17 April, 2024 07:24 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
ભગવાન રામની ફાઇલ તસવીર
આજે રામનવમીના મંગલ અવસરે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અમદાવાદમાં પ્રભુ શ્રીરામની શોભાયાત્રા હર્ષોલ્લાસ અને આધ્યાત્મિક્તાના માહોલ વચ્ચે યોજાશે.
અમદાવાદના પ્રેમ દરવાજા વિસ્તારમાં આવેલા સરયુ મંદિરેથી પ્રભુ શ્રીરામની શોભાયાત્રા યોજાશે. સાત કિલોમીટરની આ શોભાયાત્રા સરયુ મંદિરથી દરિયાપુર દરવાજા થઈને વાડીગામ, ઘીકાંટા, શાહપુર ચાર રસ્તા થઈને લાલાકાકા હૉલ, માધુપુરા ખાતે પૂર્ણ થશે. શોભાયાત્રામાં હાથી, ઘોડા, ઊંટ, ટ્રૅક્ટર ઉપરાંત ૨૦ ભજનમંડળીઓ, ૧૦ અખાડા અને સાંસ્કૃતિક નૃત્યમંડળીઓ પણ સામેલ થશે. આ શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં ધાર્મિકજનો જોડાશે.