12 April, 2021 11:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઈલ તસવીર
શનિવારે દિલ્હી સામે પહેલી મૅચ હાર્યા બાદ ચેન્નઈ સુપર કિંગ્સના સુકાની મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું કે પહેલાં બૅટિંગ કરનાર ટીમે ઓછામાં ઓછા ૨૦૦ રન બનાવવા જરૂરી છે જેથી વિરોધી ટીમને પ્રેશરમાં લાવી શકાય. દિલ્હીએ સારી બોલિંગ કરી ચેન્નઈને ૭ વિકેટે ૧૮૮ રનમાં અટકાવી હતી.
મૅચ પ્રેઝન્ટેશનમાં ધોનીએ કહ્યું કે ‘મોટા ભાગે મૅચનું પરિણામ ભેજ પર આધાર રાખે છે અને એટલા માટે જ અમે શક્ય એટલા વધારે રન બનાવવા માગતા હતા. ભેજ હોય તો તમારે આગળનું વિચારીને રમવાનું હોય છે અને એક્સ્ટ્રા રન મેળવવાના હોય છે. સાંજે ૭.૩૦ વાગ્યે મૅચ શરૂ થાય એ વખતે વિરોધી ટીમ પાસે અડધો કલાક એવો હોય છે જેમાં પિચ થોડી ચીકણી હોય છે અને બૉલ અટકીને બૅટ પર આવતો હોય છે. જેવો એ અડધો કલાક પૂરો થવા આવે છે એ એ સૂકી થતી જાય છે અને વિરોધી ટીમ માટે ભેજ ઓછી થતી જાય છે. આ કારણસર અમારે ૧૫થી ૨૦ રન વધારે બનાવવા પડે છે અને બોલિંગ વખતે વહેલી વિકેટ લેવી પડે છે. ભેજને ધ્યાનમાં રાખીને કહું તો પહેલાં બૅટિંગ કરતી ટીમે કમસે કમ ૨૦૦ રન બનાવવા જરૂરી છે.’