં સ્ત્રીને મેનોપૉઝ આવી ચૂક્યો હોય છે અને કેટલીક સ્ત્રીઓને મેનોપૉઝ આવી રહ્યો હોય છે. આ બન્ને પરિસ્થિતિમાં સ્ત્રીની જરૂરિયાત ઘણી જુદી હોય છે. નૉર્મલ ડાયટની સાથે-સાથે અમુક વસ્તુઓનો ખોરાકમાં સમાવેશ તેમની શારીરિક, માનસિક અને હૉર્મોનલ હેલ્થને સ્ટેબલ રાખવામાં મદદરૂપ થાય છે. સુપરફૂડનું નામ સાંભળીને ગભરાઈ ન જતા. એ તો એકદમ દેશી છે જેથી અપનાવવું ખૂબ સરળ છે. આજે જાણીએ આ સુપરફૂડ શું છે અને કઈ રીતે મદદરૂપ છે. જો તમારા ઘરમાં ૫૦ વર્ષથી વધુ ઉંમરની સ્ત્રી હોય તો તેનામાં ખાસ જોવા મળતો એક ગુણ એ હશે કે તેણે આખી જિંદગી પોતાના ઘરનું અને ઘરના લોકોનું ખૂબ ધ્યાન રાખ્યું હશે; પણ તેનામાં એક મોટો અવગુણ પણ હશે કે આ ૫૦ વર્ષના જીવનમાં તેણે ખુદની જાતને ખૂબ અવગણી હશે, ખુદનું ધ્યાન નહીં જ રાખ્યું હોય. એક ઉંમર પછી તેને પોતાના આ અવગુણ વિશે ખબર પણ પડી હોય, પરંતુ થાય એવું કે પછી ખુદને બદલવી અઘરું પડી જાય. જોકે આ અઘરું કામ કરવું પડશે એ દરેક સ્ત્રીએ સમજવાનું રહ્યું. એનું કારણ એ છે કે સ્ત્રીઓમાં દર ૧૦ વર્ષે મોટા બદલાવ આવે છે. એ બદલાવ હૉર્મોન સંબંધિત હોય, ઉંમર સંબંધિત હોય. એમાં પણ ખાસ કરીને મેનોપૉઝ પછી દરેક સ્ત્રીમાં ઘણા મોટા બદલાવ આવે. મેનોપૉઝ પછી ખરેખર સ્ત્રીનો નવો જન્મ જ કહી શકાય, કારણ કે તેનું આખું શરીર બદલાઈ જાય છે. આજકાલ ૪૫-૪૮ વર્ષની ઉંમર મેનોપૉઝની ઉંમર ગણાય છે. મેનોપૉઝ આવી જાય એ પછી સ્ત્રીના શરીરની એજિંગ-પ્રોસેસ ખૂબ ઝડપી થઈ જાય છે. ૫૦ વર્ષ પછી એકદમ જ એ એજિંગનાં ચિહ્‌નો સામે આવે છે. ખાસ કરીને હાડકાં નબળાં થઈ જાય છે, એનર્જી ઘટી જાય છે, કશું કરવાની ઇચ્છા નથી થતી, સુસ્તી આવી જાય છે, થાક વધુ લાગે છે. આ સિવાય વારસાગત આવતા રોગો આ સમયે ઊથલો મારે છે; જેમ કે ડાયાબિટીઝ, થાઇરૉઇડ, ઓબેસિટી, હાઈ બ્લડ-પ્રેશર, હાર્ટ-ડિસીઝ વગેરે. આ રોગોથી બચવા માટે પણ ૫૦ વર્ષ પછી વધુ ધ્યાન આપવું જરૂરી છે. ન્યુટ્રિશનિસ્ટ ધ્વનિ શાહ પાસેથી જાણીએ કે એવાં કયાં સુપરફૂડ છે જે ૫૦ની ઉંમર પછી દરેક સ્ત્રીએ પોતાની ડાયટમાં સામેલ કરવાં જરૂરી છે જેનાથી આ બધી તકલીફો ન આવે અને શરીરને મેનોપૉઝ પછીની તકલીફોથી સરળતાથી સાચવી શકાય. સુપરફૂડનું નામ સાંભળીને ગભરાઈ ન જાઓ. એ એકદમ દેશી સુપરફૂડ છે એટલે એમને અપનાવવાં એકદમ સરળ છે. 

21 November, 2025 12:22 IST | Mumbai | Jigisha Jain
સાદરાની થાળી અને મંદિર બંને લોકોમાં ખૂબ પ્રચલિત છે - તસવીર  સૌજન્ય પૂજા સાંગાણી

જ્યાફતઃ સાદરા જક્ષણી ધામે દર પૂનમે નિઃશુલ્ક મહાપ્રસાદ સાથે સાત્વિક થાળી

ભારતીય સંસ્કૃતિમાં મંદિરોમા મળતો પ્રસાદ સદીઓ જૂની સેવાભાવની પવિત્ર પરંપરા દર્શાવે છે. એવામાં અમદાવાદથી ચિલોડા સર્કલ માર્ગે શિહોલી-દશેલા રોડ નજીક, ગાંધીનગર પાસે સાબરમતી નદીના રળિયામણા તટે વસેલું સાદરા ગામ એક અનોખા આધ્યાત્મિક કેન્દ્ર તરીકે ઊભરી આવે છે. અહીં લીલાછમ વનરાજી વચ્ચે શ્રી જક્ષણી માતાજીનું ભવ્ય મંદિર છે, જે લાખો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. આ ધામ માત્ર સદીઓ જૂની શ્રદ્ધાનું જ નહીં, પણ અદભૂત કુદરતી સૌંદર્યનું પણ સંગમસ્થાન છે. અહીં દર પૂનમે ૫,૦૦૦ થી ૧૦,૦૦૦ જેટલા શ્રદ્ધાળુઓ નિઃશુલ્ક મહાપ્રસાદ માણે છે. આ ઉપરાંત, શ્રી જક્ષણી અન્નપૂર્ણા કેન્દ્ર દ્વારા ૩૬૫ દિવસ, માત્ર ₹૬૦/-ના દરે શુદ્ધ અને સાત્વિક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ કેન્દ્રની ભોજન સેવા અને સમગ્ર પરિસરને નિહાળવાના વિશેષ ઉદ્દેશ સાથે મેં પણ સાદરાની મુલાકાત લીધી હતી. ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)

14 November, 2025 12:21 IST | Gandhinagar | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK