માહી વગર ઉજવણી નહીં

17 October, 2021 04:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચેન્નઈની ટીમના સીઈઓ કાશી વિશ્વનાથે કહ્યું કે અમે કૅપ્ટન ભારત પાછો ફરે એની રાહ જોઈશું

ચેન્નઈની ટીમ

ચેન્નઈની ટીમ ચોથા ટાઇટલના વિજયની ઉજવણી માટે કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ભારત પાછો ફરે એની રાહ જોશે. યુએઈ અને ઓમાનમાં રમાનારા વર્લ્ડ કપ માટે ધોની ભારતીય ટીમના મેન્ટર તરીકે કામગીરી બજાવવાનો છે. ચેન્નઈની ટીમના સીઈઓ કાશી વિશ્વનાથે કહ્યું કે અમે કૅપ્ટન ભારત પાછો ફરે એની રાહ જોઈશું. તે હવે ચેન્નઈના કૅપ્ટનમાંથી ભારતીય ટીમના મેન્ટરની ભૂમિકામાં આવી ગયો છે એથી તે ભારત પાછો ફરે પછી એક નાનકડા સમારોહનું આયોજન કરીશું.

ગયા વર્ષના ખરાબ પ્રદર્શન બાદ ચેન્નઈની ટીમ આ વખતે ફરી ટાઇટલ જીતી છે. કોચ સ્ટીફન ફ્લેમિંગે ૨૦૧૮ના વિજયને સ્પેશ્યલ ગણાવ્યો હતો. જોકે સીઈઓએ કહ્યું કે ‘કોઈ પણ વિજયને સરખાવી શકાય નહીં. એ વખતનો વિજય ભારે લાગણીશીલ હતો અને આ વખતે પણ ઘણી મહેનત કરી હતી.’

sports sports news cricket news indian premier league ipl 2021 chennai super kings