આઇપીએલ 19 સપ્ટેમ્બરે શરૂ થશે, દશેરાએ ફાઇનલ રમાશે

08 June, 2021 03:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતીય ક્રિકેટ બોર્ડે એમિરેટ્સ ક્રિકેટ બોર્ડ સાથે ચર્ચાવિચારણા કર્યા બાદ લાગે છે કે આખરે આઇપીએલની ૧૪મી સીઝનની બાકીની ૩૧ મૅચો માટેનું શેડ્યુલ ફાઇનલ કરી લીધું છે.

પ્રતીકાત્મક તસવીર

ભારતીય ક્રિકેટ બોર્ડે એમિરેટ્સ ક્રિકેટ બોર્ડ સાથે ચર્ચાવિચારણા કર્યા બાદ લાગે છે કે આખરે આઇપીએલની ૧૪મી સીઝનની બાકીની ૩૧ મૅચો માટેનું શેડ્યુલ ફાઇનલ કરી લીધું છે. અહેવાલ પ્રમાણે ૧૪મી સીઝન ફરી ૧૯ સપ્ટેમ્બરે શરૂ થશે અને ૧૫ ઑક્ટોબરે દશેરાના દિવસે ફાઇનલ રમાશે.  

સમાચાર-એજન્સી એએનઆઇને ક્રિકેટ બોર્ડના એક અધિકારીએ જણાવ્યું હતું કે બન્ને ક્રિકેટ બોર્ડ વચ્ચેની મીટિંગ સફળ રહી હતી અને અમને યુએઈમાં ફરી આઇપીએલના આયોજન માટે બધી મંજૂરી મળી ગઈ છે. આ અધૂરી સીઝન ૧૯ સપ્ટેમ્બરે શરૂ થશે અને ફાઇનલ ૧૫ ઑક્ટોબરે રમાશે. ક્રિકેટ બોર્ડ આ બાકીની મૅચો માટે ૨૫ દિવસનો વિન્ડો શોધી રહ્યું હતું.’

વિદેશી ખેલાડીઓ વિશે અધિકારીએ કહ્યું હતું કે ‘વાતચીત શરૂ થઈ ગઈ છે અને અમે આશા રાખી રહ્યા છીએ કે મોટા ભાગના વિદેશી ખેલાડીઓ રમવા આવશે. જો અમુક નહીં આવી શકે એમ હોય તો શું કરવું એ વિશે પછી વિચારીશું, પણ અત્યારે તો બધું સમુંસૂતરું પાર પડશે અને ૧૪મી સીઝન પણ ધૂમધડાકાભેર સમાપ્ત થશે.’ 

જોકે ફ્રૅન્ચાઇઝીઓને વિશ્વાસ છે કે ક્રિકેટ બોર્ડ બાકીની મૅચ માટે વિદેશી ખેલાડીઓને ઉપલબ્ધ કરાવી જ આપશે. 

dubai united arab emirates ipl 2021 indian premier league cricket news sports news sports