Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > સચિનમાંથી અપહરણ કરાયેલી કિશોરીને અમદાવાદમાં વેચી

સચિનમાંથી અપહરણ કરાયેલી કિશોરીને અમદાવાદમાં વેચી

29 December, 2019 09:27 AM IST | Surat

સચિનમાંથી અપહરણ કરાયેલી કિશોરીને અમદાવાદમાં વેચી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


રાજ્યમાં દિવસેને દિવસે દુષ્કર્મની ઘટનાઓ સામે આવતી જાય છે ત્યારે સુરતના સચિન વિસ્તારમાંથી ગુમ થયેલી ૧૫ વર્ષીય કિશોરી ૬ મહિના પહેલાં કોઈ અજાણી વ્યક્તિને વેચાઈ હતી, જેણે ૬ મહિના સુધી અમદાવાદમાં લાવીને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. હાલ સુરત પોલીસે અમદાવાદમાંથી આ વ્યક્તિને ઝડપીને કિશોરીને છોડાવીને આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે.

આ પણ વાંચો : તીડથી નુકસાન વેઠનાર ખેડૂતો માટે રાહતઃ હેક્ટર દીઠ 13,500 રૂપિયાની સહાય ચૂકવાશે



સુરતના સચિન વિસ્તારમાં આવેલા જલારામનગરમાંથી ૧૫ વર્ષની કિશોરી ગુમ થયાની ફરિયાદ કિશોરીના માતા-પિતાએ સચિન પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. જેના પગલે સુરત પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરાઇ હતી. આવા સમયે પોલીસને બાતમી મળી હતી કે, એક સગીરા અમદાવાદના સૈજપુર-બોઘા વિસ્તારમાં રહેતા હરીશ ઇશ્વર સોલંકીના ઘરે છે, ત્યારે પોલીસે અમદાવાદ આવીને ઓચિંતી રેડ કરી હતી, જ્યાંથી સુરતની ૧૫ વર્ષીય સગીરા મળી આવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

29 December, 2019 09:27 AM IST | Surat

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK