આજે સાઉથ આફ્રિકા સામે ટીમ ઇન્ડિયા સિરીઝ અને લાજ બન્ને બચાવવા ઊતરશે

06 December, 2025 07:43 AM IST  |  Visakhapatnam | Gujarati Mid-day Correspondent

૩ મૅચની સિરીઝ ૧-૧થી લેવલ છે, ભારતમાં સાઉથ આફ્રિકા એક દાયકા પહેલાં એકમાત્ર વન-ડે સિરીઝ જીત્યું હતું

ગુરુવારે રાતે વિશાખાપટનમના ઍરપોર્ટ પર ફૅન્સની ભીડ અને ભારે સુરક્ષા વચ્ચે વિરાટ કોહલી અને રોહિત શર્મા સહિતના પ્લેયર્સ ત્રીજી વન-ડે રમવા પહોંચ્યા હતા

સાઉથ આફ્રિકા સામે ઘરઆંગણે ટેસ્ટ-સિરીઝ હાર્યા બાદ ટીમ ઇન્ડિયા સામે હવે વન-ડે સિરીઝ હારનો પણ ખતરો છે. ૧-૧થી લેવલ થયેલી ૩ વન-ડેની સિરીઝની અંતિમ અને નિર્ણાયક મૅચ આજે વિશાખાપટનમમાં રમાશે. ભારતમાં રમેલી ૬ દ્વિપક્ષીય વન-ડે સિરીઝમાંથી સાઉથ આફ્રિકા એકમાત્ર સિરીઝ ૨૦૧૫માં જીત્યું હતું. સાઉથ આફ્રિકન ટીમ ટેસ્ટ-સિરીઝની જેમ ભારતમાં લાંબા સમયથી વન-ડે સિરીઝની હારનો સિલસિલો તોડવા ઊતરશે. જ્યારે વિરાટ કોહલી અને રોહિત શર્માના ફૉર્મથી ઉત્સાહિત ભારતીય ટીમ વન-ડે સિરીઝ સાથે લાજ બચાવવા પણ ઊતરશે. 
વિશાખાપટનમના સ્ટેડિયમમાં છેલ્લે ફેબ્રુઆરી ૨૦૨૪માં ઇંગ્લૅન્ડ-ભારતની ટેસ્ટ-મૅચ રૂપે અંતિમ ઇન્ટરનૅશનલ મૅચ રમાઈ હતી. છેલ્લે માર્ચ ૨૦૨૩માં અહીં વન-ડે ઇન્ટરનૅશનલ મૅચ રમાઈ હતી. ભારત આ મેદાન પર ૨૦૦૫થી ૨૦૨૩ દરમ્યાન ૧૦માંથી ૭ વન-ડે મૅચ જીત્યું છે. બે મૅચમાં હાર મળી અને એક મૅચ ટાઇ રહી હતી. સાઉથ આફ્રિકા આ મેદાન પર પહેલી વખત વન-ડે મૅચ રમવા ઊતરશે.

વિશાખાપટનમમાં હાઇએસ્ટ સ્કોરિંગ મૅચ બની શકે છે. અહીં રમાયેલી ૧૦ વન-ડે મૅચમાંથી ૭ વન-ડેમાં ૫૦૦+ રનની મૅચ રમાઈ છે જેમાંથી ૩ મૅચ ૬૦૦+ રનવાળી હતી. રાંચી અને રાયપુરમાં વિરાટ કોહલીની સદી બાદ ત્રીજી વન-ડે મૅચ માટેની તમામ ટિકિટ ઝડપથી વેચાઈ ગઈ હતી. સ્ટેડિયમની બહાર ફૅન્સની ભારે ભીડના ચિંતાજનક વિડિયો પણ સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા હતા.

one day international odi south africa india indian cricket team team india rohit sharma yashasvi jaiswal virat kohli ruturaj gaikwad washington sundar kl rahul ravindra jadeja harshit rana Kuldeep Yadav arshdeep singh prasidh krishna cricket news sports sports news visakhapatnam