18 June, 2025 01:25 PM IST | Nagpur | Gujarati Mid-day Online Correspondent
ઇન્ડિગોની ફ્લાઈટ માટે વાપરવામાં આવેલી તસવીર
વધુ એક વિમાનમાં બૉમ્બની ધમકીની ઘટના સામે આવી છે. આ વિમાન કોચ્ચીથી દિલ્હી જઈ રહ્યો હતો. બૉમ્બની ધમકી મળ્યા બાદ આ વિમાનને નાગપુરમાં લૅન્ડ કરાવવામાં આવ્યું છે. માહિતી પ્રમાણે, તે વિમાન ઇન્ડિગો ઍરલાઈન્સનું હતું.
વધુ એક વિમાનમાં બૉમ્બની ધમકીની ઘટના સામે આવી છે. આ વિમાન કોચ્ચીથી દિલ્હી જઈ રહ્યું હતું. બૉમ્બની ધમકી મળ્યા બાદ આ વિમાનને નાગપુરમાં ઉતારી લેવામાં આવ્યો છે. માહિતી પ્રમાણે આ વિમાન ઇન્ડિગો ઍરલાઈન્સનું હતું. છેલ્લા પાંચ દિવસમાં વિમાનને બૉમ્બની ધમકીની આ ત્રીજી ઘટના છે. આ પહેલા સોમવારે લુફ્તાંસા ઍરલાઈન્સના વિમાનને પણ બૉમ્બની ધમકી મળી હતી. આ વિમાન જર્મનીથી હૈદરાબાદ આવી રહ્યું હતું. તો, શુક્રવારે ફુકેટથી ફ્લાઈટ ટેક ઑફ કરનાર ઍર ઇન્ડિયાના વિમાનને પણ બૉમ્બથી ઉડાડવાની ધમકી મળી હતી. ત્યાર બાદ વિમાન પાછું ફુકેટ ઍરપૉર્ટ પર લૅન્ડ થઈ ગયું હતું.
ધમકીમાં ફ્લાઇટ નંબર પણ હતો
આ ઇન્ડિગો એરલાઇન્સનું વિમાન નાગપુર ઍરપૉર્ટ પર સુરક્ષિત રીતે ઉતરાણ કરવામાં આવ્યું છે. અહીં સુરક્ષા એજન્સીઓએ સંપૂર્ણ સતર્કતા સાથે તમામ મુસાફરોને નીચે ઉતાર્યા. આ પછી, તમામ પ્રોટોકોલનું પાલન કરીને વિમાનની સંપૂર્ણ તપાસ કરવામાં આવી. આ મામલો એ પણ ગંભીર હતો કે ધમકી આપનાર વ્યક્તિએ ફ્લાઇટ નંબર પણ જણાવ્યું હતું. જે સમયે આ ધમકી મળી હતી, તે સમયે આ વિમાન કોચીથી ઉડાન ભરી ચૂક્યું હતું. ધમકીની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, તેને નાગપુર તરફ વાળવામાં આવ્યું હતું. હાલમાં, આ વિમાન ત્યાં જ ઉભું છે.
નોંધનીય છે કે આજે જ એર ઇન્ડિયાએ તેના એક એન્જિનમાં ટેકનિકલ ખામીને કારણે કોલકાતામાં નિર્ધારિત સ્ટોપ પર તેની સાન ફ્રાન્સિસ્કો-મુંબઈ ફ્લાઇટ બંધ કરી દીધી હતી. ફ્લાઇટ બંધ થવાને કારણે, નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર અરાજકતાનું વાતાવરણ સર્જાયું હતું અને `બોઇંગ 777-200 LR` ના 211 મુસાફરોએ અધિકારીઓ સાથે ખાતરી કરવાનું શરૂ કર્યું હતું કે તેમને શક્ય તેટલી વહેલી તકે તેમના ગંતવ્ય સ્થાને પહોંચાડવામાં આવે. તમને જણાવી દઈએ કે 12 જૂને અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના પછી, ફ્લાઇટ્સના ઇમરજન્સી લેન્ડિંગની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે.
ઉલ્લેખની છે કે શુક્રવારે થાઇલૅન્ડ, ફુકેટથી દિલ્હી આવતી ઍર ઇન્ડિયાની એક ફ્લાઇટની ઇમરજન્સી લૅન્ડિંગ કરાવવી પડી. માહિતી છે કે ફ્લાઇટમાં બૉમ્બ હોવાની ધમકી મળી હતી.મુશ્કેલીઓ જાણે ઍર ઇન્ડિયાનો પીછો પકડી રહી છે. છેલ્લા બે દિવસમાં આ ઍરલાઈન્સ પર અનેક મોટી આફતો આવી ચૂકી છે એમ કહીએ તો એમાં કોઈ અતિશયોક્તિ નહીં હોય. ગુરુવારે પ્લેન ક્રેશ અકસ્માત બાદ શુક્રવારે પણ અનેક ફ્લાઇટ્સ ડાયવર્ટ થઈ છે. જેમાંથી હવે એક ફ્લાઇટમાં બૉમ્બ હોવાની ધમકી મળ્યા બાદ આ ફ્લાઇટની ઇમરજન્સી લૅન્ડિંગ કરાવવી પડી છે.
ઇન્ડિગોની કોચી-દિલ્હી ફ્લાઇટમાં બૉમ્બ હોવાની અફવાને પગલે નાગપુરમાં ઇમર્જન્સી લૅન્ડિંગ
મસ્કતથી કોચી થઈને દિલ્હી જતી ઇન્ડિગો ઍરલાઇન્સની ફ્લાઇટ 6E 2706માં બૉમ્બ હોવાની માહિતી મળતાં જ નાગપુર ઍરપોર્ટ પર ફ્લાઇટનું ઇમર્જન્સી લૅન્ડિંગ કરવામાં આવ્યું હતું.
કોચીથી દિલ્હી જતી ફ્લાઇટમાં બૉમ્બ હોવાની બાબતે નાગપુરના નાયબ પોલીસ-કમિશનર લોહિત મતાણીએ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં કશું જ શંકાસ્પદ વસ્તુ નહોતી મળી આવી. તમામ મુસાફરો સલામત હતા.
ગઈ કાલે નાગપુરમાં ઇન્ડિગોનું પ્લેન.
સોમવારે આવા જ એક બનાવમાં લુફ્થાન્સા ઍરલાઇન્સની ફ્રૅન્કફર્ટથી હૈદરાબાદ આવતી ફ્લાઇટમાં પણ બૉમ્બ હોવાની માહિતી મળતાં ફ્લાઇટને હૈદરાબાદ લૅન્ડ થવાની પરવાનગી નહોતી મળી અને ફ્લાઇટ પાછી ફ્રૅન્કફર્ટ ગઈ હતી. ઉપરાંત ૧૩ જૂને ઍર ઇન્ડિયાની થાઇલૅન્ડથી દિલ્હી આવતી ફ્લાઇટમાં પણ આ રીતે બૉમ્બ હોવાની માહિતી મળતાં એને એક ટાપુ પર લૅન્ડ કરવામાં આવી હતી.