04 August, 2022 05:04 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મહેન્દ્ર મેઘાણી
મહેન્દ્ર મેઘાણીના નિધનથી ગુજરાતી સાહિત્ય જગતને મોટી ખોટ પડી છે. મહેન્દ્ર મેઘાણીનું ભાવનગર ખાતે ગત રોજ એટલે કે 3 ઓગસ્ટના રોજ નિધન થયું. આજે સવારે ભાવનગર ખાતે જ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતા. સાહિત્ય જગતની હસ્તીઓએ મહેન્દ્ર મેઘાણીના નિધન પર શોક વ્યક્ત કરી તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે.
લેખક જય વસાવડાએ સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કરી તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે. જય વસાવડાએ ટ્વિટર પર પોસ્ટ લખી ઝવેરચંદ મેઘાણીને વારસદાર મહેન્દ્ર મેઘાણીને શ્રદ્ધાંજલિ પાઠવી છે.
આ સાથે જ લોકપ્રિય કવિ અને લેખક અંકિત ત્રિવેદીએ પણ લાંબી પોસ્ટ લખી મહેન્દ્ર મેઘાણીને શ્રદ્ધાંજિલ પાઠવી છે.
અભિનેત્રી અને લેખિતા આરતી પટેલે પણ મહેન્દ્ર મેઘાણીને શ્રદ્ધાંજલિ પાઠવી છે.
ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ પ્રકાશ એન. શાહે પણ મહેન્દ્ર મેઘાણીના અવસાન પર દુ:ખ વ્યક્ત કર્યુ છે.
યુકે સાહિત્ય પરિષદના પંચમ શુક્લાએ પણ મહેન્દ્ર મેઘાણીને શ્રદ્ધાંજલિ પાઠવી છે.