![રાયગઢમાં ભૂસ્ખલન](https://middaycdn.s.llnwi.net/Image_GMD/images/2023/jul/raigad_d.jpg)
રાયગઢમાં ભૂસ્ખલન
Updated
1 year 1 week 22 hours 27 minutes ago
05:56 PM
News Live Updates: રાયગઢ ભૂસ્ખલનમાં 16ના મોત, 21નો બચાવ
રાયગઢ ભૂસ્ખલન ઘટનામાં ગુરુવારે થયેલા ઓપરેશનમાં 16 મૃતદેહો મળી આવ્યા છે. અને 21 લોકોને જીવતા બચાવી લેવામાં આવ્યા છે.
Updated
1 year 1 week 1 day 40 minutes ago
03:43 PM
News Live Updates: ભાઈંદર સ્ટેશન નજીક ઈમારત ધરાશાયી
મુંબઈમાં ભારે વરસાદ બાદ ભાઈંદર સ્ટેશન નજીક એક ઈમારતનો એક ભાગ સવારે ધરાશાયી થયો હતો. આ ઘટનામાં બે લોકો ઘાયલ થયા છે.
Updated
1 year 1 week 1 day 2 hours 5 minutes ago
02:18 PM
News Live Updates: રાયગઢમાં ભૂસ્ખલન સ્થળ પર જવાના માર્ગમાં ફાયર ઓફિસરનું મોત
નવી મુંબઈ નાગરિક સંસ્થાના ફાયર ઓફિસરનું હૃદયરોગના હુમલાને કારણે મૃત્યુ થયું હતું જ્યારે તે મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં ભૂસ્ખલનના સ્થળે બચાવ કામગીરીમાં જોડાવા જઈ રહ્યા હતા. મુંબઈથી લગભગ 80 કિમી દૂર રાયગઢના ખાલાપુર તહસીલના ઈર્શાલવાડી ગામમાં બુધવારે રાત્રે 11 વાગ્યાની આસપાસ થયેલા ભૂસ્ખલનમાં પાંચ લોકોના મોત થયા હતા.
Updated
1 year 1 week 1 day 2 hours 12 minutes ago
02:11 PM
News Live Updates: ઔરંગાબાદના પ્રાણી સંગ્રહાલયમાં વાઘણે બચ્ચાને જન્મ આપ્યો
મહારાષ્ટ્રના ઔરંગાબાદ શહેરના સિદ્ધાર્થ પ્રાણી સંગ્રહાલયમાં એક વાઘણે બચ્ચાને જન્મ આપ્યો છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. બુધવારે સવારે જન્મેલું બચ્ચું સ્વસ્થ છે અને પ્રાણીસંગ્રહાલય પ્રશાસને નવજાત શિશુ અને તેની માતા, વાઘણ સમૃદ્ધિ, ચોવીસ કલાક મોનિટર કરવા માટે એક ટીમની નિમણૂક કરી છે, એમ તેમણે જણાવ્યું હતું.