07 April, 2024 02:36 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર: ઇન્સ્ટાગ્રામ
ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શૉ (The Great Indian Kapil Show)નો બીજો એપિસોડ શનિવારે રિલીઝ થઈ ગયો છે. ભારતીય ક્રિકેટરો રોહિત શર્મા (Rohit Sharma) અને શ્રેયસ અય્યરે બીજા એપિસોડમાં ભાગ લીધો હતો. શૉમાં બંને ક્રિકેટર કપિલ શર્મા સાથે ખુલીને વાત કરતા જોવા મળ્યા હતા. પહેલીવાર હિટમેને વર્લ્ડ કપ 2023 હારવા પર પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. ચાલો જાણીએ કે ભારતીય ક્રિકેટરે વર્લ્ડ કપ વિશે શું કહ્યું.
વર્લ્ડ કપની હાર પર બોલ્યા રોહિત શર્મા
કપિલના શૉ (The Great Indian Kapil Show)માં વર્લ્ડ કપ વિશે વાત કરતા હિટમેને કહ્યું કે, “અમે ફાઈનલ મેચના બે દિવસ પહેલા અમદાવાદમાં હતા. ટીમનું વાતાવરણ ઘણું સારું હતું. અમે ફાઇનલમાં સારી શરૂઆત કરી હતી. શુભમન ગિલ પહેલા આઉટ થયો હતો, જ્યારે તમે મોટી ટાઇટલ મેચ રમો છો અને પહેલા બેટિંગ કરવાનો પ્રયાસ કરો છો, ત્યારે તમારા માટે મોટો સ્કોર બનાવવો મહત્વપૂર્ણ છે, જેના કારણે સામેની ટીમ પર દબાણ રહે છે. ગિલ પછી વિરાટ અને મારી વચ્ચે થોડી ભાગીદારી હતી. આત્મવિશ્વાસ હતો કે અમે સારો સ્કોર કરી શકીશું, પરંતુ ઓસ્ટ્રેલિયાએ તે દિવસે સારું પ્રદર્શન કર્યું હતું.”
રોહિત શર્માની વાત સાંભળ્યા બાદ અર્ચના પુરણ સિંહે (The Great Indian Kapil Show) કહ્યું કે, ભલે તે મેચ હારી ગયા, પરંતુ તેમણે બધાનું દિલ જીતી લીધું છે. રોહિતે એમ પણ કહ્યું કે, વર્લ્ડકપ હાર્યા બાદ જે રીતે જનતા ભારતીય ટીમને પ્રેમ અને સન્માન આપતી હતી. તેને આ વાતથી ખૂબ જ આશ્ચર્ય થયું, કારણ કે તેને લાગતું હતું કે મેચ હાર્યા બાદ જનતા ટીમથી નારાજ થશે. પણ એવું ન થયું.
રિતિકા-અનુષ્કાની લડાઈ
રોહિત શર્માની પત્ની રિતિકા પણ કપિલ શર્મા શૉમાં હાજર હતી. આવી સ્થિતિમાં કપિલે તેને એક મહત્વનો સવાલ પણ પૂછ્યો હતો. કોમેડિયને ક્રિકેટરની પત્નીને પૂછ્યું કે, શું ક્યારેય એવું બન્યું છે કે રોહિત સ્ટેડિયમમાં વહેલો આઉટ થઈ ગયો હોય અને અનુષ્કા શર્મા તમને આ વાત પર ચીડવે? આ પછી તમારી બંને વચ્ચે ઝઘડો થયો હતો. આના જવાબમાં રિતિકાએ કહ્યું કે, જ્યારે રોહિત બેટિંગ કરે છે ત્યારે હું કોઈની સાથે વાત નથી કરતી. તેથી જ કોઈ ઝઘડો નથી. પછી તેને પૂછવામાં આવ્યું કે, જ્યારે રોહિત આઉટ થાય છે ત્યારે તે શું કરે છે, તો તેણે કહ્યું કે, “હું મારા અન્ય મિત્રોને સપોર્ટ કરું છું.”
તમને જણાવી દઈએ કે રિતિકા અને અનુષ્કા હંમેશા મેચ દરમિયાન પોતાના પાર્ટનરને સપોર્ટ કરતા જોવા મળે છે. ઝલક દિખલા જા 11ના મંચ પર ધનશ્રી વર્માએ કહ્યું હતું કે, રિતિકા ખૂબ જ અંધશ્રદ્ધાળુ વ્યક્તિ છે. જો તમે રિતિકા અને હિટમેન વિશે વધુ જાણવા માગતા હો, તો તમે કપિલ શર્માનો શૉ જોઈ શકો છો.