02 December, 2019 09:32 AM IST | Ahmedabad
સ્વામી નિત્યાનંદ
સ્વામી નિત્યાનંદના આશ્રમમાંથી કથિત રીતે ગુમ બે બહેનોને શોધવા માટે અમદાવાદ ગ્રામીણ પોલીસે હવે ઇન્ટરપોલને બ્લુ કૉર્નર નોટિસ પાઠવવાની કામગીરી શરૂ કરી છે. બે બહેનોને કેદમાં રાખવાના આરોપમાં નિત્યાનંદ સામે પણ ફરિયાદ નોંધાઈ છે અને હાલમાં તેને ફરાર જાહેર કરાયો છે.
આ પણ જુઓઃ PHOTOS: જુઓ બ્લેક આઉટફિટ્સમાં હિના ખાનનો ગોર્જિયસ અવતાર
જિલ્લા પોલીસ અધિકારીએ જણાવ્યું કે બ્લુ કૉર્નર નોટિસ ઉપરાંત તેમણે દેશભરનાં ઍરપોર્ટ પર બન્ને બહેનો માટે લુક આઉટ નોટિસ જારી કરી છે. ટોચના પોલીસ-અધિકારીએ જણાવ્યું, બ્લુ કૉર્નર નોટિસ એવા લોકો માટે છે જેને પોલીસ આરોપી તરીકે નહીં પરંતુ પીડિત અથવા સાક્ષી તરીકે શોધી રહી છે. આ અરજી સીઆઇડી દ્વારા મોકલવામાં આવી છે જેને સીબીઆઇને મોકલાશે અને ત્યાર બાદ વિદેશ મંત્રાલય મારફત ઇન્ટરપોલ સુધી.