21 February, 2023 04:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કાર્તિક આર્યન અને ક્રિતી સૅન
કાર્તિક આર્યનની શુક્રવારે રિલીઝ થયેલી ‘શહઝાદા’ના કલેક્શનમાં રવિવારે થોડી વૃદ્ધિ દેખાઈ હતી. રોહિત ધવનના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં ક્રિતી સૅનન, પરેશ રાવલ, મનીષા કોઇરાલા, સની હિન્દુજા, અલી અસગર, રાજપાલ યાદવ અને રૉનિત રૉય પણ લીડ રોલમાં જોવા મળી રહ્યાં છે. આ ફિલ્મ ૨૦૨૦માં આવેલી સાઉથની ‘અલા વૈકુંઠપુરમુલુ’ની હિન્દી રીમેક છે. આવનારા દિવસોમાં લોકો આ ફિલ્મ જોવા જાય એવી શક્યતા છે અને એને કારણે કદાચ ફિલ્મનો બિઝનેસ પણ વધી શકે છે. ફિલ્મે શુક્રવારે ૬ કરોડ, શનિવારે ૬.૬૫ કરોડ અને રવિવારે ૭.૫૫ કરોડની સાથે કુલ મળીને ૨૦.૨૦ કરોડનો વકરો કરી લીધો છે. કાર્તિકની ફિલ્મ પાસેથી જે અપેક્ષા રાખવામાં આવી રહી હતી એની સરખામણીએ ફિલ્મે સારું પર્ફોર્મ નથી કર્યું.