કૅપ્ટન શુભમન મેદાન પર રોહિત-વિરાટ જેટલો પ્રભાવશાળી નથી : નાસિર હુસેન

26 June, 2025 10:32 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

રોહિત અને કોહલી ટીમનું નેતૃત્વ કરી રહ્યા હતા ત્યારે તમે તેમને જોઈને સમજી શકો છો કે કોણ નેતૃત્વ કરી રહ્યું હતું, પરંતુ આ મૅચમાં મને લાગ્યું કે બે કે ત્રણ કૅપ્ટન હતા

નાસિર હુસેન

ચેન્નઈમાં જન્મેલા ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ કૅપ્ટન નાસિર હુસેને ભારતના નવા ટેસ્ટ-કૅપ્ટન શુભમન ગિલ વિશે મોટું નિવેદન આપ્યું છે. ૫૭ વર્ષના આ કૉમેન્ટેટરે કહ્યું છે કે તેનામાં મેદાન પર રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવો પ્રભાવ નહોતો. સક્રિય રહેવાને બદલે તે પ્રતિક્રિયા જ આપી રહ્યો હતો. જ્યારે રોહિત અને કોહલી ટીમનું નેતૃત્વ કરી રહ્યા હતા ત્યારે તમે તેમને જોઈને સમજી શકો છો કે કોણ નેતૃત્વ કરી રહ્યું હતું, પરંતુ આ મૅચમાં મને લાગ્યું કે બે કે ત્રણ કૅપ્ટન હતા. એવું લાગ્યું કે કોઈ કમિટી ટીમનું નેતૃત્વ કરી રહી હતી.’

england shubman gill rohit sharma virat kohli indian cricket team cricket news sports news sports india board of control for cricket in india