શ્રીલંકાની રાજધાની કોલંબોમાં વધુ એક વિસ્ફોટ, અત્યાર સુધીમાં 290નાં મોત
શ્રીલંકામાં વધુ એક વિસ્ફોટ
શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકાઓનો માર સહન કરી રહેલા શ્રીલંકામાં સ્થિતિ સામાન્ય થવાનું નામ નથી લઈ રહી. શ્રીલંકાની રાજધાની કોલંબોમાં વધુ એક વિસ્ફોટ થયો છે. મળતી માહિતી પ્રમાણે આ વિસ્ફોટ એક બોમ્બને ડિફ્યૂઝ કરવા દરમિયાન થયો. જો કે આ વિસ્ફોટમાં કોઈને ઈજા થઈ હોવાના અહેવાલો નથી આવ્યા.
આ પણ વાંચોઃ Sri Lanka Blast : કોલમ્બો એરપોર્ટ પાસે મળેલા બોમ્બને કરાયો ડિફ્યુઝ
ADVERTISEMENT
રવિવારે શ્રીલંકામાં ખ્રિસ્તીઓના તહેવાર ઈસ્ટરના મોકા પર અલગ અલગ ચર્ચ અને ફાઈવ સ્ટાર હોટેલને નિશાન બનાવીને આઠ વિસ્ફોટ કરવામાં આવ્યા હતા. જેમાં મૃતકોની સંખ્યા 290 પર પહોંચી ગઈ છે. મૃતકોમાં 27 વિદેશી છે, જેમાં છ ભારતીયો છે. જ્યારે આ વિસ્ફોટમાં 500 લોકો ઘાયલ થયા છે. વિસ્ફોટો બાદ શ્રીલંકામાં કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે.