Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > લતા મંગેશકરને ઑસ્કર અથવા તો ગ્રૅમી મળ્યો હોત તો એ અવૉર્ડ્‍સની નામના વધી ગઈ હોત : જાવેદ અલી

લતા મંગેશકરને ઑસ્કર અથવા તો ગ્રૅમી મળ્યો હોત તો એ અવૉર્ડ્‍સની નામના વધી ગઈ હોત : જાવેદ અલી

11 May, 2022 10:51 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લતા મંગેશકરને ઑસ્કર અને ગ્રૅમીમાં પણ શ્રદ્ધાંજલિ આપવામાં નહોતી આવી.

લતા મંગેશકર

લતા મંગેશકર


જાવેદ અલીનું કહેવું છે કે લતા મંગેશકરને ઑસ્કર અથવા તો ગ્રૅમી મળ્યો હોત તો એ અવૉર્ડ્સની નામના વધુ થઈ ગઈ હોત. લતા મંગેશકરનું મૃત્યુ છ ફેબ્રુઆરીએ થયું હતું. જોકે તેમને ઑસ્કર અને ગ્રૅમીમાં પણ શ્રદ્ધાંજલિ આપવામાં નહોતી આવી. આથી સોશ્યલ મીડિયા પર એને લઈને ખૂબ જ વિવાદ થયો હતો. લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપવા માટે ‘નામ રહ જાએગા’ શો શરૂ કરવામાં આવ્યો છે. આ શોમાં જાવેદ અલીએ હાજરી આપતાં કહ્યું હતું કે ‘મારા મત મુજબ લતાદીદી એક એવી પર્સનાલિટી છે કે તેમની સામે દરેક અવૉર્ડ નાનો લાગે છે. જો તેમને કોઈ અવૉર્ડ ન મળ્યો હોય તો એ એમનું દુર્ભાગ્ય છે કે તેઓ લતાજીને એ અવૉર્ડ ન આપી શક્યા. જો તેમને ઑસ્કર અથવા તો ગ્રૅમી જેવો અવૉર્ડ મળ્યો હોત તો એ અવૉર્ડની નામના વધી ગઈ હોત. તેઓ પોતે એક અવૉર્ડ હતાં. તેમણે જે કામ કર્યું છે એ સોના જેવું છે.’


Whatsapp-channel Whatsapp-channel

11 May, 2022 10:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK