Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > કરાચીના આતંકવાદી હુમલાથી પીએસએલ પર અસર નહીં પડે: પીસીબી અધ્યક્ષ નજમ સેઠી

કરાચીના આતંકવાદી હુમલાથી પીએસએલ પર અસર નહીં પડે: પીસીબી અધ્યક્ષ નજમ સેઠી

19 February, 2023 06:08 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ નજમ સેઠીએ કહ્યું હતું કે ‘કરાચી પોલીસ પ્રમુખના કાર્યાલય પર શુક્રવારે સાંજે થયેલા આતંકવાદી હુમલાની પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ)ની બાકી મૅચો પર કોઈ અસર નહીં પડે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ નજમ સેઠીએ કહ્યું હતું કે ‘કરાચી પોલીસ પ્રમુખના કાર્યાલય પર શુક્રવારે સાંજે થયેલા આતંકવાદી હુમલાની પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ)ની બાકી મૅચો પર કોઈ અસર નહીં પડે. મૅચ  નિર્ધારિત કાર્યક્રમ પ્રમાણે ચાલતી રહેશે, કારણ કે લીગ શરૂ થયા બાદ જ ખેલાડીઓ અને અધિકારીઓ માટે રાષ્ટ્રપતિના સ્તરની સુરક્ષાવ્યવસ્થા કરવામાં આવી છે. તમામ ખેલાડીઓની સારી રીતે દેખભાળ કરવામાં આવી રહી છે.’ 

બોર્ડના અન્ય એક અધિકારીએ કહ્યું હતું કે ‘સિક્યૉરિટી એજન્સી અને સરકારે કરાચીમાં પીએસએલની મૅચને ચાલુ રાખવા માટે પણ મંજૂરી આપી દીધી છે. ગઈ કાલે થયેલી ઘટનાને પીએસએલ સાથે કોઈ સંબંધ નથી. પીએસએલની શનિવારે અને રવિવારે કરાચીના નૅશનલ સ્ટેડિયમમાં યોજાનારી મૅચને જોતાં હોટેલ અને સ્ટેડિયમમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.’


Whatsapp-channel Whatsapp-channel

19 February, 2023 06:08 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK