Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > દેશમાંથી રાયડા ખોળની નિકાસ જાન્યુઆરીમાં ૨૫ ટકા ઘટી, એરંડાની ૩૯ ટકા ઘટી

દેશમાંથી રાયડા ખોળની નિકાસ જાન્યુઆરીમાં ૨૫ ટકા ઘટી, એરંડાની ૩૯ ટકા ઘટી

Published : 17 February, 2022 02:20 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તમામ તેલીબિયાં ખોળની નિકાસ ગત વર્ષની તુલનાએ જાન્યુઆરીમાં ૬૫ ટકા ઘટી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


દેશમાંથી જાન્યુઆરી મહિનામાં તેલીબિયાં ખોળની નિકાસમાં આગલા મહિનાની તુલનાએ ચાર ટકાનો વધારો જોવા મળ્યો છે, જેમાં મુખ્યત્યે રાયડા ખોળની નિકાસમાં ૨૫ ટકાનો ઘટાડો થયો છે. જોકે એરંડા ખોળની નિકાસમાં ૩૯ ટકાનો ઘટાડો પણ થયો છે.


સૉલ્વન્ટ એક્સટ્રેક્ટર્સ અસોસિએશન ઑફ ઇન્ડિયા (સી)ના આંકડાઓ પ્રમાણે દેશમાંથી જાન્યુઆરી મહિનામાં તેલીબિયાં ખોળની કુલ નિકાસ ૧.૭૬ લાખ ટનની થઈ છે, જે આગલા મહિને ડિસેમ્બર ૨૦૨૧માં ૧.૭૦ લાખ ટનની થઈ હતી. આમ ચાર ટકા નિકાસ વધી છે. જાન્યુઆરી ૨૦૨૧ની તુલનાએ નિકાસમાં ચાલુ વર્ષે ૬૫ ટકાનો ઘટાડો થયો છે. ગત વર્ષે જાન્યુઆરીમાં ૫.૦૧ લાખ ટનની નિકાસ થઈ હતી. ખાસ કરીને સોયા ખોળ અને રાયડા ખોળની નિકાસ ઘટી હોવાથી કુલ નિકાસ ઘટી છે.



રાયડા ખોળની નિકાસ ૨૫ ટકા ઘટીને ૧૬,૧૬૪ ટનની થઈ છે, જ્યારે એરંડા ખોળની નિકાસમાં ૩૯ ટકાનો ઘટાડો થઈને ૩૫,૦૦૦ ટનની નિકાસ થઈ છે. સોયા ખોળની નિકાસ ૨૨ ટકા વધીને ૫૨,૭૭૧ ટનની થઈ છે.


તેલીબિયાંની ૧૦ મહિનાની નિકાસ ૩૫ ટકા ઘટી

દેશમાંથી એપ્રિલ ૨૦૨૧થી જાન્યુઆરી ૨૦૨૨ દરમિયાન કુલ ૧૦ મહિનાની તેલીબિયાંની નિકાસમાં ૩૫ ટકાનો ઘટાડો થઈને આ વર્ષે ૧૯.૪૩ લાખ ટનની નિકાસ થઈ છે, જે ગત વર્ષે આ સમયગાળામાં ૨૯.૬૯ લાખ ટનની નિકાસ થઈ હતી. ખાસ કરીને સોયા ખોળમાં નિકાસ પેરિટી ન હોવાથી અને ભારતની તુલનાએ બીજા દેશના ભાવ નીચા હોવાથી નિકાસને અસર પહોંચી છે. 


Whatsapp-channel Whatsapp-channel

17 February, 2022 02:20 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK