કોઈ અરજદારને પાસપોર્ટ વેરિફિકેશન કરાવવા પોલીસ-સ્ટેશન નહીં જવું પડે
ફાઈલ ફોટો
નાગરિકોને પાસપોર્ટ મેળવવા પોલીસ વેરિફિકેશન માટે પોલીસ-સ્ટેશન જવાની જરૂર નથી. પોલીસ દ્વારા તેમના ઘરે જઈ મોબાઇલ પૉકેટકોપ મારફત ઍપ્લિકેશન દ્વારા વેરિફિકેશન કરવામાં આવે છે, પરંતુ પોલીસો કામચોરી કરી અરજદારના ઘરે જવાની જગ્યાએ વેરિફિકેશન માટે અરજદારને પોલીસ-સ્ટેશનમાં બોલાવે છે જેની જિલ્લા પોલીસવડાએ ગંભીર નોંધ લઈ અરજદારને પોલીસ-સ્ટેશન બોલાવવાની જગ્યાએ ઘરે જઈ વેરિફિકેશન કરવા જણાવ્યું છે.
સ્ટેટ ક્રાઇમ રેકૉર્ડ બ્યુરો ગાંધીનગર દ્વારા મોબાઇલ ઍપ્લિકેશનનું મૉનિટરિંગ કરતાં પાસપોર્ટ વેરિફિકેશનનું કામ કરતા પોલીસો દ્વારા નાગરિકોને પોલીસ-સ્ટેશનમાં બોલાવવામાં આવતા હોવાની બાબત ધ્યાનમાં આવી હતી, જેને લઈ જિલ્લા પોલીસવડાએ એની ગંભીરતાથી નોંધ લઈ નાગરિકોને પોલીસ-સ્ટેશનમાં ન બોલાવવા જણાવ્યું છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : અમદાવાદ મેટ્રો મહાત્મા મંદિર ગાંધીનગર સુધી લંબાવાશે, જૂન 2020થી કામ શરૂ થશે
અમદાવાદ પોલીસ-કમિશનર આશિષ ભાટિયાએ આ બાબતે પરિપત્ર કરી તમામ પોલીસ-સ્ટેશનના અધિકારીઓને જાણ કરી છે કે વેરિફિકેશન કરતા અધિકારીઓને આ બાબતે સૂચના આપી એ મુજબ કાર્યવાહી કરવામાં આવે.