Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > કોઈ અરજદારને પાસપોર્ટ વેરિફિકેશન કરાવવા પોલીસ-સ્ટેશન નહીં જવું પડે

કોઈ અરજદારને પાસપોર્ટ વેરિફિકેશન કરાવવા પોલીસ-સ્ટેશન નહીં જવું પડે

18 November, 2019 09:53 AM IST | Ahmedabad

કોઈ અરજદારને પાસપોર્ટ વેરિફિકેશન કરાવવા પોલીસ-સ્ટેશન નહીં જવું પડે

ફાઈલ ફોટો

ફાઈલ ફોટો


નાગરિકોને પાસપોર્ટ મેળવવા પોલીસ વેરિફિકેશન માટે પોલીસ-સ્ટેશન જવાની જરૂર નથી. પોલીસ દ્વારા તેમના ઘરે જઈ મોબાઇલ પૉકેટકોપ મારફત ઍપ્લિકેશન દ્વારા વેરિફિકેશન કરવામાં આવે છે, પરંતુ પોલીસો કામચોરી કરી અરજદારના ઘરે જવાની જગ્યાએ વેરિફિકેશન માટે અરજદારને પોલીસ-સ્ટેશનમાં બોલાવે છે જેની જિલ્લા પોલીસવડાએ ગંભીર નોંધ લઈ અરજદારને પોલીસ-સ્ટેશન બોલાવવાની જગ્યાએ ઘરે જઈ વેરિફિકેશન કરવા જણાવ્યું છે.

સ્ટેટ ક્રાઇમ રેકૉર્ડ બ્યુરો ગાંધીનગર દ્વારા મોબાઇલ ઍપ્લિકેશનનું મૉનિટરિંગ કરતાં પાસપોર્ટ વેરિફિકેશનનું કામ કરતા પોલીસો દ્વારા નાગરિકોને પોલીસ-સ્ટેશનમાં બોલાવવામાં આવતા હોવાની બાબત ધ્યાનમાં આવી હતી, જેને લઈ જિલ્લા પોલીસવડાએ એની ગંભીરતાથી નોંધ લઈ નાગરિકોને પોલીસ-સ્ટેશનમાં ન બોલાવવા જણાવ્યું છે.



આ પણ વાંચો : અમદાવાદ મેટ્રો મહાત્મા મંદિર ગાંધીનગર સુધી લંબાવાશે, જૂન 2020થી કામ શરૂ થશે


અમદાવાદ પોલીસ-કમિશનર આશિષ ભાટિયાએ આ બાબતે પરિપત્ર કરી તમામ પોલીસ-સ્ટેશનના અધિકારીઓને જાણ કરી છે કે વેરિફિકેશન કરતા અધિકારીઓને આ બાબતે સૂચના આપી એ મુજબ કાર્યવાહી કરવામાં આવે.


Whatsapp-channel Whatsapp-channel

18 November, 2019 09:53 AM IST | Ahmedabad

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK