યોગી આદિત્યનાથે જણાવી મહાકુંભની ગજબ સક્સેસ-સ્ટોરી

06 March, 2025 06:58 AM IST  |  Prayagraj | Gujarati Mid-day Correspondent

૧૩૦ બોટ ધરાવતા એક પરિવારે ૪૫ દિવસમાં ૩૦ કરોડ રૂપિયાની કમાણી કરી

કુંભ મેળો

સમાજવાદી પાર્ટીએ આરોપ લગાવ્યો હતો કે મહાકુંભ મેળામાં બોટવાળા લોકોનું શોષણ કરવામાં આવ્યું હતું, પણ એનો જવાબ આપતાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ગઈ કાલે જણાવ્યું હતું કે પ્રયાગરાજમાં એક બોટ ચલાવતા પરિવારે ૪૫ દિવસમાં ૩૦ કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ બોટવાળા પાસે ૧૩૦ બોટ છે. દરેક બોટ પર આ બોટવાળા પરિવારને ૪૫ દિવસમાં ૨૩ લાખ રૂપિયાની કમાણી થઈ છે. આમ દરરોજ એક બોટની કમાણી ૫૦,૦૦૦થી ૫૨,૦૦૦ રૂપિયા રહી હતી.

national news india kumbh mela religious places uttar pradesh prayagraj yogi adityanath