Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


સહ્યાદ્રી ક્રીડા મંડળ દ્વારા બનાવવામાં આવેલું ડેકોરેશન અને વિસર્જનનું રથ

બાપ્પાનું સ્વાગત જ નહીં વિસર્જન પણ એવી જ શાનથી કરે છે, સહ્યાદ્રી ક્રિડા મંડળ

ચેમ્બુર, તિલકનગરમાં આવેલા સહ્યાદ્રી ક્રિડા મંડળ તરફથી આ વર્ષે બાપ્પાનું આગમન કરવા માટે વૃંદાવન ધામની થીમની પસંદગી કરવામાં આવી છે. અહીં તમે પંડાલના પ્રવેશ દ્વારથી શરૂ કરીને એક્ઝિટ સુધી પહોંચો છે ત્યં સુધી તમને એવું લાગે છે કે જાણે તમે ખરેખર પ્રભુ શ્રી કૃષ્ણની પાવન ભૂમિ વૃંદાવનમાં ફરી રહ્યા છો. આ વૃંદાવન ધામની થીમ તમને મુંબઈમાં વૃંદાવનનો આભાસ કરાવે છે જેની કેટલીક તસવીરો અહીં રજૂ કરવામાં આવી છે. બાપ્પાનું સ્વાગત, તેમનું આગમન, અને તેમની હાજરી દરમિયાનના દિવસોમાં તેમની આસપાસની સજાવટ ખાસ હોય, અલગ હોય એવા પ્રયત્નો તો લગભગ બધાં જ પોતાની શક્તિ પ્રમાણે કરતા હોય છે. પણ અહીં ખાસ વાત એ છે કે અહીં જે થીમ બાપ્પાના આગમન અને સ્વાગત માટે નક્કી કરવામાં આવે છે તે જ થીમ પર બાપ્પાનું વિસર્જન રથ પણ બનાવવામાં આવે છે. આ વર્ષે બાપ્પાનાં સ્વાગત માટે વૃંદાવન ધામની થીમ બનાવવામાં આવી છે ત્યારે બાપ્પાનું વિસર્જન એ જ થીમ પ્રમાણે રથની ડિઝાઈન કરીને કરવામાં આવે છે.

28 September, 2023 05:23 IST |

Read More

દહીંસરની સિન્ડીકેટ આનંદ સોસાયટીનું ચંદ્રયાન-3 થીમ ડેકોરેશન

Ganesh Chaturthi 2023: નાનાં ટેણિયાંઓએ કરી કમાલ, બાપ્પાને કરાવી ચંદ્રયાનની સફર!

ગણેશોત્સવ નિમિત્તે વિવિધ સોસાયટીઓમાં જુદી-જુદી થીમ પર ડેકોરેશન કરવામાં આવ્યું હતું. તેમાં પણ આ વખતે ચંદ્રયાન-3 આ વિષય પર સરસ ડેકોરેશન અનેક પંડાલોમાં જોવા મળ્યું હતું. દહીંસરની સિન્ડીકેટ આનંદ સોસાયટીમાં આ વર્ષે નાનાં ભૂલકાઓએ ચંદ્રયાન-3ની થીમ પર બાપ્પા માટે ડેકોરેશન તૈયાર કર્યું હતું. ઉલ્લેખનીય છે કે આ સોસાયટીએ આ રીતે સાર્વજનિક રીતે ગણેશોત્સવ પહેલી વાર જ ઉજવ્યો હતો. અને આ પહેલા જ વર્ષે જોરદાર ડેકોરેશન કરી આગામી વર્ષ માટે પણ બાપ્પા પ્રત્યેનો પ્રેમ બતાવી દીધો હતો. આ ડેકોરેશન વિષે નિકિતા પટેલે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે પોતાની વાત શૅર કરી હતી.

28 September, 2023 11:01 IST |

Read More

વર્લ્ડ કપની થીમ પર બાપ્પા માટે અનોખું ડેકોરેશન

Ganesh Chaturthi 2023: વર્લ્ડ-કપ રમશે બાપ્પા? ઇન્ડિયન ક્રિકેટ ટીમની જીત પાક્કી!

Ganesh Chaturthi 2023: ગણેશોત્સવ હવે પૂર્ણ થવામાં છે. આવતીકાલે અનંતચતુર્દશીના દિવસે મોટાભાગના પંડાલોમાંથી ગણપતિ બાપ્પાને અતિ ઉત્સાહ સાથે વિદાય આપવામાં આવશે. આ વર્ષે તો ગણેશોત્સવ દરમ્યાન બાપ્પા માટે વિવિધ થીમ પર ડેકોરેશન કરવામાં આવ્યા હતા. ચંદ્રયાન તો કોઈએ વંદે ભારત જેવા ભારતના વિકાસશીલ અને પ્રગતિને દર્શાવતા પ્રોજેક્ટ અને મિશનનું ડેકોરેશન સાકાર કર્યું હતું. હવે થોડાક જ દિવસોમાં વર્લ્ડ કપ 2023 આવી રહ્યું છે ત્યારે મુંબઈના એક ક્રિકેટ પ્રેમી પરિવારે વર્લ્ડ કપની થીમ પર બાપ્પા માટે અનોખું ડેકોરેશન તૈયાર કર્યું હતું. મિરારોડમાં રહેતા રાજેશ સલવાડીએ પોતાના આ અનોખા ડેકોરેશન વિષે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાત કરી હતી.

27 September, 2023 02:16 IST |

Read More

રાહુલ વરિયાએ તૈયાર કરેલ મુંબઈ મેટ્રોનું ડેકોરેશન

Ganesh Chaturthi 2023:બાપ્પાએ કરી મેટ્રોની સવારી, મુંબઈકર હોવાનો પ્રભુને પણ ગર્વ

ગણેશોત્સવની ધામધૂમ છેલ્લા થોડાક દિવસથી ચાલી રહી છે ત્યારે અનેક પંડાલો અને ઘરોમાં વિવિધ થીમ પરના ડેકોરેશન સામે આવી રહ્યા છે. ગણપતિ બાપ્પાની મૂર્તિઓની સાથે લોકોમાં જાત-જાતના ડેકોરેશન જોવાનો પણ ક્રેઝ વધી રહ્યો છે. કળાપ્રેમીઓ દ્વારા આ વર્ષે બાપ્પા માટે વિવિધ થીમ પર સજાવટ તૈયાર કરવામાં આવી છે. આજે એવા જ એક ડેકોરેશનની વાત કરવી છે. જેમાં મુંબઈના ઘાટકોપરમાં રહેતા રાહુલ વરિયાએ ઘાટકોપરના ગોપાલભવનમાં પોતાના ઘરમાં જ મુંબઈની મેટ્રો ટ્રેનનો ડબ્બો તૈયાર કર્યો છે. એ ડબ્બામાં ગણપતિ બાપ્પા બિરાજમાન થયા છે. રાહુલ વરિયાએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે પોતાનો અનુભવ શૅર કર્યો હતો.

26 September, 2023 03:59 IST |

Read More

MNS પ્રમુખ રાજ ઠાકરેએ આજે ​​મુખ્યમંત્રીના વર્ષા આવાસ પર ગણપતિ બાપ્પાના દર્શન કર્યા.

Ganesh Chaturthi 2023: MNS પ્રમુખ રાજ ઠાકરેએ કર્યા CM શિંદેના ઘરે બાપ્પાના દર્શન

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેએ સોમવારે ગણેશ ઉત્સવના અવસર પર મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના સત્તાવાર નિવાસસ્થાન વર્ષાની મુલાકાત લીધી હતી. (તસવીરો/એકનાથ શિંદેની ટીમ)

25 September, 2023 09:26 IST |

Read More

ગણેશોત્સવ પર વિવિધ ડેકોરેશન સાથે બાપ્પાની પૂજા

લાજવાબ લંબોદર

કેટલાક યુનિક ઘરઘરાઉ ગણપતિબાપ્પાના ભક્તોને શોધી કાઢ્યા છે જેમનું ડેકોરેશન દિલ જીતી લે એવું છે

23 September, 2023 02:37 IST |

Read More

ચૌહાણ પરિવારે તૈયાર કરેલું કેદારનાથનું ડેકોરેશન

Ganesh Chaturthi 2023: કેદારનાથમાં જટાધારી શિવજીની જેમ બાપ્પા લાગે છે ક્યૂટ!

Ganesh Chaturthi 2023: મુંબઇમાં ગણેશોત્સવની ધામધૂમ ચાલી રહી છે. જોતજોતામાં પાંચ દિવસ પણ પૂર્ણ થઈ ગયા. અનેક ગણેશ ભક્તોએ પોતાના ઘરે બાપ્પાની મૂર્તિ સ્થાપી હતી. આ સાથે જ પાંડાલોમાં અને ઘરોમાં વિવિધ થીમ પર ડેકોરેશન કરવામાં આવ્યું છે. મુંબઈના દહીંસરમાં રહેતા એક ગણેશ ભક્ત પરિવારે બાપ્પા માટે કેદારનાથની પ્રતિકૃતિ તૈયાર કરી હતી. આ વિષે સાક્ષી ચૌહાણે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ  સાથે પોતાના અનુભવ શૅર કર્યા હતા.

23 September, 2023 02:31 IST |

Read More

ગોહિલ પરિવારે બનાવેલ દ્વારકામાઈનું ડેકોરેશન

Ganesh Chaturthi: મુંબઈ પહોંચેલી સાંઈબાબાની દ્વારકામાઈમાં બાપ્પાનું આકર્ષક આગમન!

ઠેર-ઠેર ગણેશોત્સની ધામધુમપૂર્વક ઉજવણી કરવામાં આવી. દોઢ દિવસના ગણપતિ બપ્પાનું વિસર્જન પણ ધામધૂમ અને અતિ ઉત્સાહ સાથે કરવામાં આવ્યું. ભલે વિસર્જન થઈ ગયું પણ એની સ્મૃતિઓ હજી`ય ગણેશ ભક્તો કરી રહ્યા છે. આજે એવા જ એક પરિવારની વાત કરવી છે જેઓએ આ વર્ષે દોઢ દિવસના ગણપતિ બિરાજમાન કર્યા હતા. અને આ મોચી સમાજના પરિવારે સાંઈબાબાની દ્વારકામાઈની પ્રતિકૃતિ ડેકોરેશનમાં બનાવી હતી. દ્વારકામાઇનું ડેકોરેશન કરનાર ટીમમાંથી એક પ્રેમ ગોહિલે ગુજરાતી મિડ-ડે ડૉટ કોમ સાથે પોતાની વાત શૅર કરી હતી.

22 September, 2023 10:01 IST |

Read More

ગણેશજીને ધરાવેલો મોદકનો પ્રસાદ - તસવીર - પૂજા સાંગાણી

જ્યાફતઃ મહારાષ્ટ્રથી કર્ણાટક સુધી, ગણેશ ચતુર્થીમાં મોદક અને અન્ય ભોગ ગણેશજી માટે

મહારાષ્ટ્ર અને ગુજરાતથી માંડીને આખા ભારતમાં રંગે ચંગે ઉજવાઈ રહેલા ગણેશોત્સવની વાત જ અનોખી છે. દુંદાળા દેવની ઘરમાં કે ઓફિસમાં સ્થાપના કરવામાં આવે છે અને ગણેશ ચતુર્થીને વિનાયક ચતુર્થી પણ કહેવાય છે. આ તહેવાર સમગ્ર ભારતમાં મહારાષ્ટ્ર, તેલંગાણા, ગુજરાત, આંધ્રપ્રદેશ, ગોવા અને કર્ણાટકમાં અનેક રુપમાં વ્યાપકપણે ઉજવાય રહ્યો છે. ભારતમાં દરેક પ્રકારના ઉત્સવમાં વ્યંજનો ભકિત પછીની મુખ્ય ભૂમિકા ભજવે છે. ગણેશ ચતુર્થીના દિવસે તમામ મંડપો અને ઘરોમાં ગણપતિ બાપ્પાની મૂર્તિને શણગારવાની સાથે ભક્ત ભગવાન ગણેશને ચોક્કસથી મોદક ધરાવવાની સાથે અન્ય ઘણી મિઠાઈ અને નમકીન વાનગીઓનો ભોગ બનાવી પ્રસન્ન કરે છે. તો ચાલો જાણીએ કેટલીક સ્વાદિષ્ટ વાનગીઓની વાતો સાથે મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતમાં શું છે ગણેશ ચતુર્થીનું મહત્વ, તેનો ઇતિહાસ અને કઈ રીતે આ તહેવાર ઉજવાય છે.   ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મિડીયા સ્ટ્રેટેજીસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો – પૂજા સાંગાણી)

22 September, 2023 03:15 IST |

Read More

ગણપતિની પુજા અર્ચના કરી રહેલા રોહિત શર્મા (ડાબે) અને અનુષ્કા શર્મા – વિરાટ કોહલી (જમણે)

ગણપતિ બાપ્પા મોરયા… ક્રિકેટરોએ ઊજવ્યો ગણેશોત્સવ

દેશભરમાં ગણેશચતુર્થીનો તહેવાર ધામધૂમથી ઊજવવામાં આવી રહ્યો છે ત્યારે ક્રિકેટરો પણ કેમ પાછળ રહી જાય? 

21 September, 2023 10:30 IST |

Read More

બોલિવૂડ સેલેબ્ઝના ઘરે પધારેલા બાપ્પાની તસવીરોનું કૉલાજ

ગણપતિ બાપ્પા મોરયા… બોલિવૂડ સેલેબ્ઝના ઘરે બાપ્પાની પધરામણી

બોલિવૂડ સેલેબ્ઝના ઘર ‘ગણપતિ બાપ્પા મોરયા’ના નાદથી ગુંજી ઉઠ્યાં છે. સેલેબ્ઝે બાપ્પાનું ધામધૂમથી સ્વાગત કરીને દોઢ દિવસે બાપ્પાને વિદાય પણ આપી છે. આવો જોઈએ શાહરુખ ખાનથી માંડીને શિલ્પા શેટ્ટી સુધીના સેલેબ્ઝના ઘરનાં બાપ્પાની ઝલક…

21 September, 2023 09:45 IST |

Read More

દિપક મકવાણાએ વંદે ભારત ટ્રેનની થીમ પર તૈયાર કરેલું ડેકોરેશન

Ganesh Chaturthi 2023 : આ ગુજ્જુ ભાઈએ ઘરે જ બનાવી વંદેભારત? બાપ્પાએ કરી સવારી?

ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી શરૂ થઈ ગઈ છે. વિવિધ પંડાલો અને ઘરોમાં સરસ ડેકોરેશન કરવામાં આવ્યા છે. જુદી-જુદી થીમ પર બેઝ્ડ ડેકોરેશન જોવા લોકોની મેદની ઉમટી પડતી હોય છે. આજે એવા જ એક અનોખા ડેકોરેશનની વાત કરવી છે. મુંબઈમાં આવેલ સાન્તાક્રુઝમાં રહેતાં લોહર સુથાર સમાજના દિપક મકવાણાએ પોતાના ઘરમાં જ વંદે ભારત ટ્રેનની થીમ પર ડેકોરેશન તૈયાર કર્યું છે. દિપક ભાઈ પોતે ઇન્ટિરિયર ડિઝાઇનર છે. દિપક મકવાણાએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે પોતાના આ ડેકોરેશન દરમ્યાનની રોચક વાતો શૅર કરી હતી.

20 September, 2023 05:20 IST |

Read More

તસવીર સૌજન્ય: પલ્લવ પાલીવાલ

Ganesh Chaturthi:અંબાણીના આંગણે બૉલિવૂડ સેલેબ્સનો જમાવડો, દરેકનો અંદાજ જોવા જેવો

આજે સમગ્ર ભારતમાં ગણેશ ચતુર્થીના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. મુકેશ અંબાણીના ઘર `એન્ટીલિયા`માં પણ ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. અંબાણી પરિવારમાં જશ્ન હોય અને બૉલિવૂડ સ્ટાર્સ ન જોડાઈ એવું તો બને નહીં. આ સેલિબ્રેશનમાં પણ ફિલ્મ જગતની હસ્તીઓનો જમાવડો જોવા મળ્યો હતો. આ સેલિબ્રેશનમાં સલમાન ખાનથી લઈને અજય દેવગણ અને હેમા માલિનીથી લઈ દિશા પટની સુધીના બૉલિવૂડના અનેક સેલેબ્સ સામેલ થયા હતાં. ગણેશ ચતુરર્થીના પાવન અવસર પર સેલેબ્સના અંદાજ પર એક નજર કરીએ.   

20 September, 2023 10:49 IST |

Read More

મુકેશ અંબાણીના ઘરે ગણેશ ચતુર્થીની ઉજવણી

Ganesh chaturthi 2023: ધનાઢ્ય અંબાણી પરિવાર આ રીતે થયો બાપ્પાની ભક્તિમાં લીન 

ગણેશ ચતુર્થી નિમિત્તે બાપ્પાનું સ્થાપન કરી ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણી અને પરિવારના સભ્યોએ 19 સપ્ટેમ્બરના રોજ તેમના મુંબઈના નિવાસસ્થાન એન્ટિલિયા ખાતે ગણેશ ચતુર્થીની ખૂબ જ ભવ્યતાથી ઉજવણી કરી હતી. તસવીરો/શાદાબ ખાન

20 September, 2023 09:35 IST |

Read More

ગણેશ ચતુર્થીના અવસર પર વ્યસ્ત મુંબઈકર્સ.

Ganesh Chaturthi 2023 : બાપ્પાના આગમન સાથે રાજીના રેડ થયા મુંબઈકર્સ!

આજે મંગળવારે ગણેશ ચતુર્થી નિમિત્તે મુંબઈકર્સ ધામધૂમ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરતાં જોવા મળ્યા હતા. 10-દિવસીય ગણેશોત્સવની શરૂઆત થતાં જ મુંબઈકર્સ ગણપતિબાપ્પાને પોતાના ઘરમાં બિરાજમાન કરવા ઉત્સુક દેખાઈ રહ્યા છે. (તસવીર સૌજન્ય : અનુરાગ આહિરે)

19 September, 2023 05:31 IST |

Read More

ગણેશ ચતુર્થીના અવસર પર વિવિધ બૉલિવૂડ સ્ટાર્સ ગણપતિ બાપ્પાની મૂર્તિ સાથે

Ganesh Chaturthi 2023: અર્જુન બિજલાનીથી લઈને પલક તિવારીના ઘરે આવ્યા દુંદાળા દેવ!

Ganesh Chaturthi 2023: સોમવારે રાત્રે અનેક બૉલિવૂડ સ્ટાર્સના ઘરે ગણપતિ બાપ્પાનું આગમન થયું હતું. આજે મંગળવારે તો સ્થાપનાનું શુભ મુહૂર્ત હોવાથી સૌ કોઈ ગઇકાલે જ બાપ્પાને ધામધૂમથી લાવતાં જોવા મળ્યા હતા.

19 September, 2023 11:57 IST |

Read More

દેશના ખૂણે ખૂણે બાપ્પાનું સ્થાપન

નોખા બાપ્પાનું નોખું ડેકોરેશન

ગણેશ ચર્તુથી પર ઠેર ઠેર બાપ્પાના પંડાલ તૈયાર કરવામાં આવ્યાં છે. દેશના ખૂણે ખૂણે ગજાનંદની સ્થાપના કરી તેમની આજે પૂજા કરવામાં આવે છે. 

19 September, 2023 10:44 IST |

Read More

રિન્ટુ રાઠોડે 13 વર્ષ પહેલા ચોકલેટમાંથી ગણપતિની મૂર્તિઓ બનાવવાની શરૂઆત કરી હતી અને ત્યારથી તેએ તેને વિવિધ આકાર અને કદમાં બનાવી રહ્યાં છે. તસવીરો સૌજન્યઃ રિન્ટુ રાઠોડ/સુજાતા દાસ

જાણો મુંબઈકર્સ કઈ રીતે મિલેટ્સ, ચૉકલેટ અને પેપરમાંથી બનાવે છે ગણેશજીની મૂર્તિ

આ વર્ષે ગણેશોત્સવ માટે વધુ લોકો ભગવાન ગણેશની મૂર્તિઓ બનાવવાની ઇકો-ફ્રેન્ડલી પદ્ધતિઓ તરફ વળી રહ્યાં છે, અન્ય લોકો મૂર્તિઓ બનાવવા માટે ચોકલેટનો ઉપયોગ કરે છે, જ્યારે કેટલાક લોકો માટી, કેટલાક લોકો તો પંડાલ માટે કાગળની સાથે સાથે સજાવટ માટે પુસ્તકોનો પણ ઉપયોગ કરે છે.

18 September, 2023 08:24 IST |

Read More

તસવીર : આશિષ રાજે

ગણપતિ બાપ્પા મોરયા…. ગણરાયા+ગિરદી+ગામ=ગણેશોત્સવ

આવતી કાલે રાજ્યનો સૌથી મોટો તહેવાર શરૂ થઈ રહ્યો છે ત્યારે ચોતરફ માહોલ ખરેખર જોવા જેવો છે. માર્કેટમાં ભીડ જામી છે તો રસ્તા પર ભક્તોની ભીડ જોવા મળે છે.  (તસવીરો : આશિષ રાજે)

18 September, 2023 12:20 IST |

Read More

મુંબઈના ભક્તો 10 દિવસીય ઉત્સવની તૈયારી કરી રહ્યાં છે. તસવીરો/આશિષ રાજે અને શાદાબ ખાન

Ganesh Chaturthi 2023: ગણેશોત્સવ માટે મુંબઈના ભક્તોએ કસી કમર, જુઓ તસવીરો

Ganesh Chaturthi 2023: મુંબઈમાં બાપ્પાના ભક્તો મહારાષ્ટ્રના સૌથી મોટા તહેવારોમાંના એક ગણેશોત્સવની ઉજવણી માટે પૂરજોશમાં તૈયારી કરી રહ્યા છે. તસવીરો/આશિષ રાજે અને શાદાબ ખાન

16 September, 2023 08:49 IST |

Read More

લાલબાગચા રાજા (તસવીર/આશિષ રાજે)

લાલબાગચા રાજાની પહેલી ઝલક થઈ વાયરલ, સોશિયલ મીડિયા પર તેમનો જ રાજ

15 સપ્ટેમ્બર 2023ના રોજ શુક્રવારે, લાલબાગચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળે આ વર્ષની મૂર્તિની પહેલી ઝલક બતાવી. આ વર્ષે લાલબાગચા રાજા પંડાલની થીમ રાયગઢ કિલ્લો છે, જ્યારે મૂર્તિ તેમના યુગમાં છત્રપતિ શિવાજી મહારાજના સિંહાસન જેવા જ શણગારેલા સિંહાસન પર જોવા મળે છે. (તસવીર/આશિષ રાજે)

15 September, 2023 08:51 IST |

Read More

19 સપ્ટેમ્બર, 2023ના રોજ ગણેશોત્સવ શરૂ થઈ રહ્યો છે ત્યારે 10 દિવસીય ગણેશોત્સવ પહેલા જ ભક્તો પરેલમાં ગણપતિ બાપ્પાની મૂર્તિઓ લઈ જતા જોવા મળ્યા હતા. (તસવીર સૌજન્ય : આશિષ રાજે)

Ganeshotsav 2023: પરેલના રસ્તાઓ પર ગુંજી ઉઠ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો નાદ!

ટૂંક જ સમયમાં ગણેશોત્સવ આવી રહ્યો છે ત્યારે વિવિધ પંડાલોમાં ગણપતિ બાપ્પાની મૂર્તિઓનું આગમન શરૂ થઈ ગયું છે. આજે રવિવારે પણ મુંબઈવાસીઓ ગણપતિની મૂર્તિઓનું સ્વાગત કરતા જોવાં મળ્યા હતા. ગણેશોત્સવ દરમ્યાન અનેક સાર્વજનિક સ્થળોએ સંગીત સાથે નૃત્ય, નાટક અને જાહેર સરઘસ વગેરેનું આયોજન કરવામાં આવે છે. (તસવીર સૌજન્ય : આશિષ રાજે)

10 September, 2023 05:52 IST |

Read More

વિસર્જનમાં ઉમટી ભક્તોની ભીડ

અગલે બરસ જલદી આના રે...લાલબાગચા રાજાના વિસર્જન દરમિયાન માનવ મહેરામણ ઉમટ્યું

આ વખતે કોરોનાથી રાહતને કારણે, બે વર્ષ પછી ગણેશોત્સવ તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવ્યો. 31મી ઓગસ્ટે ગણેશ ચતુર્થીના દિવસે મૂર્તિની સ્થાપના કર્યા બાદ 10 દિવસ સુધી તેમની હર્ષોલ્લાસ સાથે પૂજા કરી દસમાં દિવસે ભક્તોએ બાપ્પાનું વિસર્જન કર્યુ હતું. લાલબાગચા રાજાના વિસર્જન દરમિયાન લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી. 

10 September, 2022 12:55 IST |

Read More

અમદાવાદમાં રહેતો મુળ મરાઠી પરિવાર હોંશે હોંશે દર વર્ષે કરે છે ગણેશ સ્થાપના

Ganeshotsav:67 વર્ષથી અમદાવાદમાં રહેતો મરાઠી પરિવાર આ રીતે કરે છે ઉજવણી, જુઓ

સમગ્ર દેશમાં ગણેશ ચતુર્થીની હર્ષ ઉલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે. પણ મરાઠીઓ આ અવસરે એક અલગ જ ઠાઠમાં જોવા મળે છે. તેની ઝાંખી ગુજરાતમાં પણ જોઈ શકાય છે. મુળ મહારાષ્ટ્રનો હાંડે પરિવાર વર્ષોથી અમદાવાદમાં રહે છે અને દર વર્ષે ગણેશ ચતુર્થીની ધામધુમથી ઉજવણી કરી વિઘ્નહર્તાના ગુણલા ગાય છે. તો ચાલે જાણીએ 67 વર્ષથી અમદાવાદમાં રહેતો મરાઠી પરિવાર કેવી રીતે કરે છે દુંદાળા ગણેશની આરાધના. 

08 September, 2022 05:16 IST |

Read More

કાજોલ અને રેવતીએ કર્યાં લાલબાગના રાજાના દર્શન

કાજોલ અને રેવતીએ કર્યા લાલબાગના રાજાના દર્શન, જુઓ તસવીરો

કાજોલ ટૂંક સમયમાં જ ફિલ્મ `ધ લાસ્ટ હુર્રે`માં જોવા મળવાની છે. જો કે, ફિલ્મની રિલીઝ પહેલા કાજોલ, રેવતી સાથે ગણપતિના આશીર્વાદ લેવા લાલબાગના રાજાના દર્શન માટે પહોંચી હતી.

06 September, 2022 05:16 IST |

Read More

શિલ્પા શેટ્ટીના ઘરે ગણેશ ચતુર્થીની ઉજવણી

Ganesh Chaturthi:બાપ્પાના આશીર્વાદ લેવા શિલ્પા શેટ્ટીના ઘરે થયો સેલેબ્સનો જમાવડો

ગણેશ ચતુર્થીના અવસર પર, વિઘ્નહર્તા ગણપતિના આશીર્વાદ લેવા માટે ઘણી હસ્તીઓ શિલ્પા શેટ્ટીના ઘરે જતી જોવા મળી હતી. બોલિવુડ અને ટેલિવિઝન કલાકારોનો જમાવડો શિલ્પા શેટ્ટીના ઘરે જોવા મળ્યો હતો. પાપારાઝીએ તેમને શિલ્પના ઘરની બહાર કેમેરામાં કેડ કર્યા હતા. તમામ તસવીરો/યોગેન શાહ

01 September, 2022 04:27 IST |

Read More

અર્પિતા ખાનના ઘરે પહોંચેલા સેલેબ્ઝની તસવીરોનું કૉલાજ (તસવીરો : યોગેન શાહ)

ગણેશ ચતુર્થી : બાપ્પાના આર્શિવાદ લેવા અર્પિતા ખાનના ઘરે સેલેબ્ઝનો જમાવડો

શહેરમાં ધામધૂંથી ગણેશોત્વસની ઉજવણી થઈ રહી છે. બૉલિવૂડ સેલેબ્ઝ પણ બાપ્પાની ભક્તિના રંગે રંગાયા છે. અનેક સેલેબ્ઝે તેમના ઘરે બાપ્પાનું સ્વાગત કર્યું છે. બૉલિવૂડના ભાઇજાન સલમાન ખાનના પરિવારમાં પણ દર વર્ષે બાપ્પાની સ્થાપના કરવામાં આવે છે. આ વર્ષે બહેન અર્પિતા ખાનના ઘરે ગણપતિ બાપ્પાની સ્થાપના કરી છે. ત્યારે અનેક સેલેબ્ઝ બાપ્પાના આર્શિવાદ લેવા ત્યાં પહોંચ્યા હતા. (તસવીરો : યોગેન શાહ)

01 September, 2022 01:15 IST |

Read More

શહેરમાં ઠેક-ઠેકાણે બાપ્પાનું ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું હતું

ગણેશ ઉત્સવ : બૅન્ડ, બાજા ઍન્ડ બાપ્પા

બુધવારથી રાજ્યનો સૌથી મોટો તહેવાર ગણેશોત્સવ શરૂ થઈ રહ્યો છે ત્યારે ગઈ કાલે સંખ્યાબંધ મંડળો પોતાના બાપ્પાને વર્કશૉપમાંથી વાજતેગાજતે લઈ આવ્યા હતા. આવો જોઈએ તસવીરોમાં… (તસવીરો : સમીર માર્કન્ડે, આશિષ રાજે)

29 August, 2022 02:57 IST |

Read More

ગણેશજીને પ્રસાદમાં ધરાવાય છે નૈવેદ્ય થાળી- તસવીર પૂજા સાંગાણી

જ્યાફતઃ ગણેશ ચતુર્થી નિમિત્તે પરંપરાગત રીતે બનતી નૈવેદ્ય થાળીનો સ્વાદ માણો અહીં

સમગ્ર દેશમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવાય છે પરંતુ  મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં તેનું ખાસ મહત્વ છે અને ત્યાં ભવ્યાતિભવ્ય ઉજવણી થાય છે. કોઈપણ ભારતીય તહેવાર તેના સ્વાદિષ્ટ વ્યંજનોના રસથાળ વિના અધૂરો છે અને વિનાયક ચતુર્થી એટલે કે ગણેશ ચતુર્થી તેનાથી અલગ નથી. ભાદરવા સુદ ચોથના રોજ ગજાનંદની પ્રતિમાની સ્થાપના કરી ગણેશોત્સવ ઉજવવા શ્રદ્ધાળુઓ થનગની રહ્યા છે. ત્યારે અમદાવાદમાં ગણેશચતુર્થી માટે પંડાલો પણ દુંદાળા દેવની ભવ્ય મૂર્તિઓ સાથે ગોઠવવાની તૈયારીમાં લાગી ગયા છે.  ભક્તો સાથે મીઠાઈની દુકાનો દ્વારા વિવિધ પ્રકાર ના મોદક, સ્વાદિષ્ટ બરફી, મોતીચુરના લાડવા અને વિવિધ મીઠાઈના કાઉન્ટર સેટ થવા લાગ્યા છે.  આગામી 10 દિવસ સુધી ભક્તો તેમના પ્રિય દેવતાને ફૂલ, પ્રસાદ, ભોગ ધરાવીને ભક્તિ કરશે અને સ્તુતિ ગાનથી રોજ સાંજે આકાશ ગુંજી ઉઠશે. ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી  ‘ખાઇ પીને મોજ’ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મિડીયા સ્ટ્રેટેજીસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો - પૂજા સાંગાણી)

26 August, 2022 12:10 IST |

Read More

તસવીર સૌજન્ય : મિડ-ડે ફોટોગ્રાફર્સ

ગણેશ ઉત્સવ : ભલે પધાર્યા

ગણેશોત્સવને હવે ગણતરીના દિવસો જ બાકી હોવાથી શહેરનાં મોટાં મંડળો ગઈ કાલે બાપ્પાની મૂર્તિઓને લઈ આવ્યાં હતાં જેથી તેઓ મંડપમાં મૂર્તિને પધરાવીને એની આસપાસ ડેકોરેશન કરી શકે. આવો જોઈએ તસવીરોમાં… (તસવીરો : શાદાબ ખાન અને આશિષ રાજે)

22 August, 2022 02:39 IST |

Read More

તસવીર : પલ્લવ પાલીવાલ

ગણપતિ બાપ્પા મોરયા, પુઢચ્યા વર્ષી લવકર યા

રવિવારે આનંદ ચૌદશના અવસરે મુંબઈગરાએ તેમના લાડકા ગણપતિ બાપ્પાને અશ્રુભીની આંખે વિદાય આપી હતી. કોરોના વાયરસના નિયમોનું પાલન અને પોલીસની સિક્યોરિટી વચ્ચે બાપ્પાની વિદાય થઈ હતી. જુઓ તસવીરોમાં... (તસવીરો : મિડ-ડે ફોટોગ્રાફર્સ, પીટીઆઈ, એએફપી)

20 September, 2021 12:52 IST |

Read More

ગણપતિ બાપ્પા મોરયા

શ્રી ગણેશ દર્શન

તમારા ગણપતિબાપ્પાનાં દર્શન કરાવી રહ્યું છે ‘મિડ-ડે’. જુઓ તસવીરો...

19 September, 2021 06:11 IST |

Read More

ગણપતિ બાપ્પા મોરયા

શ્રી ગણેશ દર્શન

તમારા ગણપતિબાપ્પાનાં દર્શન કરાવી રહ્યું છે ‘મિડ-ડે’. જુઓ તસવીરો...

18 September, 2021 05:16 IST |

Read More

ગણપતિ બાપ્પા મોરયા

શ્રી ગણેશ દર્શન

તમારા ગણપતિબાપ્પાનાં દર્શન કરાવી રહ્યું છે ‘મિડ-ડે’. જુઓ તસવીરો...

17 September, 2021 04:50 IST |

Read More

ગણપતિ બાપ્પા મોરયા

શ્રી ગણેશ દર્શન

તમારા ગણપતિબાપ્પાનાં દર્શન કરાવી રહ્યું છે ‘મિડ-ડે’. જુઓ તસવીરો...

16 September, 2021 05:57 IST |

Read More

ગણપતિ બાપ્પા મોરયા

શ્રી ગણેશ દર્શન

તમારા ગણપતિબાપ્પાનાં દર્શન કરાવી રહ્યું છે ‘મિડ-ડે’. જુઓ તસવીરો...

15 September, 2021 07:59 IST |

Read More

ગણપતિ બાપ્પા મોરયા

શ્રી ગણેશ દર્શન

તમારા ગણપતિબાપ્પાનાં દર્શન કરાવી રહ્યું છે ‘મિડ-ડે’. જુઓ તસવીરો...

14 September, 2021 07:32 IST |

Read More

ગણપતિ બાપ્પા મોરયા, મંગલમુર્તિ મોરયા

કોરોનાની ચિંતા કર્યા વગર મુંબઈગરાએ કર્યું ગણપતિ બાપ્પાનું સ્વાગત

મુંબઈગરાના પ્રિય તહેવાર ગણેશોત્વસની શરુઆત થઈ ગઈ છે. જોકે, કોરોનાને કારણે આ વર્ષે પાલિકા અને પોલીસ દ્વારા ઘણા નિયમો લાદવામાં આવ્યા છે. છતા મુંબઈગરાના જોમ અને જુસ્સામાં કંઈ ખાસ ફરક નથી પડ્યો. કોરોનાની ચિંતા કર્યા વગર મુંબઈગરાએ ગણપતિ બાપ્પાનું સ્વાગત કર્યું છે. (તસવીર : અતુલ કાંબળે, સતેજ શિંદે, સમીર માર્કન્ડે)

10 September, 2021 03:38 IST |

Read More

વિઘ્નહર્તાના આગમનને કોઇ વાઇરસનું વિઘ્ન નહીં નડેની શ્રધ્ધા સાથે શરૂ થઇ ચૂકી છે મુંબઇમાં તડામાર તૈયારીઓ

તસવીરોમાં જુઓ શહેરની તાસીરઃ 2021ના ગણેશોત્સવ માટે તડામાર તૈયારીઓમાં મુંબઇ શહેર

ગણેશોત્સવની સાથે જ મુંબઈ અને સમગ્ર મહારાષ્ટ્રમાં તહેવારોની શરૂઆત થઈ ગઈ છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) અને રાજ્ય કોવિડ -19 ટાસ્ક ફોર્સ અનુસાર, ગણેશોત્સવ ત્રીજા વેવની તીવ્રતા નક્કી કરશે. તહેવારોની આગળ, મુંબઈ પોલીસે એક `સ્પેશ્યલ 13` ટુકડીની રચના કરી છે જેને તહેવારોની સીઝનમાં લોકો કોવિડ -19 પ્રોટોકોલનું પાલન કરે તે સુનિશ્ચિત કરવા માટે કાર્ય આપવામાં આવ્યું છે.

07 September, 2021 08:18 IST |

Read More


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK