કરિશ્મા કપૂરે રાજકોટમાં મહેમાનો પાસે રખાવ્યું મૌન

16 February, 2019 08:33 AM IST  |  રાજકોટ | રશ્મિન શાહ

કરિશ્મા કપૂરે રાજકોટમાં મહેમાનો પાસે રખાવ્યું મૌન

રાજકોટના કાર્યક્રમમાં કરિશ્મા કપૂર

ગુરુવારે રાજકોટના એક ખાનગી કાર્યક્રમમાં આવેલી ઍક્ટ્રેસ કરિશ્મા કપૂરે પોતાના કાર્યક્રમની શરૂઆત કરતાં પહેલાં સામેથી માઇક હાથમાં લીધું હતું અને બધાને કહ્યું હતું કે ‘આપણે કોઈ પણ જાતની વાતચીત શરૂ કરીએ કે રિબન કાપીએ એ પહેલાં મારે પુલવામામાં શહીદ થયેલા આપણા ભાઈઓને યાદ કરવા છે અને તેમને શ્રદ્ધાંજલિ આપવા મૌન રાખવું છે. હું આશા રાખું કે તમે પણ મને સાથ આપશો.’

હાજર રહેલા સૌકોઈએ સ્વાભાવિક રીતે તૈયારી દર્શાવી એટલે કરિશ્માએ જ ‘ઓમ’ સાથે મૌનની શરૂઆત કરી અને બે મિનિટના મૌન પછી તેણે હાજર રહેલા મીડિયા અને આમંત્રિતો સાથે વાત કરવાની શરૂ કરી. કરિશ્માએ કહ્યું હતું કે ‘વો વહાં (સરહદ પર) હૈ ઇસી લિએ હમ સબ યહાં, અપને-અપને ઘર મેં અપને ફૅમિલી કે સાથ ટીવી દેખ સકતે હૈં, હોટેલમાં ખાના ખા સકતે હૈ યે હમેં કભી ભૂલના નહીં ચાહિએ.’

આ પણ વાંચોઃ મોરબીઃ64 મિનિટમાં ભેગુ થયું 75 લાખ ફંડ

પુલવામામાં શહીદ થયેલા જવાનો માટે કરિશ્મા કપૂરે ગઈ કાલે સવારે ડોનેશન કર્યું હતું, પણ એની રકમ કહેવાની ના પાડતાં સ્પષ્ટતા કરી હતી કે ‘વો એક રૂપિયા હૈ યા લાખ રૂપિયા, ઇસ સે કોઈ ફર્ક નહીં પડતા. ફર્ક પડતા હૈ જબ આપ ઐસી બાત સુનને કે બાદ ભી યૂં હી બૈઠે રહો.’

 

gujarat rajkot news terror attack karishma kapoor