Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Video:એક્ટર ભવ્ય ગાંધીએ વિદ્યાર્થીઓને કેમ કહ્યું 'બઉ ના વિચાર'?

Video:એક્ટર ભવ્ય ગાંધીએ વિદ્યાર્થીઓને કેમ કહ્યું 'બઉ ના વિચાર'?

18 March, 2019 02:22 PM IST |

Video:એક્ટર ભવ્ય ગાંધીએ વિદ્યાર્થીઓને કેમ કહ્યું 'બઉ ના વિચાર'?

એક્ટર ભવ્ય ગાંધી

એક્ટર ભવ્ય ગાંધી


હાલ બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે. બોર્ડની પરીક્ષા પૂરી થયા બાદ સ્કૂલ-કોલેજની અન્ય પરીક્ષાઓ શરૂ થશે. સરવાળે હાલનો સમય વિદ્યાર્થીઓ સ્ટ્રેસમાં હોય છે. ખાસ કરીને પરિણામને લઈ ખૂબ ચિંતા કરતા હોય છે, પરિણામે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પર પણ અસર પડે છે. જો કે વિદ્યાર્થીઓને સ્ટ્રેસ ન લેવા એક્ટર ભવ્ય ગાંધીએ ખાસ સલાહ આપી છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી જાણીતા બનેલા ટપુ ઉર્ફે ભવ્ય ગાંધીએ વિદ્યાર્થીઓને સલાહ આપી છે. ભવ્ય ગાંધી વિદ્યાર્થીઓ માટે એક વીડિયો જાહેર કરીને કહ્યું છે કે 'બઉ ના વિચાર.' બે દિવસ પહેલા અપકમિંગ ગુજરાતી ફિલ્મ બઉના વિચાર પર ભવ્ય ગાંધીનો એક વીડિયો શૅર કરવામાં આવ્યો છે. જેમાં ભવ્ય ગાંધી વિદ્યાર્થીઓને વધુ પડતા વિચાર ન કરીને સ્ટ્રેસ ન લેવા કહી રહ્યા છે.



જુઓ વીડિયો.


આ વીડિયોમાં પહેલા તો એક્ટર ભવ્ય ગાંધી ગણિતના સમીકરણો વિશે વાતો કરે છે. અને છેલ્લે વિદ્યાર્થીઓને સંબોધીને કહે છે કે પરીક્ષા ભલે હોય, શાંતિથી આપજો અને બઉના વિચારતા.


આ પણ વાંચોઃ ગુજરાતી એલિયન બનીને મોજ કરાવશે ભવ્ય ગાંધી

ઉલ્લેખનીય છે કે એક્ટર ભવ્ય ગાંધીએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો છોડ્યા બાદ 'પપ્પા તમને નહીં સમજાય' નામની ગુજરાતી ફિલ્મ કરી હતી. હવે તેઓ અપકમિંગ ફિલ્મ 'બઉ ના વિચાર'નું શૂટિંગ કરી રહ્યા છે. સાથે જ ભવ્ય લગભગ 2 વર્ષ બાદ 'શાદી કે સિયાપે' નામના ટીવી શૉ દ્વારા કમ બૅક કરી રહ્યા છે.

 

Whatsapp-channel Whatsapp-channel

18 March, 2019 02:22 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK