મેજર મોહિત શર્મા પર બનશે ઇફ્તિખાર
ઇફ્તિખાર
અશોક ચક્ર દ્વારા સન્માનિત મેજર મોહિત શર્માના જીવન પરથી હવે ફિલ્મ બનવા જઈ રહી છે. આ ફિલ્મને ‘ઇફ્તિખાર’ નામ આપવામાં આવ્યું છે. શિવ અરૂર અને રાહુલ સિંહની બુક ‘ઇન્ડિયાઝ મોસ્ટ ફિયરલેસ 2 : મોર મિલિટરી સ્ટોરીઝ ઑફ અનઇમૅજિનેબલ કરેજ ઍન્ડ સૅક્રિફાઇસ’ પરથી બનાવવામાં આવી રહી છે. આ ફિલ્મને અપોલોઝ એન્ટરટેઇનમેન્ટ અને દૃશ્ય ફિલ્મ્સ દ્વારા બનાવવામાં આવી રહી છે. ઇફ્તિખાર ભટ્ટના નામથી મોહિત શર્મા હિઝબુલ મુજાહીદ્દીન ટેરરિસ્ટ ઑર્ગેનાઇઝેશન સાથે મળીને ઇન્ડિયન આર્મી માટે કામ કરતો હતો. ૨૦૦૯ની માર્ચમાં તે જમ્મુ ઍન્ડ કાશ્મીરના જંગલમાં આતંકવાદી સાથેની લડાઈમાં શહીદ થયો હતો. આ ફિલ્મનું શૂટિંગ સપ્ટેમ્બરમાં શરૂ કરવામાં આવશે અને એને આવતા વર્ષે પંદર ઑગસ્ટ દરમ્યાન રિલીઝ કરવામાં આવશે.