મનમાં જે કંઈ સારા કે ખરાબ વિચારો ઉત્પન્ન થાય એ બધા કબૂલી લેવા એ જ પ્રામાણિકતા છે?
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મરાઠી સાહિત્યકાર શ્રી વિ. સ. ખાંડેકરની રચનાઓથી ગુજરાતી વાચકો અજાણ્યા નથી. ખાંડેકર એક ગુજરાતી લેખકની જેમ જ વરસોથી વાચકોની વચ્ચે રહ્યા છે. તેમનો એક નિબંધ ડાયરીઓ વિશે છે. દસ-બાર વરસની કિશોરી પુત્રી પિતા પાસેથી એક સરસ મજાની ડાયરી મગાવે છે. પિતા તેને ડાયરી લાવી આપે છે અને પૂછે પણ છે, ‘બેટા, તું આ ડાયરીમાં શું લખવા માગે છે?’ પુત્રીએ પિતાને કહ્યું, ‘બાપુ, હું આ ડાયરીમાં રોજનીશી લખવા માગું છું. રોજનીશી લખવા માટે અમારા શિક્ષકે કહ્યું છે.’ પિતા પુત્રીના આ જવાબથી રાજી થયા.
થોડા સમય પછી પિતાએ આ ડાયરીને ટેબલ પર પડેલી જોઈ. તેમણે ડાયરીનાં પાનાં ઊથલાવ્યાં. દીકરીએ એમાં જે લખ્યું હતું એવું કંઈ જ બન્યું નહોતું. જે પ્રસંગો, ઘટનાઓ અને સંવાદો લખ્યાં હતાં એ બધાં તો સાવ કાલ્પનિક હતાં. પિતાએ પુત્રીને એ વિશે પૂછ્યું ત્યારે પુત્રીએ હસીને કહ્યું, ‘બાપુ, આ તો ડાયરી છે. ડાયરીમાં તો આવું જ લખાયને!’ જે પ્રસંગોએ પુત્રીએ પોતાનાં બે મોઢે વખાણ લખ્યાં હતાં એ પ્રસંગે તેણે હઠ કરી હતી, રઢ લીધી હતી, રોકકળ કરી હતી અને પોતાનું ધાર્યું કરાવવા ઝઘડો કર્યો હતો. એ બધી વાત તેણે સાવ જુદી જ રીતે લખી હતી. એ વિશે પિતાએ વધુ પૂછપરછ કરી ત્યારે દીકરીએ કહ્યું, ‘બાપુ, આ ડાયરી પર તો અમને અમારા ટીચર માર્ક્સ આપવાના છે. ડાયરી જો માર્ક્સ મેળવવા માટે હોય તો
આવું જ લખાયને?’



