Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈ: રેલવે-સ્ટેશનો પર લીંબુ-શરબત વેચવા પર પ્રતિબંધ

મુંબઈ: રેલવે-સ્ટેશનો પર લીંબુ-શરબત વેચવા પર પ્રતિબંધ

28 March, 2019 08:25 AM IST | મુંબઈ

મુંબઈ: રેલવે-સ્ટેશનો પર લીંબુ-શરબત વેચવા પર પ્રતિબંધ

લીંબુ-શરબતના વેચાણ પર પ્રતિબંધ

લીંબુ-શરબતના વેચાણ પર પ્રતિબંધ


બે દિવસ અગાઉ કુર્લા રેલવે-સ્ટેશન પર સ્ટૉલના રૂફટૉપ પર બેસી અનહાઇજીનિક રીતે લીંબુ-શરબત બનાવતી વ્યક્તિનો વિડિયો વાઇરલ થયા બાદ ગઈ કાલે રેલવે ઑથોરિટીએ આદેશ જાહેર કર્યો છે કે હવેથી કોઈ પણ રેલવે-સ્ટેશન પર લીંબુ-શરબતનું વેચાણ કરવું પ્રતિબંધિત છે. જોકે પૅકિંગવાળી બૉટલનું લીંબુ-શરબત વેચી શકાશે.

તાજું બનેલું લીંબુ-શરબત અનહાઇજીનિક રીતે બનાવવામાં આવે છે એમ જણાવીને રેલવેએ જાહેર કરેલા પરિપત્રમાં જણાવ્યું હતું કે ‘સ્ટૉલધારકો નાગરિકોના સ્વાસ્થ્યનું ધ્યાન નથી રાખતા. તેથી પ્રશાસન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે લીંબુ-શરબતના વેચાણ પર પ્રતિબંધ મુકાશે. જોકે કાલા ખટ્ટા, ઑરેન્જ જેવાં શરબતોનું વેચાણ કરી શકાશે.’



આ પણ વાંચો : મુંબઈ પોર્ટ ટ્રસ્ટના ટેનન્ટ્સને મિલિંદ દેવરાનું વચન: સમસ્યાનું કરીશ નિરાકરણ


દરમ્યાન વડાલા ગવર્નમેન્ટ રેલવે પોલીસે અસ્વચ્છ રીતે જૂસ બનાવતી બે વ્યક્તિની અટકાયત કરી હતી. મોહમ્મદ આલમ અન્સારી અને છાંગ મુજવા નામની આ વ્યક્તિ કુર્લામાં રહે છે.


Whatsapp-channel Whatsapp-channel

28 March, 2019 08:25 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK