આખરે વિવાદાસ્પદ નિત્યાનંદ આશ્રમને તોડી પડાયો

29 December, 2019 09:36 AM IST  |  Ahmedabad

આખરે વિવાદાસ્પદ નિત્યાનંદ આશ્રમને તોડી પડાયો

નિત્યાનંદ આશ્રમ

અમદાવાદના નિત્યાનંદ આશ્રમ પર ઔડાનો હથોડો ચલાવવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપસલ કૉર્પોરેશને નિત્યાનંદના આશ્રમનું બાંધકામ તોડવાનું શરૂ કરી દીધું છે.

હાલ આશ્રમમાં સાધ્વીઓના રહેવાના ડોમ તોડી પડાયા હોવાની માહિતી મળી રહી છે. નિત્યાનંદના આશ્રમને તોડી પાડવા માટે ઔડા વિભાગે પોલીસ અને શિક્ષણ વિભાગને જાણ કરીને કચ્ચરઘાણ વાળવાનું શરૂ કર્યું હતું.

આ પણ વાંચો : સચિનમાંથી અપહરણ કરાયેલી કિશોરીને અમદાવાદમાં વેચીઃ છ મહિના આચર્યું દુષ્કર્મ

તમને જણાવીએ કે નિત્યાનંદ આશ્રમમાંથી બે યુવતીઓ ગુમ થવા અને બાળકોને ગોંધી રાખવા મામલે હીરાપુરમાં આવેલી ડીપીએસ ઈસ્ટમાં ચાલતા નિત્યાનંદ આશ્રમનું ગેરકાયદે બાંધકામ તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

gujarat ahmedabad