Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > દુકાનમાં નહોતો મનપસંદ બીયરનો સ્ટોક, તો દારૂડિયાઓએ મેનેજરને ઉતાર્યો મોતને ઘાટ

દુકાનમાં નહોતો મનપસંદ બીયરનો સ્ટોક, તો દારૂડિયાઓએ મેનેજરને ઉતાર્યો મોતને ઘાટ

06 September, 2022 10:46 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આ ઘટના ઔરંગાબાદના નાંદેડ વિસ્તારની છે. દારૂની એક દુકાનના 32 વર્ષીય મેનેજરને ગુરુવારે છ લોકોના એક જુથે ઢોર માર મારી ચાકુ વડે મોતને ઘાટ ઉતાર્યો હતો.

પ્રતીકાત્મક તસવીર

Crime News

પ્રતીકાત્મક તસવીર


દારૂના નશામાં કેટલાક લોકો એવું કરી બેસતાં હોય છે જે આશ્ચર્ય પમાડે તેવું હોય છે. આવી જ એક ચોંકાવનારી ઘટના મહારાષ્ટ્રમાંથી સામે આવી છે. જયાં એક સનકી વ્યક્તિએ નજીવી વાત પર આલ્કોહોલ શૉપના મેનેજર સાથે બોલાચાલી કરી અને રોષે ભરાઈને તેને મોતને ઘાટ ઉતાર્યો હતો. વાત માત્ર એટલી હતી કે આલ્કોહોલ શૉપ પર આરોપીની પસંદગીની બીયરનો જથ્થો સમાપ્ત થઈ ગયો હતો. 


આ ઘટના ઔરંગાબાદના નાંદેડ વિસ્તારની છે. દારૂની એક દુકાનના 32 વર્ષીય મેનેજરને ગુરુવારે છ લોકોના એક જુથે ઢોર માર મારી ચાકુ વડે મોતને ઘાટ ઉતાર્યો હતો. મૃતક મેનેજરની ઓળખ માધવ વોકર તરીકે થઈ છે, જે કંધાર ક્ષેત્રમાં કટકલંબામાં રહેતો હતો. 



માધવની હત્યાના આરોપમાં પોલીસે દત્તાનગર નિવાસી સાઈનાથ ઈંગલે, તેના મોટાભાઈ ઉમેશ અને બાલાજી કુરુડે એમ ત્રણની ધરપકડ કરી લીધી છે. પોલીસે આ મામલે જણાવ્યું હતું કે બાકીના ત્રણ હુમલાખોરોની શોધખોળ શરૂ છે. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે તમામ છ આરોપીઓ પર હત્યા, હત્યાનો પ્રયાસ, ગેરકાનુની રુપે એકઠા થઈ દંગા અને અપરાધિક ધમકી માટે કેસ નોંધવામાં આવ્યો છે. આરોપીઓ પર ભારતીય બંધારણ મુજબ સંબંધિત ધારાઓ હેઠળ આરોપ લગાવવામાં આવ્યા છે.   


ફરિયાદ મુજબ, સાઈનાથ ઈંગલે ગુરુવારે મોડી રાત્રે સિડકો વિસ્તારના ધવલે ચોકમાં આવેલી દારૂની દુકાને પહોંચ્યો હતો અને ચોક્કસ બ્રાન્ડની બિયર માંગવા લાગ્યો હતો. જ્યારે માધવે કહ્યું કે તે સ્ટોકમાં નથી, ત્યારે આરોપીએ તેની સાથે દુર્વ્યવહાર કર્યો અને દુકાન છોડી દીધી. આ પછી સાઈનાથ તેના પાંચ સાથીઓ સાથે દુકાને પાછો ફર્યો અને માધવ સાથે દુર્વ્યવહાર કરવા લાગ્યો. તેઓ માધવને દુકાનની બહાર ખેંચી ગયા અને તેના પર ધારદાર હથિયારો અને લોખંડના સળિયા વડે હુમલો કર્યો. માધવને લોહીથી લથપથ છોડીને તેઓ સ્થળ પરથી ભાગી ગયા હતા. તે જ સમયે, દુકાનના અન્ય સ્ટાફના લોકો માધવને હોસ્પિટલ લઈ ગયા જ્યાં ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો.


Whatsapp-channel Whatsapp-channel

06 September, 2022 10:46 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK