15 September, 2019 11:08 AM IST | ધરમશાલા
વિરાટ કોહલી અને રોહિત શર્મા
ટીમ ઇન્ડિયાના કૅપ્ટન વિરાટ કોહલી અને વાઇસ-કૅપ્ટન રોહિત શર્મા વચ્ચે મતભેદ હોવાનું ઘણા સમયથી ચર્ચાઈ રહ્યું છે. કોહલીએ આવું કંઈ જ ન હોવાનું સ્પષ્ટ કર્યું છે અને હેડ કોચ રવિ શાસ્ત્રીએ મતભેદને મનભેદ તરીકે ન જોવાનું કહ્યું હતું. આને થોડો સમય ભૂલી જઈને મેદાનમાં આ બન્ને ખેલાડીઓની ટક્કરને માણવા તૈયાર થઈ જવું જોઈએ. ટી૨૦ ઇન્ટરનૅશનલમાં રોહિત શર્મા હાલમાં સૌથી વધુ ૨૪૨૨ રન સાથે ટૉપમાં છે. વિરાટ ૨૩૬૯ સાથે બીજા નંબરે છે.
આ પણ વાંચો : ધરમશાલામાં આજે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પ્રથમ ટી20 ટક્કર
વિરાટ રોહિત કરતાં ફક્ત ૫૩ રન પાછળ હોવાથી આ સિરીઝમાં પણ બન્ને વચ્ચે ટૉપની ટક્કર જોવા મળશે. બીજું ટી૨૦માં બન્ને ૨૧ વાર ફિફ્ટી પ્લસના સ્કોર સાથે બરોબરીમાં છે. રોહિતે ૧૭ હાફ સેન્ચુરી અને ચાર સેન્ચુરી ફટકારી છે, જ્યારે વિરાટ ૨૧ હાફ-સેન્ચુરી ફટકારી છે પણ હજી એક પણ સેન્ચુરી ફટકારી નથી શક્યો.