Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અગિયાર કરોડના ખર્ચે બની રહ્યો છે અયોધ્યાનો સેટ

અગિયાર કરોડના ખર્ચે બની રહ્યો છે અયોધ્યાનો સેટ

03 April, 2024 06:39 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રણબીર કપૂરની ‘રામાયણ’ માટે આ સેટ બન્યા બાદ શૂટિંગ શરૂ થશે : સની દેઓલ, અરુણ ગોવિલ અને સાઈ પલ્લવી બીજા શેડ્યુલમાં શરૂ કરશે શૂટિંગ

અરુણ ગોવિલ , રણબીર કપૂર

અરુણ ગોવિલ , રણબીર કપૂર


રણબીર કપૂરની ‘રામાયણ’ માટે ૧૧ કરોડ રૂપિયાનો સેટ બનાવવામાં આવશે એવી ચર્ચા છે. આ સેટ અયોધ્યાનો હશે. નીતેશ તિવારી દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહેલી આ ફિલ્મ આ વર્ષે શૂટ કરવામાં નહીં આવે એવી ચર્ચા હતી, પણ રામનવમીના દિવસે એની જાહેરાત કરવામાં આવશે એવી શક્યતા છે. રણબીરે તીર-કામઠાંની ટ્રેઇનિંગ શરૂ કરી દીધી હતી. હજી સુધી ગુરુકુલનો સેટ બન્યો છે અને એક વાર સેટ તૈયાર થઈ ગયા બાદ ફિલ્મનું શૂટિંગ શરૂ થશે. આ ફિલ્મના પહેલા શેડ્યુલમાં રણબીર શૂટિંગ શરૂ કરશે. બીજા શેડ્યુલમાં હનુમાનનું પાત્ર ભજવી રહેલો સની દેઓલ શૂટિંગ શરૂ કરશે. ટીવી-સિરિયલ ‘રામાયણ’માં રામનું પાત્ર ભજવનાર અરુણ ગોવિલ હાલમાં ઇલેક્શનમાં વ્યસ્ત છે. લોકસભાના ઇલેક્શન બાદ તેઓ આ શૂટિંગ શરૂ કરશે એવી ચર્ચા છે. તેઓ આ ફિલ્મમાં દશરથનું પાત્ર ભજવતા જોવા મળશે. બીજા શેડ્યુલમાં સીતાનું પાત્ર ભજવી રહેલી સાઈ પલ્લવી પણ શૂટિંગ શરૂ કરશે એવી શક્યતા છે.


Whatsapp-channel Whatsapp-channel

03 April, 2024 06:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK