૧૦૦ ટકા મૂર્તિ જ સારી, પણ એ ક્યાં બની છે અને કેવી રીતે એનું સર્જન થયું છે એ પણ એટલું જ મહત્ત્વનું છે
પ્રતીકાત્મક તસવીર
મોટા ભાગનાં ઘરમંદિરોમાં લોકો પોતાના ઇષ્ટદેવનો ફોટો કે પછી નાનકડી પ્રતિમા રાખતા હોય છે. જો શક્ય હોય તો ઘરના મંદિરમાં મૂર્તિ જ રાખવી જોઈએ અને એ મૂર્તિ માટે પણ કહીશ કે શક્ય હોય તો એ માર્બલની મૂર્તિ રાખવી જોઈએ. જે માર્બલમાંથી મૂર્તિ બની હોય એ માર્બલમાં કાળી ઝાંય કે પછી બીજી કોઈ ડસ્ટનું પ્રમાણ ન હોય એ પણ જોવું જોઈએ. નરી આંખે દેખાય એ પ્રકારે તો એમાં કાળાશ ન જ હોવી જોઈએ. માર્બલના અંદરના ભાગમાં ક્યાંય કાળું ધાબું છે કે નહીં એ ચેક કરવાના રસ્તાઓ છે. એક તો મૂર્તિને સૂર્યની સામે રાખવામાં આવે તો અંદર રહેલો મેલ દેખાઈ આવી શકે અને ધારો કે સૂર્યપ્રકાશ સુધી તમે મૂર્તિને લઈ જઈ નથી શકતા તો ટૉર્ચના પ્રકાશથી પણ માર્બલમાં રહેલો મેલ ચકાસી શકાય છે. માર્બલની એકદમ પાસે ટૉર્ચનો પ્રકાશ રાખો તો એ માર્બલની આરપાર નીકળે છે પણ જે જગ્યાએ એ પ્રકાશ દબાઈ જાય એ જગ્યાએ એમાં ડસ્ટ છે એવું ધારી શકાય. જો શક્ય હોય તો એવી મૂર્તિ ઘરમાં પધરાવવી નહીં. આ પ્રકારનો ડસ્ટવાળો માર્બલ શક્ય હોય તો કિચનના પ્લૅટફૉર્મમાં પણ વાપરવો ન જોઈએ.
![Read more article into app... read-more-banner](https://www.gujaratimidday.com//assets/images/image-dk.png)
![Read more article into app... read-more-banner](https://www.gujaratimidday.com//assets/images/image-mb.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)