નૅશનલ ઍન્ટિ-પ્રૉફિટિયરિંગ ઑથોરિટીની કાર્યવાહી બંધ થશે
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
પહેલી ડિસેમ્બરથી, જીએસટી નફાખોરીને લગતી તમામ ફરિયાદો પર ભારતના ઍન્ટિ-ટ્રસ્ટ વૉચડૉગ કૉમ્પિટિશન કમિશન ઑફ ઇન્ડિયા (સીસીઆઇ) દ્વારા નૅશનલ ઍન્ટિ-પ્રૉફિટિયરિંગ ઑથોરિટી (એનએએ)ના સ્થાને કાર્યવાહી કરવામાં આવશે, એમ એક સરકારી સૂચનામાં જણાવાયું છે.
હાલમાં, જીએસટી રેટ-કટના લાભો ન આપતી કંપનીઓની તમામ ઉપભોક્તા ફરિયાદોની તપાસ ડિરેક્ટોરેટ જનરલ ઑફ ઍન્ટિ-પ્રૉફિટિયરિંગ (ડીજીએપી) દ્વારા કરવામાં આવે છે, જે પછી એનો અહેવાલ એનએએને સુપરત કરે છે.
ADVERTISEMENT
એનએએ પછી આવી ફરિયાદો પર અંતિમ ચુકાદો આપે છે. એનએએનો કાર્યકાળ આ મહિને પૂરો થતો હોવાથી, એનાં કાર્યો પહેલી ડિસેમ્બરથી સીસીઆઇ દ્વારા લેવામાં આવશે.
ડીજીએપી દ્વારા હવેથી તમામ રિપોર્ટ સીસીઆઇને એના ચુકાદા માટે સબમિટ કરવામાં આવશે.
કેન્દ્ર સરકાર, ગુડ્સ ઍન્ડ સર્વિસ ટૅક્સ કાઉન્સિલની ભલામણો પર સીસીઆઇને સત્તા આપે છે, એ તપાસવા માટે કે કોઈ રજિસ્ટર્ડ વ્યક્તિ દ્વારા મેળવવામાં આવેલી ઇનપુટ ટૅક્સ ક્રેડિટ્સ અથવા ટૅક્સના દરમાં ઘટાડો વાસ્તવમાં કિંમતમાં અનુરૂપ ઘટાડો થયો છે કે કેમ. સામાન અથવા સેવાઓ અથવા બંને એમના દ્વારા પૂરાં પાડવામાં આવે છે એમ સેન્ટ્રલ બોર્ડ ઑફ ઇન્ડાયરેક્ટ ટૅક્સિસ ઍન્ડ કસ્ટમ્સે એક સૂચનામાં જણાવ્યું હતું.