રિષભ પંત બન્યો દિલ્હીનો કૅપ્ટન

01 April, 2021 07:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દિલ્હી કૅપિટલ્સનો કૅપ્ટન શ્રેયસ ઐયર ખભાની ઈજાને લીધે આ વર્ષે આઇપીએલ નહીં રમી શકે

રિષભ પંત

દિલ્હી કૅપિટલ્સનો કૅપ્ટન શ્રેયસ ઐયર ખભાની ઈજાને લીધે આ વર્ષે આઇપીએલ નહીં રમી શકે અને તેની ગેરહાજરીમાં ટીમની કપ્તાની રિષભ પંતને સોંપવામાં આવી છે. ગઈ કાલે આ વાતની જાણકારી આપતાં ટીમના ચૅરમૅન અને કો-ઓનર કિરણ કુમાર ગ્રાન્ધીએ કહ્યું કે ‘હું શ્રેયસ જલદી સાજા થવાની આશા કરું છું. શ્રેયસના નેતૃત્વમાં અમારી ટીમે નવાં શિખર સર કર્યાં હતાં, પણ અચાનક તેને આ સિરીઝ ગુમાવવી પડી છે. તેની ગેરહાજરીમાં ​આ વર્ષે ફ્રૅન્ચાઇઝીએ રિષભ પંતને કપ્તાન તરીકેની જવાબદારી સોંપવાનો નિર્ણય લીધો છે. ક્રિકેટમાં આગળ વિકાસ કરવાની આ તેને માટે આ એક યોગ્ય તક બની રહેશે. તેને આ નવી જવાબદારી બદલ અભિનંદન.’

પોતાની હોમટાઉન ટીમ દિલ્હીના કૅપ્ટન તરીકેની નવી જવાબદારી મળતાં પંતે આનંદ વ્યક્ત કર્યો હતો. પંત છેલ્લાં છ વર્ષથી આઇપીએલ રમી રહ્યો છે.

sports sports news indian premier league ipl 2021 delhi capitals Rishabh Pant shreyas iyer