સુરતઃછાશ ઢોળાવાને કારણે મોટા ભાઈએ કરી નાના ભાઈની હત્યા

11 April, 2019 02:02 PM IST  |  સુરત

સુરતઃછાશ ઢોળાવાને કારણે મોટા ભાઈએ કરી નાના ભાઈની હત્યા

પ્રતીકાત્મક તસવીર

સુરતના વરાછામાં સગા ભાઈએ ભાઈની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. ઘટના વરાછાના ઈશ્વરનગરની છે. જ્યાં મોટા ભાઈે નાના ભાઈ પર ચપ્પુથી હુમલો કર્યો. અને નાના ભાઈનું સારવાર દરમિયાન મોત નીપજ્યું.

મળતી માહિતી મુજબ છાશ ઢોળવા જેવી નજીવી બાબતે બંને ભાઈઓ વચ્ચે તકરાર શરૂ થઈ હતી. મૂળ ભાવનગરના તળાજાના ઘનશ્યામ વાળા માતા અને ભાઈ રાજુ વાળા સાથે સુરતમાં રહેતો હતો. અને રત્ન કલાકાર તરીકે કામ કરતો હતો. જો કે છેલ્લા 15 દિવસથી મૃતક પાસે કોઈ કામ નહોતું. બુધવારે રાત્રે બંને ભાઈઓ સાથે જમવા બેઠા, ત્યારે જમતા જમતા છાશ ઢોળાઈ. અને બંને ભાઈઓ વચ્ચે પોતું કોણ મારશે તે બાબતે બંને ભાઈએ વચ્ચે તકરાર થઈ. અને ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે રાજુ વાળાએ પોતાના જ નાના ભાઈ ઘનશ્યામ પર છરી વડે હુમલો કરી દીધો.

આ પણ વાંચોઃ સુરત : બસના એન્જિન-ચેસિસ નંબર બદલવામાં ચાર પોલીસ કર્મી સસ્પેન્ડ

આવેશમાં આવેલા આરોપી રાજુએ છરીના એવા ઘા કર્યા કે સારવાર દરમિયાન ઘનશ્યામનું હોસ્પિટલમાં જ મોત નીપજ્યું. વરાછા પોલીસે આ મામલે આરોપી રાજુ વાળા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

gujarat surat news Crime News